એપશહેર

ડોરસ્ટેપ બેંકિંગ: હવે તમારા ઘરે આવશે બેંક, જાણો કોને મળશે તેનો ફાયદો

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, દરેક જગ્યાએ બેંકોની પહોંચ હોવી જોઈએ અને કર્મચારીઓને ગ્રાહકોને અપાતી બધી સ્કીમ્સની જાણ હોવી જોઈએ.

I am Gujarat 9 Sep 2020, 10:55 pm
નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમને બુધવારે પબ્લિક સેક્ટર બેંકો માટે ડોરસ્ટેપ બેંકિંગ સેવાને લોન્ચ કરી, જેથી બેંકિંગને સરળ બનાવી શકાય. નાણા મંત્રી નિર્મલા સીતારમને બુધવારે કહ્યું કે, બેંક અર્થવ્યવસ્થાને ઉગારવામાં બેંકની ઉદ્દીપકની ભૂમિકા છે. તેમણે કહ્યું કે, 'આ અવસ્થામાં આર્થિક સ્થિતિને ઉગારવામાં ઉદ્દીપક બેંક છે. બેંક પોતાના દરેક ગ્રાહકની નસ ઓળખે છે. સીતારમણે કહ્યું કે, જેટલી ઝડપથી ભારતે જનધન, આધાર અને મોબાઈલને અપનાવ્યા છે, તે દુનિયાભરના દેશો માટે આશ્ચર્ય છે.'
I am Gujarat Nirmala Sitharaman
સરકારી બેંકોના એલાયન્સ- ડોરસ્ટેપ બેંકિંગ સર્વિસીઝનું નિર્મલા સીતારમણે ઉદ્ઘાટન કર્યું.


દરેક જગ્યાએ હોવી જોઈએ બેંકોની પહોંચ
તેઓ સરકારી બેંકોના એલાયન્સ- ડોરસ્ટેપ બેંકિંગ સર્વિસીઝના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતાં. તેમણે કહ્યું કે, બેંકોએ એ વિસ્તારમાં પહોંચ બનાવવી જોઈએ, જ્યાં હજુ સુધી બેંકિંગ પહોચ્યું નથી. તેમણે કહ્યું કે, બેંકના દરેક સ્ટાફને સરકારની બધી સ્કીમોની જાણકારી હોવી જોઈએ, જેને બેંક દ્વારા ગ્રાહકોને ઓફર કરવામાં આવી રહી છે. આ ડોરસ્ટેપ બેંકિંગનો પાયો ભારતીય રિઝર્વ બેંકે થોડા વર્ષો પહેલા નાખ્યો હતો. પબ્લિક સેક્ટર બેંકોની સાથે મળીને એક કોમન સર્વિસ પ્રોવાઈડરની નિમણૂક કરી, જે તેમના ગ્રાહકો સુધી સેવાઓ પહોંચાડી શકે.

સીનિયર સિટીઝન અને દિવ્યાંગોને પહેલેથી મળી રહી છે આ સેવા
પહેલા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ડોરસ્ટેપ બેંકિંગ ફેસિલિટી માત્ર સીનિયર નાગરિકો અને દિવ્યાંગોને આપવામાં આવશે, જેમને બેંક સુધી આવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોરોના મહામારીને જોતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું હતું કે, 70 વર્ષથી વધુ ઉંમરના બધા લોકો અને દિવ્યાંગને ડોરસ્ટેપ બેંકિંગ સેવા આપવી જોઈએ. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ, બેંકોએ કેશ કલેક્ટ કરવાની અને ડિમાન્ડ ડ્રાફ્ટ ડ્રોપ કરવા જેવી સુવિધા આપવી પડશે.

હવે દરેક ગ્રાહકને મળશે બેંકોની ડોરસ્ટેપ સર્વિસનો લાભ
હવે આ સેવા દરેક ગ્રાહક માટે છે. તેનો ઉપયોગ પબ્લિક બેંકના ગ્રાહક વેબ પોર્ટલ, મોબાઈલ એપ અને કોલ સેન્ટર દ્વારા કરી શકશે. દેશભરમાં આવેલા લગભગ 100 સેન્ટરો પરથી આ ડોરસ્ટેપ બેંકિંગ સેવાઓ એજન્ટના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવશે. ડોરસ્ટેપ બેંકિંગ અંતર્ગત નાણાકીય સેવાઓ ઓક્ટોબર 2020 સુધીમાં લોકોને મળતી થઈ જશે. પબ્લિક સેક્ટર બેંકોના ગ્રાહક બેંકની ડોરસ્ટેપની બેંકિંગનો ફાયદો સામાન્ય ચાર્જ આપીને મેળવી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો