એપશહેર

સરકારનાં પગલાંથી રૂપિયામાં ઘટાડો ન અટકે તેવી ધારણા: મૂડીઝ

I am Gujarat 25 Sep 2018, 2:25 pm
65945521 નવી દિલ્હી:રૂપિયાને ગબડતો અટકાવવા માટેની સરકારની પાંચ મુદ્દાની વ્યૂહરચનાથી તેનું ધોવાણ ન અટકે તેવી ધારણા છે, જોકે રાજકોષીય ખાધના લક્ષ્યાંક માટેની સરકારની પ્રતિબદ્ધતા ક્રેડિટ રેટિંગ માટે પોઝિટિવ છે, એમ મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસિસે જણાવ્યું હતું.
I am Gujarat forex 26
સરકારનાં પગલાંથી રૂપિયામાં ઘટાડો ન અટકે તેવી ધારણા: મૂડીઝ


સરકારના અંદાજ મુજબ પાંચ મુદ્દાની વ્યૂહરચનાથી ચાલુ નાણાકીય વર્ષમાં 8થી 10 અબજ ડોલર અથવા જીડીપીના 0.3થી 0.4 ટકા નાણાપ્રવાહ આવશે. સરકારે મલાસા બોન્ડમાં વિથહોલ્ડિંગ ટેક્સમાં માફી, બેન્કોને માર્કેટમેકર્સની સુવિધા જેવાં પગલાંની જાહેરાત કરી છે. સરકારે બિનઆવશ્યક ચીજવસ્તુઓની આયાત પર નિયંત્રણની પણ યોજના બનાવી છે. સરકાર ચાલુ વર્ષ માટે રાજકોષીય ખાધના લક્ષ્યાંકને પણ વળગી રહી છે.

મૂડીઝે જણાવ્યું હતું કે, “આ પગલાંથી ભારતના ક્રેડિટ રેટિંગને પોઝિટિવ સપોર્ટ મળશે, પરંતુ તેનાથી રૂપિયામાં ઘટાડો ન અટકે તેવી ધારણા છે.” જાન્યુઆરી ૨૦૧૮થી ડોલર સામે રૂપિયો આશરે 13 ટકા ગબડ્યો છે. રૂપિયો 21 સપ્ટેમ્બરના રોજ 72.1ના સ્તરે હતો.

મૂડીઝે જણાવ્યું હતું કે ભારતના મજબૂત ફંડામેન્ટલને કારણે નબળા ચલણથી રેટિંગને અસર થશે નહીં. આ પગલાંથી નાણાપ્રવાહને પોઝિટિવ અસર થતાં સમય લાગશે. વધુમાં હેજિંગ જરૂરિયાતને દૂર કરવાના નિર્ણયથી રૂપિયા પર ટૂંકા ગાળાનું દબાણ ઘટશે.

બિનઆવશ્યક ચીજવસ્તુઓની આયાત પર નિયંત્રણનાં પગલાંથી આયાત બિલમાં ઘટાડો કરવામાં મદદ મળી શકે છે, પરંતુ તેની અસર આવતાં સમય લાગશે. 2013ની સરખામણીમાં હાલમાં ચાલુ ખાતાની ખાધ ઘણી ઓછી છે. 2013માં ભારતની ચાલુ ખાતાની ખાધ (સીએડી) જીડીપી પાંચ ટકા હતી. 2013માં મેથી ઓગસ્ટ દરમિયાન રૂપિયામાં આશરે 20 ટકા ધોવાણ થયું હતું. એપ્રિલ જૂન ક્વાર્ટરમાં ભારતની સીએડી જીડીપીના 2.4 ટકા હતી.

]]>

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો