એપશહેર

એડલવાઈઝ ટોકિયો લાઈફ ગુજરાતમાં પોતાનું વિસ્તરણ વધારવા માટે સજ્જ

Gaurang Joshi | I am Gujarat 15 Nov 2019, 9:35 pm
અમદાવાદઃ એડલવાઈઝ ટોકિયો લાઈફ ઈન્સ્યોરન્સ ઘણી ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે. હવે કંપનીનો લક્ષ્યાંક ગુજરાતમાં પોતાના મૂળિયા વધારે મજબૂત બનાવવાનો છે. એડલવાઈઝ ટોકિયો લાઈફનો પ્રથમ પ્રીમિયમનો ગ્રોથ ગત નાણાં વર્ષમાં 36 ટકાનો હતો જે ઉદ્યોગના નવ ટકાના ગ્રોથ કરતા ઘણો ઊંચો છે. એડલવાઈઝ ટોકિયો લાઈફ ઈન્સ્યોરન્સના ચીફ રિટેલ ઓફિસર અનુપ શેઠે જણાવ્યું હતું કે ગુજરાતનું બજાર અમારા માટે ઘણું મહત્વનું છે. અમે ફક્ત એજન્સીઓ અને ડાયરેક્ટ ચેનલ્સ જ નહીં પરંતુ બ્રોકર્સ અને કોર્પોરેટ એજન્ટ્સ સાથે અમારી ભાગીદારીને વધારે મજબૂત બનાવીએ છીએ. અમે ગુણવત્તામાં માનીએ છીએ અને તેથી જ અમે ગ્રાહકલક્ષી પ્લાન લઈને આવીએ છીએ. અમે ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છીએ અને તેથી જ ગુજરાતમાં અમારું 17થી 18 ટકા જેટલું વેચાણ વધ્યું છે. નોંધનીય છે કે એડલવાઈઝ ટોકિયો લાઈફ સમાજમાં એક નવી જાગૃતતા લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તે છે અંગદાન અંગેની જાગૃતતા. કંપનીએ આ વાતને સમજવા માટે એક સંશોધન પણ કર્યું હતું જે અંતર્ગત અમદાવાદમાં ફક્ત 10 ટકા લોકોએ જ તેમના મૃત્યુ બાદ અંગદાનની તૈયારીઓ દર્શાવી છે. જોકે, કંપની સમાજમાં આ અંગે જાગૃતતા વધે તે માટે પ્રયાસો કરી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો