એપશહેર

'માત્ર ઈન્કમ ટેક્સમાં રાહતની નજરે બજેટને ના જુઓ, આમાં 138 કરોડનું ધ્યાન રાખવું પડે છે'

પરંતુ PFમાં 2.50 લાખ કરતા વધારે રોકાણના વ્યાજ પર ટેક્સ લગાવીને ઝાટકો આપ્યો છે? આ ચર્ચાને અહીં સમજો

Navbharat Times 3 Feb 2021, 8:22 am
જોસેફ બર્નાડ, નવી દિલ્હીઃ ફાઈનાન્સ સેક્રેટરી અજય ભૂષણ પાંડેનું કહેવું છે કે કેન્દ્રીય બજેટને માત્ર ઈનકમ ટેક્સ છૂટ તરીકે જોવું યોગ્ય નથી. આ બજેટ 138 કરોડ લોકો માટે બનાવાયું છે. બજેટ બનાવતી વખતે દેશની અર્થવ્યવસ્થાના તમામ પાસા પર ધ્યાન આપવામાં આવે છે. જેટલું બની શકે હાલની આર્થિક સ્થિતિમાં બજેટ વધારે સારું બનાવવાની કોશિશ કરાતી હોય છે. સામાન્ય વ્યક્તિ પર કોઈ વધારાનો ભાર નાખવામાં નથી આવ્યો. બજેટ સાથે જોડાયેલા અલગ-અલગ પાસાઓ પર ફાઈનાન્સ સેક્રેટરીએ અમારા સહયોગી નવભારત ટાઈમ્સ સાથે વાત કરી છે.
I am Gujarat finance secretary ajay bhushan pandey says tax rate stability key budget not time for tinkering
'માત્ર ઈન્કમ ટેક્સમાં રાહતની નજરે બજેટને ના જુઓ, આમાં 138 કરોડનું ધ્યાન રાખવું પડે છે'


બજેટમાં કોઈ છૂટ નથી અપાઈ તેના કારણે મિડલ ક્લાસ નારાજ છે?

બજેટનો મતલબ માત્ર ઈનકમ ટેક્સમાં છૂટ પૂરતો સીમિત નથી હોતો. બજેટનો મતલબ દેશને ચલાવવા માટે આવક અને ખર્ચને લઈને તૈયાર કરાયા છે. બજેટને સંપૂર્ણ રીતે જોવું જોઈએ. હાલ સરકારની આવકની શું સ્થિતિ છે. લોકડાઉનના કારણે ટેક્સ કલેક્શનમાં ઘટાડો થયો છે. હવે જઈને સ્થિતિમાં સુધાર આવ્યો છે. પરંતુ જાન્યુઆરીમાં ડિરેક્ટ ટેક્સ કલેક્શનમાં નક્કી લક્ષ્યથી 6.7% ઘટાડો યથાવત છે. કોરોનાના કારણે ખર્ચમાં વધારો થયો છે. લોકોને ઈન્કમ ટેક્સમાં છૂટ સિવાય અન્ય સુવિધા અપાઈ છે. ખર્ચ અને આવક વચ્ચે બેસેલન્સ કરવાનું છે. બજેટને એક નક્કી કરેલા વર્તુળમાં જોવાની આદત છોડવી પડશે. જો ઈન્કમમાં છૂટ ના મળી તો બજેટને ખોટું ગણાવવું તર્કસંગત નથી.

પરંતુ PFમાં 2.50 લાખ કરતા વધારે રોકાણના વ્યાજ પર ટેક્સ લગાવીને ઝાટકો આપ્યો છે?

મિડલ ક્લાસને આનાથી કોઈ ઝાટકો નથી આપ્યો. અમે સંપૂર્ણ સ્ટડી કર્યા બાદ આ નિર્ણય લીધો છે. આ નિર્ણયની અસર એક ટકો ઈન્કમ ટેક્સ પેયર્સ પર થશે જેમનો પગાર વધુ છે. તમે જાણો છો 138 કરોડ વસ્તીવાળા દેશમાં 7 કરોડ કે તેનાથી વધારે લોકો ઈન્કમ ટેક્સ રિટર્ન ભરે છે, પરંતુ 1.70 કરોડ લોકો જ ઈન્કમ ટેક્સ આપે છે. બાકી લોકો ઈન્વેસ્ટમેન્ટ છૂટ કે અન્ય લાભ લઈને ટેક્સ આપવાથી બચે છે. આ નિર્ણયથી 1.70 કરોડમાંથી માત્ર 1 ટકા ઈન્કમ ટેક્સ પેયર્સ પર પડશે. આ કહેવું ખોટું છે કે બજેટમાં મિડલ ક્લાસ કે સામાન્ય વ્યક્તિ પર આ નિર્ણયની અસર પડશે. એક અન્ય વાત હું કહેવા માગું છું કે આ એક ટકો લોકો પીએફમાં વધારે રોકાણ કરે છે તો તેના પર વ્યાજ આપવું પડે છે, તેની ચૂકવણી ઈમાનદાર ટેક્સ પેયર્સ પાસેથી કરાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો