એપશહેર

મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ: DHFLના ધીરજ વાધવાનનું નામ

I am Gujarat 11 Dec 2019, 11:07 am
72451785 મુંબઈ: એક સમયના ડ્રગ માફિયા ઇકબાલ મેમણ ઉર્ફે ઇકબાલ મિરચીના એક મની લોન્ડરિંગ કેસમાં ફેડરલ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ED) દ્વારા સોમવારે સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) સમક્ષ 10,000 પાનાંની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. આ ચાર્જશીટમાં 16 આરોપીઓનાં નામ સામેલ છે જેમાં દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન (DHFL)ના ભૂતપૂર્વ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ધીરજ વાધવાનનો પણ સમાવેશ થાય છે.
I am Gujarat dhfl 25
મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ: DHFLના ધીરજ વાધવાનનું નામ


દક્ષિણ-મધ્ય મુંબઈના વરલીમાં ઇકબાલ મિરચી દ્વારા સર મોહમ્મદ યુસુફ ટ્રસ્ટ હસ્તકની કેટલીક પ્રોપર્ટીઝની કથિત ગેરકાયદેસર ખરીદી થઈ હતી, જેની તપાસ ED દ્વારા કરવામાં આવી રહી છે અને આ ખરીદીને EDએ ‘ગુનામાંથી થયેલી કમાણી’ ગણાવી છે. ગુનામાંથી થયેલી કમાણીને બાદમાં એજન્ટ દ્વારા બે બિલ્ડર્સ (સનબ્લિન્ક રિયલ એસ્ટેટ અને મિલેનિયમ ડેવલપર્સ)ને વેચવામાં આવી હતી.

EDની તપાસ પરથી બહાર આવ્યું છે કે, વરલી પ્લોટના ડેવલપમેન્ટમાં રસ ધરાવતા વાધવાને વિવાદાસ્પદ પ્રોપર્ટી મિલેનિયમ ડેવલપર્સને ખરીદવા માટે સનબ્લિન્ક રિયલ એસ્ટેટ નામથી ડમી કંપની ખોલી હતી. મિલેનિયમ ડેવલપર્સે મિરચીની વિધવા હઝરા મેમણને બે ફ્લેટ વેચ્યા હતા, જે ફ્લેટની માલિકી NCPના નેતા પ્રફુલ્લ પટેલની હતી. સીજે હાઉસમાં આવેલા બંને ફલેટને EDએ ટાંચમાં લીધા હતા એમ સૂત્રોએ જણાવ્યું હતું.

એજન્સીએ ચાર્જશીટમાં વાધવાન સિવાય સનબ્લિન્કના ડિરેક્ટર સની બાથીજા અને એજન્ટ રણજિત બિન્દ્રાનો પણ સમાવેશ થાય છે. બિન્દ્રાએ સનબ્લિન્ક રિયલ એસ્ટેટ અને મિરચી વચ્ચે સોદામાં દલાલી કરી હોવાનો આરોપ છે. બિન્દ્રાની કંપની RKW ડેવલપર્સ પ્રા લિમાં બિન્દ્રા અને વાધવાન ભૂતપૂર્વ ડિરેક્ટર્સ હતા એવો આરોપ આ કેસમાં કરવામાં આવ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો