એપશહેર

રેસ્ટોરન્ટે ફૂડના ભાવ ઘટાડવા જોઈએ: અઢિયા

I am Gujarat 12 Jul 2017, 11:02 am
નવી દિલ્હી:રેસ્ટોરન્ટ્સ, હોટેલ્સ અને ઇટરીઝે જીએસટી હેઠળ ઈનપુટ પર સેટ ઓફ થનારા ટેક્સનો લાભ ગ્રાહકોને આપવા તેમના મેનુમાં ફૂડ આઇટમ્સ પર ભાવ ઘટાડવો જોઈએ એમ મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ફૂડ બિલની સર્વિસ ચાર્જ સહિતની રકમ પર જીએસટી લાગુ પડશે, જ્યારે આલ્કોહોલ પર વેટ લાગશે.
I am Gujarat eateries should cut rates of food items post gst adhia
રેસ્ટોરન્ટે ફૂડના ભાવ ઘટાડવા જોઈએ: અઢિયા


અગાઉ, રેસ્ટોરન્ટના બિલ પર સર્વિસ ટેક્સ લાગુ પડતો હતો. પણ હોટલ કે રેસ્ટોરન્ટ ઓપરેટર તેણે ચૂકવેલા ઈનપુટ ટેક્સ સામે ફાઇનલ બિલ સામે ક્રેડિટ મેળવી શકતો ન હતો. ઈનપુટ ટેક્સ ક્રેડિટ નામની આ સુવિધા જીએસટીમાં સામેલ કરવામાં આવી છે.

જીએસટી માસ્ટર ક્લાસમાં અઢિયાએ જણાવ્યું હતું કે, મોટા ભાગના રેસ્ટોરન્ટે તેમના મેનુમાં જણાવેલી ફૂડ આઇટમ્સના રેટ ઘટાડવા જોઈએ કારણ કે હવે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળે છે.

જીએસટી હેઠળ નોન એનસી રેસ્ટોરાંમાં ફૂડ પર 12 ટકા અને એસી રેસ્ટોરન્ટ તથા શરાબ પીરસતી રેસ્ટોરન્ટમાં 18 ટકા ટેક્સ લાગુ પાડવામાં આવ્યો છે. અઢિયાએ જણાવ્યું હતું કે, ટેક્સ વિભાગ સમક્ષ લીઝ સર્વિસ ઉદ્યોગમાં ટ્રાન્ઝિશન પ્રોવિઝન માટેની રજૂઆત થઈ હતી. જીએસટી જોગવાઈ પ્રમાણે લીઝ પર હોય તેવી કાર પર અગાઉથી ચૂકવાયેલ સેન્ટ્રલ એક્સાઇઝ માટે ઈનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો