એપશહેર

ફેમસ ખાદ્યતેલ બ્રાન્ડ 'તિરુપતિ'ના માલિક નિલેશ પટેલનું હાર્ટ એટેકથી અવસાન

જ્યારથી એન કે પ્રોટિનની શરુઆત થઈ હતી ત્યારથી જ નિલેશ પટેલ કંપની સાથે મુખ્ય રીતે જોડાયેલા હતાં. કંપનીને આજે જે સ્થાન છે ત્યાં પહોંચાડવામાં તેમનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો હતો.

I am Gujarat 16 Aug 2020, 10:33 pm
અમદાવાદઃ ફેમસ ખાદ્યતેલ બ્રાન્ડ 'તિરુપતિ' ઓઈલના માલિક નિલેશ પટેલનું હાર્ટ એેટેકથી અવસાન થયું છે. રવિવારે બપોરે અચાનક જ તેમને એટેક આવ્યો હતો. તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલા જ તેમનું અવસાન થયું હતું. નિલેશ પટેલ એન કે પ્રોટિનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત હતાં. જ્યારથી એન કે પ્રોટિનની શરુઆત થઈ હતી ત્યારથી જ નિલેશ પટેલ કંપની સાથે મુખ્ય રીતે જોડાયેલા હતાં. કંપનીને આજે જે સ્થાન છે ત્યાં પહોંચાડવામાં તેમનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો હતો.
I am Gujarat edible oil brand tirupati owner nilesh patel passes away
ફેમસ ખાદ્યતેલ બ્રાન્ડ 'તિરુપતિ'ના માલિક નિલેશ પટેલનું હાર્ટ એટેકથી અવસાન


1992થી થઈ હતી શરુઆત
એન કે પ્રોટિનની શરુઆત 1992થી થઈ હતી. જ્યારથી કંપનીની શરુઆત થઈ ત્યારથી જ નિલેશ પટેલ કંપની સાથે મહત્વપૂર્ણ રીતે જોડાયેલા રહ્યાં હતાં. કંપનીની શરુઆતમાં તેઓ પ્રોડક્શનને અનુલક્ષીને દેખરેખ સંભાળતા હતાં. કંપનીને ટેક્નીકલ રીતે તમામ બાબતો પૂરી પાડવામાં અને અપગ્રેડ કરવામાં પણ નિલેશ પટેલનો મહત્વનો ફાળો રહ્યો છે.

900 કરોડ રુપિયાના કૌભાંડમાં હતા આરોપી
નોંધનીય છે કે, 2012માં નિલેશ પટેલ ઉપર 900 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવાનો આરોપ લાગ્યો હતો. NSELના તોતિંગ કૌભાંડમાં સેબી દ્વારા નિલેશ પટેલની પૂછપરછ થઈ હતી. આ ઉપરાંત તેમને આ કેસમાં સજા પણ થઈ હતી. જોકે, વર્ષ 2013માં તેમને જામીન મળતા છૂટકારો થયો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો