એપશહેર

તહેવારોની સીઝન પહેલા આજથી સસ્તુ સોનું ખરીદવાનો મોકો, ફરી એકવાર સરકાર લાવી સ્કીમ

તહેવારોની સીઝન પહેલા ફરી એકવાર સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના લઈને આવી છે સરકાર, આ વખતે વધુ સસ્તા છે બોન્ડ.

I am Gujarat 12 Oct 2020, 9:13 am
નવી દિલ્હીઃ સરકાર એકવાર ફરી તમારા માટે સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે. સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ (Sovereign Gold Bond Scheme) હેઠળ સાતમી સિરીઝ જારી કરવા જઈ રહી છે. સોવરેન ગોલ્ડ બોન્ડનું સબ્સક્રિપ્શન 12 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર વચ્ચે લઈ શકાય છે. તો સેટલમેન્ટ ડેટ 20 ઓક્ટોબર છે. રિઝર્વ બેન્કની સહમતિ બાદ જે રોકાણકાર ઓનલાઇન રોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદશે તેને 50 રૂપિયાની છૂટ મળશે. તે માટે ઓનલાઇન પેમેન્ટ કરવું પડશે.
I am Gujarat government launch sovereign gold bond scheme seven series with festive season chance to buy cheaper gold
તહેવારોની સીઝન પહેલા આજથી સસ્તુ સોનું ખરીદવાનો મોકો, ફરી એકવાર સરકાર લાવી સ્કીમ


આટલી હશે કિંમત

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ એક નિવેદનમાં કહ્યું કે, ગોલ્ડ બોન્ડનું મૂલ્ય 5051 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવ્યું છે. ઓનલાઇન ખરીદનાર માટે કિંમત 5001 રૂપિયા પ્રતિ ગ્રામ હશે. આ પહેલા બોન્ડ સિરીઝ-6ની ઈશ્યૂ પ્રાઇઝ 5117 રૂપિયા પ્રતિ ગ્રામ હતી અને તે સબ્સક્રિપ્શન 31 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ખુલ્યું હતું. સરકાર તરફથી ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સોવરેન ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવે છે.

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ, સોનામાં રોકાણ કરવાની સ્કીમ છે જેને ભારત સરકાર તરફથી ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સોનાની ફિઝિકલ માગને ઘટાડવાનો છે જેથી ભારતના સોનાની આયાતને ઓછી કરી શકાય. આ સ્કીમ 2015થી શરૂ થઈ હતી.

કોણ કરી શકે છે રોકાણ

સોવરેન ગોલ્ડ બોન્ડમાં તે વ્યક્તિ રોકાણ કરી શકે છે જે ભારતમાં રહેતો હોય, તે પોતાના માટે, કોઈ બીજી વ્યક્તિ સાથે સંયુક્ત રૂપથી બોન્ડ ધારક થઈ શકે છે કે પછી સગીર તરફથી પણ આ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. ધ્યાનમાં રહે કે ભારતમાં નિવાસ કરનાર વ્યક્તિને વિદેશી મુદ્રા મેનેજમેન્ટ, અધિનિયમ 1999ની કલમ 2(યૂ)ની સાથે વિભાગ કલમ 2(વી) હેઠળ પરિભાષિત કરવામાં આવ્યો છે. તેમાં બોન્ડ ધારકના રૂપમાં વિશ્વવિદ્યાલય, ધર્મ સંસ્થાઓ કે કોઈ ટ્રસ્ટ પણ હોઈ શકે છે.

રોકાણ કરવાના છે ઘણા ફાયદા

સોવરેન ગોલ્ડ બોન્ડનો ઉપયોગ કર્જ લેવા માટે કોલેટરલના રૂપમાં કરી શકાય છે. આ બોન્ડ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવે છે તેથી રોકાણકાર આ જોખમથી બચી શકે છે કે બોન્ડ ઈશ્યૂ કરનારી કંપની નાદાર કે ભાગી ન જાય. આ બોન્ડને એક્સચેન્જોમાં ટ્રેડ કરી શકાય છે, જેથી રોકાણકાર સમયથી પહેલા ઈચ્છે તો એક્ઝિટ કરી શકે છે. તેમાં સોનાની કિંમતોમાં વધારા સિવાય રોકાણકારને 2.5 ટકાના દરે વધારાનું વ્યાજ મળે છે.

Read Next Story