એપશહેર

LPG સબસિડી: સરકારે 21,000 કરોડ રુપિયા બચાવ્યા

I am Gujarat 21 Jul 2016, 11:03 am
નવિ દિલ્હી: કેન્દ્ર સરકારે કહ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(ડીબીટી) સ્કીમ અંતર્ગત એલપીજી સિલિન્ડરની સબ્સિડીના પૈસા સીધાં લાભાર્થીઓના બેન્ક અકાઉન્ટમાં નાખવાથી બે વર્ષમાં 21,000 કરોડ રુપિયાની બચત થઈ છે. બચતની રકમનો મોટો ભાગ નકલી અને નિષ્ક્રીય ઘરેલુ એલપીજી કનેક્શનો બંધ કરવાથી આવ્યો છે.
I am Gujarat government says rs 21000 crore saved in lpg subsidy under dbt scheme
LPG સબસિડી: સરકારે 21,000 કરોડ રુપિયા બચાવ્યા


સરકારના કહ્યા પ્રમાણે, વર્ષ 2014-15માં સરેસાશ 368.72 રુપિયા પ્રતિ સિલિન્ડરના દરે લાગૂ સબ્સિડીને ધ્યાનમાં રાખતા 3.34 કરોડ ખોટા ગ્રાહકોને લગભગ 14,818.4 કરોડ રુપિયા ગયા હશે. આ રીતે વર્ષ 2015-16માં 6443 કરોડ રુપિયાની બચત થઈ છે.

ઑઈલ મિનિસ્ટ્રી તરફથી કરવામાં આવેલા એક બયાનમાં કહેવામાં આવ્યું છે કે, એલપીજી માટે ડીબીટી મિકેનીઝમ લાગુ થવાથી 3.34 કરોડ એલપીજી કનેક્શનો બંધ કરવા શક્ય બન્યા છે કારણકે સબ્સિડી માત્ર એ જ ગ્રાહકોના ખાતાઓમાં ટ્રાન્સફર થાય છે જેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને જે ગ્રાહકો નકલી નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો