એપશહેર

આ બેંકે સસ્તી કરી હોમલોન, 7 નવેમ્બરથી લાગુ થશે નવા વ્યાજ દર

બેંકે માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ (MCLR) આધારિત લોન વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે જેનો ફાયદો તમામ ટર્મ લોન પર મળશે

I am Gujarat 6 Nov 2020, 11:30 pm
કેનેરા બેંકે માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ (MCLR) આધારિત લોન વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. એમસીએલઆરમાં ઘટાડાથી તમામ ટર્મ લોન પરના વ્યાજના દરમાં ઘટાડો થશે. બેંકનો રેટ કટ નિર્ણય 7 નવેમ્બરથી અમલમાં આવી રહ્યો છે. એક દિવસ, એક મહિના અને ત્રણ મહિનાની લોન પરના વ્યાજ દરમાં 15 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. 6 મહિના અને એક વર્ષની લોન પરના વ્યાજ દરમાં 5 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. રેપો રેટ લિંક્ડ ધિરાણ દર એટલે કે આરએલએલઆર 6.90% પર યથાવત રાખવામાં આવ્યા છે.
I am Gujarat canara bank slashes interest rates on loans
આ બેંકે સસ્તી કરી હોમલોન, 7 નવેમ્બરથી લાગુ થશે નવા વ્યાજ દર


એમસીએલઆર આધારિત ધિરાણ દરમાં ઘટાડાથી ગ્રાહકોને સીધો ફાયદો થશે. આ નિર્ણયથી કાર લોન, હોમ લોન, પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોન સસ્તી થશે. હાલના લોન ધારકોને પણ આનો લાભ મળશે. તેમનો ઈએમઆઈ ઓછો થશે.
MCLR લોન કાર્યકાળ આધારિત આંતરિક બેંચમાર્ક હશે. આનો સીધો અર્થ એ છે કે બેંક કોઈ ચોક્કસ સમયગાળા માટે એમસીએલઆર નીચેના કોઈપણ ગ્રાહકને લોન આપી શકતી નથી. આ સિવાય આરએલએલઆર સાથે જોડાયેલ રેપો રેટ પણ છે. આમાં, લોનનો વ્યાજ દર રિઝર્વ બેંકના રેપો રેટ સાથે જોડાયેલો હોય છે. જો ત્યાં કાપ મૂકવામાં આવશે તો ગ્રાહકોને રેટ કટનો લાભ મળશે. જો રેપો રેટ વધશે તો લોનના વ્યાજ દરમાં પણ વધારો થશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો