એપશહેર

રિઝર્વ બેન્ક ગવર્નર ઊર્જિત પટેલની અણધારી એક્ઝિટ

I am Gujarat 11 Dec 2018, 8:50 am
67035940 મુંબઈ:છેલ્લા કેટલાક સમયની અટકળો પછી આખરે RBI ગવર્નર ઊર્જિત પટેલે રાજીનામું આપ્યું છે. પટેલે હોદ્દો છોડવા માટે વ્યક્તિગત કારણો જવાબદાર હોવાનું કહ્યું છે. આ સાથે RBIની સ્વાયત્તતા અને ફાઇનાન્શિયલ સિસ્ટમને સ્વચ્છ કરવા આકરાં પગલાં અંગે સરકાર સાથેના ઘર્ષણનો ગવર્નરની એક્ઝિટ સાથે અંત આવ્યો છે.
I am Gujarat economy 37
રિઝર્વ બેન્ક ગવર્નર ઊર્જિત પટેલની અણધારી એક્ઝિટ


પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે, “વ્યક્તિગત કારણોસર તાત્કાલિક અસરથી વર્તમાન હોદ્દો છોડવાનો નિર્ણય લીધો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિવિધ હોદ્દા પર RBIની સેવાનો જે લાભ મળ્યો એ મારું સૌભાગ્ય છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં RBIએ હાંસલ કરેલી નોંધપાત્ર સિદ્ધિઓ માટે RBI સ્ટાફ, ઓફિસર્સ અને મેનેજમેન્ટની મહેનત અને ટેકો જવાબદાર છે.”

પટેલે ગયા સપ્તાહે ફાઇનાન્શિયલ સુપરવિઝન બોર્ડની બેઠકમાં નબળી બેન્કો માટે પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA)નાં ધોરણો હળવાં કરવાની સરકારની માંગણીને મંજૂર રાખી ન હતી. ઉપરાંત, ચાલુ સપ્તાહે યોજાનારી બેઠકમાં RBI ગવર્નરને બદલે બોર્ડને સુપર પાવર બનાવવાના સરકારના આગ્રહને RBI ગવર્નરના અણધાર્યા રાજીનામાનાં કારણો તરીકે ગણવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર RBIમાં નિપુણતા વગરના પાર્ટ-ટાઇમ સ્વતંત્ર ડિરેક્ટર્સની નિમણૂક અને નિયમો નક્કી કરવામાં હિતોનું ઘર્ષણ જેવી બાબતો ગવર્નરને માન્ય ન હતી.

પટેલની વિદાયથી રોકાણકારો અને અર્થશાસ્ત્રીઓને આંચકો લાગ્યો છે. ઘણા એવું માને છે કે, બોર્ડની છેલ્લી બેઠકમાં નબળી બેન્કોને મૂડીની ટ્રાન્સફર અને PCAની સમીક્ષા માટે સમિતિની રચનાના નિર્ણય બાબતે સરકાર અને RBI વચ્ચેનો વિવાદ વકર્યો હતો.

ગવર્નર પટેલના રાજીનામાથી મધ્યસ્થ બેન્કિંગ અંગે સરકારના અભિપ્રાયની કસોટી થશે. છેલ્લા કેટલાક મહિનાના ઘટનાક્રમને સરકાર દ્વારા નિયમનકર્તા પર હાવી થવાના પ્રયાસ તરીકે જોવાતો હતો. આમ તો સરકાર અને RBI વચ્ચે વિવાદનાં ઘણાં કારણ હતાં, પણ તાજેતરમાં તરલતાની ખેંચ અને SMEs માટે ધિરાણની બિનઉપલબ્ધતાને કારણે વિવાદ વકર્યો હતો.

પટેલ સાથે કામ કરનાર RBIના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર આર ગાંધીએ જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક સમયની ઘટનાઓને જોતાં આ બાબત અણધારી નથી. મને રાજીનામા માટે કોઈ એક કારણ જણાતું નથી, પણ થોડી ચર્ચા પછી કંઈક એવું બન્યું હશે જેને લીધે વાટાઘાટ પડી ભાંગી હશે.” સૂત્રના જણાવ્યા અનુસાર ગયા મહિનાની ધારણા કરતાં સારી બોર્ડ મીટિંગ પછી અચાનક રાજીનામા માટે ગયા સપ્તાહે ફાઇનાન્શિયલ સુપરવિઝન બોર્ડની બેઠકમાં નબળી બેન્કો માટે પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA)નાં ધોરણો હળવાં કરવાની સરકારની માંગણી આગળ નમતું નહીં જોખવાનું કારણ જવાબદાર હોઈ શકે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો