પી. કે. કૃષ્ણકુમાર ,કોચી
કાળા મરીના ભાવ વધવાની શક્યતા છે. ઇન્ડોનેશિયા કાળા મરીના ઉત્પાદનમાં સમગ્ર દુનિયામાં બીજા ક્રમે છે. ચાલુ વર્ષે ત્યાં ઉત્પાદન ઘટવાના સંકેતો મળી રહ્યાં છે. ભારતમાં કાળા મરીનો ભાવ હાલમાં કિલો દીઠ રૂ. ૭૨૬ છે. જોકે વિયેતનામ અને ઇન્ડોનેશિયાના પૂરવઠાના આધારે તેના ભવિષ્યના ભાવ નક્કી થશે. ભારતમાં કાળા મરીનું સ્થાનિક ઉત્પાદન ૫૩,૦૦૦ ટનથી ઘણું ઓછું રહેવાના એંધાણ મળી રહ્યાં છે, તેવા સમયે ભાવ વધીને કિલોદીઠ રૂ. ૮૦૦ને સ્પર્શી શકે છે. “ભાવ વધવાની આશાના કારણે ખેડૂતોએ પોતાનો સ્ટોક રોકી રાખ્યો છે. નિકાસ સુસ્ત બની ગઈ છે અને સારી ક્વોલિટીના મલબાર મરીને બાદ કરવામાં આવે તો ભાગ્યે જ નિકાસ થઈ રહી છે,” એવું ઓલ ઇન્ડિયા સ્પાઇસિઝ એક્સ્પોર્ટર્સ ફોરમના ચેરમેન ગુલશન જોને જણાવ્યું હતું. ગત વર્ષે રો કાળા મરીની આયાતના લીધે ભારતીય કાળા મરીના નિકાસ વોલ્યૂમમાં વધારો નોંધાયો હતો. રૂ. ૧,૭૩૦ કરોડના મૂલ્યના ૨૮,૧૦૦ ટન કાળા મરીની નિકાસ થઈ હતી. કાળા મરીની આયાત એક વર્ષની તુલાએ લગભગ ૨૦ ટકા વધીને આશરે ૨૦,૦૦૦ ટન નોંધાયું છે. “ચાલુ વર્ષે આયાત વધુ વધી શકે છે, કેમ કે સ્થાનિક ઉત્પાદન અંદાજ કરતા પચીસ ટકા ઓછું રહેવાની ધારણા છે. આનું સ્પષ્ટ ચિત્ર જુલાઈના અંતમાં સામે આવશે,” તેવું સ્પાઇસિઝ બોર્ડના ડિરેક્ટર એસ. કન્નને જણાવ્યું હતું. ઇન્ડોનેશિયામાં ચાલુ વર્ષે ઉત્પાદન ૬૦ થી ૭૦ હજાર ટન રહેવાનું અનુમાન હતું. જોકે લાંબો સમય ચાલેલા દુષ્કાળના કારણે ઉત્પાદન લગભગ ૫૦,૦૦૦ ટન થવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. વિયેતનામે તેના ૧.૫ લાખ ટનના ઉત્પાદનનો ૭૫ ટકા હિસ્સો વેચી નાખ્યો છે. બાકી બચેલા પૈકીનો ૧૦ ટકા સ્ટોક આગામી વર્ષ માટે રાખી મૂકી શકે છે. કાળા મરી પર ૭૦ ટકા આયાત ડ્યૂટી લાગે છે. ભારતીય કાળા મરીનો ભાવ ટનદીઠ ૧૧,૦૦૦ ડોલર છે, જ્યારે વિયેતનામના મરીનો ભાવ ટનદીઠ ૮,૫૦૦ ડોલર છે.
કાળા મરીના ભાવ વધવાની શક્યતા છે. ઇન્ડોનેશિયા કાળા મરીના ઉત્પાદનમાં સમગ્ર દુનિયામાં બીજા ક્રમે છે. ચાલુ વર્ષે ત્યાં ઉત્પાદન ઘટવાના સંકેતો મળી રહ્યાં છે. ભારતમાં કાળા મરીનો ભાવ હાલમાં કિલો દીઠ રૂ. ૭૨૬ છે. જોકે વિયેતનામ અને ઇન્ડોનેશિયાના પૂરવઠાના આધારે તેના ભવિષ્યના ભાવ નક્કી થશે. ભારતમાં કાળા મરીનું સ્થાનિક ઉત્પાદન ૫૩,૦૦૦ ટનથી ઘણું ઓછું રહેવાના એંધાણ મળી રહ્યાં છે, તેવા સમયે ભાવ વધીને કિલોદીઠ રૂ. ૮૦૦ને સ્પર્શી શકે છે. “ભાવ વધવાની આશાના કારણે ખેડૂતોએ પોતાનો સ્ટોક રોકી રાખ્યો છે. નિકાસ સુસ્ત બની ગઈ છે અને સારી ક્વોલિટીના મલબાર મરીને બાદ કરવામાં આવે તો ભાગ્યે જ નિકાસ થઈ રહી છે,” એવું ઓલ ઇન્ડિયા સ્પાઇસિઝ એક્સ્પોર્ટર્સ ફોરમના ચેરમેન ગુલશન જોને જણાવ્યું હતું. ગત વર્ષે રો કાળા મરીની આયાતના લીધે ભારતીય કાળા મરીના નિકાસ વોલ્યૂમમાં વધારો નોંધાયો હતો. રૂ. ૧,૭૩૦ કરોડના મૂલ્યના ૨૮,૧૦૦ ટન કાળા મરીની નિકાસ થઈ હતી. કાળા મરીની આયાત એક વર્ષની તુલાએ લગભગ ૨૦ ટકા વધીને આશરે ૨૦,૦૦૦ ટન નોંધાયું છે. “ચાલુ વર્ષે આયાત વધુ વધી શકે છે, કેમ કે સ્થાનિક ઉત્પાદન અંદાજ કરતા પચીસ ટકા ઓછું રહેવાની ધારણા છે. આનું સ્પષ્ટ ચિત્ર જુલાઈના અંતમાં સામે આવશે,” તેવું સ્પાઇસિઝ બોર્ડના ડિરેક્ટર એસ. કન્નને જણાવ્યું હતું. ઇન્ડોનેશિયામાં ચાલુ વર્ષે ઉત્પાદન ૬૦ થી ૭૦ હજાર ટન રહેવાનું અનુમાન હતું. જોકે લાંબો સમય ચાલેલા દુષ્કાળના કારણે ઉત્પાદન લગભગ ૫૦,૦૦૦ ટન થવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. વિયેતનામે તેના ૧.૫ લાખ ટનના ઉત્પાદનનો ૭૫ ટકા હિસ્સો વેચી નાખ્યો છે. બાકી બચેલા પૈકીનો ૧૦ ટકા સ્ટોક આગામી વર્ષ માટે રાખી મૂકી શકે છે. કાળા મરી પર ૭૦ ટકા આયાત ડ્યૂટી લાગે છે. ભારતીય કાળા મરીનો ભાવ ટનદીઠ ૧૧,૦૦૦ ડોલર છે, જ્યારે વિયેતનામના મરીનો ભાવ ટનદીઠ ૮,૫૦૦ ડોલર છે.