એપશહેર

BSE પર મુહૂર્ત ટ્રેડિંગ 27 ઓક્ટોબરે

I am Gujarat 16 Oct 2019, 12:02 pm
71608100 અમદાવાદ:બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE)એ શેરબજાર માટે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન માટે મુહૂર્ત ટ્રેડિંગના સમયની જાહેરાત કરી છે. એક્સ્ચેન્જે આપેલી માહિતી અનુસાર 27 ઓક્ટોબરના રોજ રવિવારે મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે ટ્રેડિંગ સાંજે 6 વાગ્યે શરૂ થશે અને 7:15 સુધી ચાલશે.
I am Gujarat bse 27
BSE પર મુહૂર્ત ટ્રેડિંગ 27 ઓક્ટોબરે


BSE પર પ્રિ-ઓપન ટ્રેડિંગ સાંજે 6થી 6:15ના ગાળામાં યોજાશે. ત્યાર પછી 6:15 થી નિયમિત ટ્રેડિંગ શરૂ થશે, જે 7:15 સુધી ચાલશે. પોસ્ટ-ક્લોઝિંગ સત્રનો સમય 7:20થી 7:30 રહેશે. એક્સ્ચેન્જે આપેલી માહિતી અનુસાર IPO અને રિ-લિસ્ટેડ સ્ક્રિપ્સ માટે સ્પેશિયલ પ્રિ-ઓપન સત્ર સાંજે 6થી 6:30ના ગાળામાં યોજાશે. જ્યારે પિરિયોડિક કોલ ઓક્શનનો સમય 6:15થી 7:15 રહેશે.
ઉલ્લેખનીય છે કે, મુહૂર્ત ટ્રેડિંગ BSEની બહુ જૂની પરંપરા છે, જેનું આયોજન દર વર્ષે દિવાળીના દિવસે કરવામાં આવે છે. આ દિવસે ટ્રેડર્સ નવા વર્ષ માટે શુકનના સોદા કરે છે અને એકબીજાને સમગ્ર વર્ષ ફળદાયી રહેવાની શુભેચ્છા આપે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો