એપશહેર

હવે 1 વર્ષની નોકરી પર ગ્રેજ્યુઈટી આપવાની તૈયારી, લાખો લોકોને થશે ફાયદો!

Yogesh Gajjar | I am Gujarat 31 Oct 2019, 8:24 am
મોદી સરકાર જલ્દી જ નોકરિયાત લોકોનો મોટી ખુશખબર આપી શકે છે. ખાસ કરીને પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરી રહેલા લોકોને સરકારના આ નિર્ણયથી મોટો ફાયદો થશે. જાણકારી મુજબ સરકાર સોશિયલ સિક્યોરિટી એન્ડ ગ્રેજ્યુઈટીના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. હકીકતમાં હાલમાં ગ્રેજ્યુઈટી માટે એક કંપનીમાં ઓછામાં સતત 5 વર્ષ સુધી કામ કરવું પડે છે. પરંતુ સરકાર તેમાં ફેરફાર કરીને સામાન્ય નોકરિયાત લોકોને રાહત આપવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સરકાર ગ્રેજ્યુઆટી માટે 5 વર્ષના સમયને ઘટાડીને હવે માત્ર 1 વર્ષ કરવા ઈચ્છે છે. જાણકારી મુજબ સરકાર આગામી સંસદના શિયાળુસત્ર દરમિયાન આ મુદ્દા સાથે જોડાયેલું બિલ રજૂ કરી શકે છે. આ નિર્ણયથી એવા લોકોને ફાયદો થશે જેઓ એક વર્ષ બાદ નોકરી બદલે છે. નવા નિયમ બાદ એક વર્ષ બાદ નોકરી બદલા પર તેમને ગ્રેજ્યુઈટીની રકમ મળશે. આ પણ વાંચો: જાણો શું હોય છે ગ્રેજ્યુઈટીના નિયમો અને કેવી રીતે થાય છે તેની ગણતરી? પ્રાઈવેટ કર્મચારીઓને ફાયદો જોકે સરકાર તરફથી હજુ સુધી આ મામલે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. હાલના સમયમાં ગ્રેજ્યુઈટીનો સમય 5 વર્ષ છે. શું હોય છે ગ્રેજ્યુઈટી? ગ્રેજ્યુઈટી કંપની તરફથી કર્મચારીઓને અપાય છે. ગ્રેજ્યુઈટીની મહત્તમ સીમા 20 લાખ રૂપિયા હોય છે. હાલમાં ગ્રેજ્યુઆટી કર્મચારીને ત્યારે જ મળે છે ત્યારે તે એક કંપનીમાં 5 વર્ષ સુધી કામ કરે. જોકે મૃત્યુ અથવા કામ કરવામાં અક્ષમ થઈ જવા પર પણ ગ્રેજ્યુઈટીની રકમ 30 દિવસની અંદર મળી શકે છે. જો નિયમ સમયમાં આવું ન થાય તો કર્મચારીને સરકાર દ્વારા નક્કી કરાયેલા વ્યાજ સાથે ગ્રેજ્યુઈટીની રકમ ચૂકવવી પડે છે. કેવી રીતે નક્કી થાય છે ગ્રેજ્યુઈટી? તમને કેટલી ગ્રેજ્યુઈટીની રકમ મળશે તે બે બાબતો પર આધાર રાખે છે. પહેલું તમે કંપનીમાં કેટલા વર્ષો સુધી કામ કર્યું. અને બીજું તમારી અંતિમ સેલેરી કેટલી હતી. તેમાં સર્વિસના દર વર્ષના અંતિમ 15 દિવસની સેલેરીનો હિસાબ ગણવામાં આવે છે. સેલેરીમાં તમારું બેસિક અને DA પણ શામેલ હોય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો