મુંબઈ:સીએલએસએના ક્રિસ વૂડ ભારતમાં વ્યાજના દર અંગે વિપરીત મત ધરાવે છે. વૂડે તેના ગ્રીડ એન્ડ ફીયર રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આગામી વર્ષે વ્યાજના દરમાં વધારે કાપ આવશે, તેનો મત એ બધા સામાન્ય મતથી વિપરીત છે કે જેમાં વ્યાજના દર હવે વધારે નહીં ઘટે તેવો મત પ્રવર્તે છે. આનો અર્થ એવો થાય કે તાજેતરની વેચવાલી બાદ ૧૦ વર્ષની મુદતના સરકારી બોન્ડ ફરી એકવાર રસપ્રદ ખરીદી બન્યા છે, તેમ તેણે જણાવ્યું હતું.
વૂડે ગુરુવારે તેની એક રિસર્ચ નોટમાં જણાવ્યું હતું કે, પાછલા 14 મહિના દરમિયાન સીપીઆઇ ફુગાવો વાર્ષિક ધોરણે સરેરાશ 3.2 ટકાની સરેરાશ સાથે ચાલી રહ્યો છે ત્યારે ચોક્કસપણે એવો પ્રશ્ન થાય છે કે શું ફુગાવો આરબીઆઇના અંદાજ પ્રમાણે આગામી માર્ચ સુધીમાં 4.6 ટકા પર પહોંચશે ખરો. જો તેમ ના હોય તો પછી આરબીઆઇને નાણાકીય નીતિના મોરચે તેની હાલની ન્યુટ્રલ પોલિસી અંગે ફરીથી વિચારણા કરવાની ફરજ પડશે.
મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ માને છે કે દેશમાં વ્યાજના દર હવે તળિયે પહોંચી ગયા છે કારણ કે યુએસ ફેડરલ રિઝર્વ ડિસેમ્બર મહિનામાં વ્યાજના દરમાં ૨૫ બેસિસ પોઇન્ટના વધારા બાદ આગામી વર્ષે વ્યાજના દરમાં 75 બેસિસ પોઇન્ટનો વધારો કરશે તેવી અપેક્ષા છે, તેમ તેણે જણાવ્યું હતું.
બજાર સાથે જોડાયેલા લોકો કહે છે કે ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટ હળવો થયો તથા ઊંચી ઓઇલ કિંમત ફુગાવાને વેગ આપી શકે, જેના કારણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને વ્યાજના દર ટાઇટ કરવા પડ્યા. સીપીઆઇ ઇન્ફ્લેશન દ્વારા ડિફ્લેટેડ વાસ્તવિક રેપો રેટ જુલાઈ 2016માં 0.4 ટકા હતા તે જૂન 2017માં વધીને 4.7 ટકા હતા અને હવે 2.3 ટકા છે, તેમ વૂડે જણાવ્યું હતું.
તેણે જણાવ્યું હતું કે, ઊભરતાં બજારોમાં ભારતમાં હજુ પણ સૌથી ઊંચા વ્યાજના દરની સ્થિતિ છે. તેણે રૂપિયાને ટેકો આપવામાં મદદ કરી છે, પરંતુ તેની સાથે તે અગાઉ બેન્કિંગ સેક્ટરને રિકેપ કરવાના મુદ્દામાં જે નિષ્ફળતા મળી તેના અનેક કારણોમાંનું એક કારણ પણ છે, તેથી બેન્ક ધિરાણ પાછલા ચાર ત્રિમાસિક ગાળા માટે વાર્ષિક ધોરણે નોમિનલ જીડીપી ગ્રોથતી નીચે ચાલી રહ્યું છે.
શુક્રવારે 10 વર્ષના સરકારી બોન્ડ પરની યીલ્ડ સાત ટકા પર ચાલી રહી હતી કે જે પાછલા ગુરુવારના 7.06 ટકાની સરખામણીએ 17 બેસિસ પોઇન્ટ નીચી હતી. જોકે તે જુલાઈમાં જોવાયેલી નીચી સપાટીની તુલનાએ 59 બેસિસ પોઇન્ટ ઊંચી હતી. ]]>
વૂડે ગુરુવારે તેની એક રિસર્ચ નોટમાં જણાવ્યું હતું કે, પાછલા 14 મહિના દરમિયાન સીપીઆઇ ફુગાવો વાર્ષિક ધોરણે સરેરાશ 3.2 ટકાની સરેરાશ સાથે ચાલી રહ્યો છે ત્યારે ચોક્કસપણે એવો પ્રશ્ન થાય છે કે શું ફુગાવો આરબીઆઇના અંદાજ પ્રમાણે આગામી માર્ચ સુધીમાં 4.6 ટકા પર પહોંચશે ખરો. જો તેમ ના હોય તો પછી આરબીઆઇને નાણાકીય નીતિના મોરચે તેની હાલની ન્યુટ્રલ પોલિસી અંગે ફરીથી વિચારણા કરવાની ફરજ પડશે.
મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ માને છે કે દેશમાં વ્યાજના દર હવે તળિયે પહોંચી ગયા છે કારણ કે યુએસ ફેડરલ રિઝર્વ ડિસેમ્બર મહિનામાં વ્યાજના દરમાં ૨૫ બેસિસ પોઇન્ટના વધારા બાદ આગામી વર્ષે વ્યાજના દરમાં 75 બેસિસ પોઇન્ટનો વધારો કરશે તેવી અપેક્ષા છે, તેમ તેણે જણાવ્યું હતું.
બજાર સાથે જોડાયેલા લોકો કહે છે કે ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટ હળવો થયો તથા ઊંચી ઓઇલ કિંમત ફુગાવાને વેગ આપી શકે, જેના કારણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને વ્યાજના દર ટાઇટ કરવા પડ્યા. સીપીઆઇ ઇન્ફ્લેશન દ્વારા ડિફ્લેટેડ વાસ્તવિક રેપો રેટ જુલાઈ 2016માં 0.4 ટકા હતા તે જૂન 2017માં વધીને 4.7 ટકા હતા અને હવે 2.3 ટકા છે, તેમ વૂડે જણાવ્યું હતું.
તેણે જણાવ્યું હતું કે, ઊભરતાં બજારોમાં ભારતમાં હજુ પણ સૌથી ઊંચા વ્યાજના દરની સ્થિતિ છે. તેણે રૂપિયાને ટેકો આપવામાં મદદ કરી છે, પરંતુ તેની સાથે તે અગાઉ બેન્કિંગ સેક્ટરને રિકેપ કરવાના મુદ્દામાં જે નિષ્ફળતા મળી તેના અનેક કારણોમાંનું એક કારણ પણ છે, તેથી બેન્ક ધિરાણ પાછલા ચાર ત્રિમાસિક ગાળા માટે વાર્ષિક ધોરણે નોમિનલ જીડીપી ગ્રોથતી નીચે ચાલી રહ્યું છે.
શુક્રવારે 10 વર્ષના સરકારી બોન્ડ પરની યીલ્ડ સાત ટકા પર ચાલી રહી હતી કે જે પાછલા ગુરુવારના 7.06 ટકાની સરખામણીએ 17 બેસિસ પોઇન્ટ નીચી હતી. જોકે તે જુલાઈમાં જોવાયેલી નીચી સપાટીની તુલનાએ 59 બેસિસ પોઇન્ટ ઊંચી હતી. ]]>