નવી દિલ્હીઃ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સહિત અન્ય નાની બચત પર સરકારે જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટર માટે વ્યાજ દરમાં 0.10 ટકા ઘટાડો કર્યો છે. બેન્કિંગ ક્ષેત્રે વ્યાજ દર ઘટી રહ્યા હોવાથી સરકારે આ પગલુ ભર્યું છે. ભારતીય રિઝર્વ બેન્ક પોતાના નીતિગત દરમાં 0.75 ટકા ઘટાડો કરી ચૂકી છે. હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો ભારત સરકારે સેવિંગ્સ એકાઉન્ટને છોડીને પોસ્ટ ઑફિસની બધી જ યોજનામાં વ્યાજમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. સેવિંગ્સ એકાઉન્ટ પર વર્ષે 4 ટકા વ્યાજ મળશે. નાણાંમંત્રાલયે 2019-20ના બીજા ક્વાર્ટર માટે વ્યાજના દર જાહેર કર્યા છે. PPF અને NSC પર વ્યાજઃ આ કપાત બાદ PPF અને NSC પર વાર્ષિક વ્યાજ દર 7.9 ટકા થશે. અત્યારે આ દર 8 ટકા છે. જે લોકો 113 મહિનાની મેચ્યોરિટી વાળા કિસાન વિકાસ પત્રમાં પૈસા રોકે છે તેમને 7.6 ટકા વ્યાજ મળશે. હાલ આ દર 7.7 ટકા જેટલો છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાઃ સુકન્યા સમૃદ્ધિ ખખાતા પર હવે 8.5 ટકાને બદલે 8.4 ટકા વ્યાજ મળશે. એકથી ત્રણ વર્ષના ગાળા માટે રકમ જમા કરાવવા પર 6.9 ટકા અને પાંચ વર્ષના ગાળા માટે 7.7 ટકા વ્યાજ મળશે. સીનિયર સીટિઝન સેવિંગ્સ સ્કીમ પર 8.7 ટકાના બદલે 8.6 ટકા વ્યાજ મળશે.
PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હવે ઓછું વ્યાજ મળશે, પૈસા રોક્યા હોય તો ખાસ વાંચો
I am Gujarat 29 Jun 2019, 11:38 am