એપશહેર

નાના ઋણધારકો માટે બેન્કો સક્રિય બનશે: સીતારામન

I am Gujarat 20 Sep 2019, 7:01 am
71210963નવી દિલ્હી:નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેન્કો ઘર ખરીદનારાઓ તથા ખેડૂતો સહિતના નાના ઋણધારકો માટે ધિરાણ ઉપલબ્ધ કરાવવા માટે દેશના 400 જિલ્લામાં નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ સાથે જાહેર બેઠકો યોજવાનો આરંભ આગામી સપ્તાહથી કરશે.
I am Gujarat economy 79
નાના ઋણધારકો માટે બેન્કો સક્રિય બનશે: સીતારામન


જાહેર બેઠકો બે તબક્કામાં યોજવામાં આવશે. પ્રથમ તબક્કામાં 200 જિલ્લામાં 24 સપ્ટેમ્બરે મંગળવારે તથા 29 સપ્ટેમ્બરને રવિવાર દરમિયાન યોજાશે તથા બીજા તબક્કામાં 200 જિલ્લાને 10 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર વચ્ચે આવરી લેવામાં આવશે, તેમ નાણાપ્રધાને જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે આની પાછળનો ઉદ્દેશ તહેવારોની સીઝન દરમિયાન મહત્તમ માત્રામાં ધિરાણનું વિતરણ કરવાનો છે. આ વર્ષે ઓક્ટોબરમાં દિવાળી છે. તેને દેશમાં સૌથી મોટા શોપિંગ ફેસ્ટિવલ તરીકે ગણવામાં આવે છે.

આ જાહેર બેઠકો દરમિયાન રિટેલ, એગ્રીકલ્ચર, એમએસએમઇ અને હાઉસિંગ સેક્ટર માટે ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાણાપ્રધાને એમ પણ જાહેરાત કરી હતી કે બેન્કોને આદેશ કરવામાં આવ્યો છે કે 31 માર્ચ 2020 સુધી કોઈ પણ સ્ટ્રેસ એમએસએમઇ લોનને નોન-પરફોર્મિંગ એસેટ્સ તરીકે જાહેર કરવામાં ન આવે.

ગુરુવારે કેન્દ્ર સરકારે બેન્કોને આદેશ કર્યો હતો કે 31 માર્ચ 2020 સુધી કોઈ પણ સ્ટ્રેસ એમએસએમઇ લોન ખાતાને નોન-પરફોર્મિંગ એસેટ્સ તરીકે જાહેર કરવામાં ન આવે તથા તેમની ડેટનું રિકાસ્ટિંગ કરવા માટે કામ કરે. જાહેર ક્ષેત્રની બેન્કોના વડાઓ સાથેની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી એક સરક્યુલર છે કે એમએસએમઇના સ્ટ્રેસ્ડ લોન એકાઉન્ટ્સને નોન-પરફોર્મિંગ એસેટ્સ તરીકે જાહેર કરવામાં ના આવે.

તેમણે જણાવ્યું હતું કે બેન્કોને આ સરક્યુલરને અનુસરવાનો તથા કોઈ પણ એમએસએમઇ સ્ટ્રેસ લોનને માર્ચ 2020 સુધી એનપીએ જાહેર નહીં કરવા આદેશ કરવામાં આવ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો