દીપશિખા સિકરવાર
નવી દિલ્હી:સરકાર કરચોરોને પકડવા અને બ્લેક મની સ્કીમની ૩૦ સપ્ટેમ્બરની મુદત પહેલાં કાળાં નાણાં કઢાવવા વિવિધ આંતરરાષ્ટ્રીય ટેક્સ કરાર હેઠળ એકત્ર માહિતીનો ઉપયોગ કરશે. આવકવેરા વિભાગ અમેરિકાના ફોરેન એકાઉન્ટ ટેક્સ કમ્પ્લાયન્સ એક્ટ (FATCA) અને અન્ય ટેક્સ કરાર હેઠળ મળેલી માહિતીના આધારે કરચોરોને લેખિતમાં જાણ કરશે.
આવકવેરા ખાતાનો હેતુ બેહિસાબી આવક જાહેર કરવાની તક આપવાનો છે. એક ટેક્સ અધિકારીએ જણાવ્યું હતું કે, “ટેક્સ સત્તાવાળાને અન્ય દેશો સહિત વિવિધ સ્રોત તરફથી માહિતી મળે છે. વિભાગ પાસે જરૂરી માહિતી છે તેની જાણ તે કરચોરોને કરવા માંગે છે. આવકના સ્રોત બેહિસાબી હશે તો આગામી સમયમાં તેને જાહેર કરવાનો સમય છે.”
આવકવેરા વિભાગના પત્રો લોકોને બ્લેક મનીની નવી વિન્ડો હેઠળ આવકની જાહેરાત કરવા ગેરલાયક નહીં ઠેરવે. કારણ કે તે ટેક્સ વિભાગ દ્વારા ઇશ્યૂ કરાયેલી ઔપચારિક નોટિસનો ભાગ નથી. આ પ્રકારની નોટિસ માત્ર બેહિસાબી ટ્રાન્ઝેક્શન તરફ ઇશારો કરે છે અને લોકોને એ આવક અંગે સ્પષ્ટતા કરી બાકીનો ટેક્સ ભરવા જણાવે છે. અધિકારીના જણાવ્યા અનુસાર બ્લેક મની વિન્ડો આવકની સ્વૈચ્છિક જાહેરાત કરવાની છેલ્લી તક છે.
તાજેતરમાં ઇન્કમટેક્સ ચીફ કમિશનર્સની વાર્ષિક પરિષદમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. વડાપ્રધાને રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં લોકોને પ્રામાણિક બનીને તેમનો ટેક્સ ચૂકવી દેવા માટે અપીલ કરી હતી.ભારતે અમેરિકા પાસેથી FATCA હેઠળ માહિતી મેળવી છે અને અન્ય છ દેશો સાથે પણ માહિતીનું આદાનપ્રદાન કર્યું છે.
સરકારે ચાલુ વર્ષમાં સ્થાનિક કાળાં નાણાં બહાર લાવવા માટે નવી સ્કીમની બજેટમાં જાહેરાત કરી હતી. કાળું નાણું જાહેર કરવા માટે ચાર મહિનાની વિન્ડો આપવામાં આવી છે જે 1 જૂનથી શરૂ થઈ છે. તેમાં લોકો ટેક્સ, પેનલ્ટી અને ફેર માર્કેટ વેલ્યૂના ૪૫ ટકા સુધીનું સરચાર્જ ચૂકવીને સ્વચ્છ થઈ શકે છે અને તેમની સામે તપાસ નહીં થાય.
આ સ્કીમમાં 31 મે 2016 અગાઉ જેમાં નોટિસ આપવામાં આવી હોય તે એસેસમેન્ટ વર્ષની આવકને લાગુ નહીં પડે. આગળ જતાં વિવિધ ટેક્સ ઇન્ફોર્મેશન સ્કીમ હેઠળ મેળવાયેલી માહિતી પરથી કાળાં નાણાં અને ટેક્સ ચોર સામે કાર્યવાહી કરવામાં આવશે. જાન્યુઆરી ૨૦૧૭થી વૈશ્વિક ઇન્ફોર્મેશન એગ્રીમેન્ટ થવાના છે, જેમાં વધારે દેશોને સામેલ કરવામાં આવશે અને તેનાથી વૈશ્વિક સ્તરે કાળાં નાણાં સામે મોટા પાયે કાર્યવાહી કરી શકાશે. ભાજપે ચૂંટણીપ્રચાર દરમિયાન કાળાં નાણાં સામે પગલાં લેવાનું વચન આપ્યું હતું અને આ અંગે એસઆઇટીની રચના કરી છે.
નવી દિલ્હી:સરકાર કરચોરોને પકડવા અને બ્લેક મની સ્કીમની ૩૦ સપ્ટેમ્બરની મુદત પહેલાં કાળાં નાણાં કઢાવવા વિવિધ આંતરરાષ્ટ્રીય ટેક્સ કરાર હેઠળ એકત્ર માહિતીનો ઉપયોગ કરશે. આવકવેરા વિભાગ અમેરિકાના ફોરેન એકાઉન્ટ ટેક્સ કમ્પ્લાયન્સ એક્ટ (FATCA) અને અન્ય ટેક્સ કરાર હેઠળ મળેલી માહિતીના આધારે કરચોરોને લેખિતમાં જાણ કરશે.
આવકવેરા ખાતાનો હેતુ બેહિસાબી આવક જાહેર કરવાની તક આપવાનો છે. એક ટેક્સ અધિકારીએ જણાવ્યું હતું કે, “ટેક્સ સત્તાવાળાને અન્ય દેશો સહિત વિવિધ સ્રોત તરફથી માહિતી મળે છે. વિભાગ પાસે જરૂરી માહિતી છે તેની જાણ તે કરચોરોને કરવા માંગે છે. આવકના સ્રોત બેહિસાબી હશે તો આગામી સમયમાં તેને જાહેર કરવાનો સમય છે.”
આવકવેરા વિભાગના પત્રો લોકોને બ્લેક મનીની નવી વિન્ડો હેઠળ આવકની જાહેરાત કરવા ગેરલાયક નહીં ઠેરવે. કારણ કે તે ટેક્સ વિભાગ દ્વારા ઇશ્યૂ કરાયેલી ઔપચારિક નોટિસનો ભાગ નથી. આ પ્રકારની નોટિસ માત્ર બેહિસાબી ટ્રાન્ઝેક્શન તરફ ઇશારો કરે છે અને લોકોને એ આવક અંગે સ્પષ્ટતા કરી બાકીનો ટેક્સ ભરવા જણાવે છે. અધિકારીના જણાવ્યા અનુસાર બ્લેક મની વિન્ડો આવકની સ્વૈચ્છિક જાહેરાત કરવાની છેલ્લી તક છે.
તાજેતરમાં ઇન્કમટેક્સ ચીફ કમિશનર્સની વાર્ષિક પરિષદમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. વડાપ્રધાને રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં લોકોને પ્રામાણિક બનીને તેમનો ટેક્સ ચૂકવી દેવા માટે અપીલ કરી હતી.ભારતે અમેરિકા પાસેથી FATCA હેઠળ માહિતી મેળવી છે અને અન્ય છ દેશો સાથે પણ માહિતીનું આદાનપ્રદાન કર્યું છે.
સરકારે ચાલુ વર્ષમાં સ્થાનિક કાળાં નાણાં બહાર લાવવા માટે નવી સ્કીમની બજેટમાં જાહેરાત કરી હતી. કાળું નાણું જાહેર કરવા માટે ચાર મહિનાની વિન્ડો આપવામાં આવી છે જે 1 જૂનથી શરૂ થઈ છે. તેમાં લોકો ટેક્સ, પેનલ્ટી અને ફેર માર્કેટ વેલ્યૂના ૪૫ ટકા સુધીનું સરચાર્જ ચૂકવીને સ્વચ્છ થઈ શકે છે અને તેમની સામે તપાસ નહીં થાય.
આ સ્કીમમાં 31 મે 2016 અગાઉ જેમાં નોટિસ આપવામાં આવી હોય તે એસેસમેન્ટ વર્ષની આવકને લાગુ નહીં પડે. આગળ જતાં વિવિધ ટેક્સ ઇન્ફોર્મેશન સ્કીમ હેઠળ મેળવાયેલી માહિતી પરથી કાળાં નાણાં અને ટેક્સ ચોર સામે કાર્યવાહી કરવામાં આવશે. જાન્યુઆરી ૨૦૧૭થી વૈશ્વિક ઇન્ફોર્મેશન એગ્રીમેન્ટ થવાના છે, જેમાં વધારે દેશોને સામેલ કરવામાં આવશે અને તેનાથી વૈશ્વિક સ્તરે કાળાં નાણાં સામે મોટા પાયે કાર્યવાહી કરી શકાશે. ભાજપે ચૂંટણીપ્રચાર દરમિયાન કાળાં નાણાં સામે પગલાં લેવાનું વચન આપ્યું હતું અને આ અંગે એસઆઇટીની રચના કરી છે.