એપશહેર

GSTમાં આવકની ઘટ પૂરવા નવ મુદ્દાની યોજના

I am Gujarat 10 Jan 2020, 11:20 am
73153576 નવી દિલ્હી:જીએસટી લાગુ થયા બાદ આવકની ઘટ પૂરવા માટે ભારતે નવ મુદ્દાનો એક ચુસ્ત કાર્યક્રમ તૈયાર કર્યો છે. તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સ અધિકારીઓની એક પેનલ રચવામાં આવશે જે રિફંડની છેતરપિંડીને પકડવા માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પદ્ધતિ નક્કી કરશે.
I am Gujarat gst 110
GSTમાં આવકની ઘટ પૂરવા નવ મુદ્દાની યોજના


રાજ્યોના ચીફ કમિશનર્સ અને સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ વચ્ચેની આખો દિવસ ચાલેલી બેઠક બાદ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. બેઠકનું અધ્યક્ષપદ રેવન્યૂ સચિવ અજય પાંડેએ સંભાળ્યું હતું.

જીએસટી કાઉન્સિલ સેક્રેટરિયેટે નિવેદનમાં જણાવ્યું કે, “કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓની સમિતિ એક સપ્તાહમાં વિગતવાર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જાહેર કરશે જેનો જાન્યુઆરીના અંતથી દેશભરમાં અમલ કરવામાં આવી શકે છે.”

રિફંડના બનાવટી ક્લેમના કારણે તંત્ર પરેશાન હોવાથી સમિતિનો મુખ્ય હેતુ આવા દાવાની ખરાઈ કરવાનો છે. આ ઉપરાંત ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર રિફંડ ક્લેમ અને જીએસટીની ચોરી ચિંતાજનક મુદ્દા છે.

ફોરેન એક્સ્ચેન્જ રેમિટન્સને ઇન્ટિગ્રેટેડ જીએસટી રિફંડ સાથે સાંકળવાનું પગલું લેવાય તેવી શક્યતા છે જેથી જોખમી નિકાસકારોના બનાવટી ક્લેમ અટકાવી શકાય. આ ઉપરાંત વિદેશી રેમિટન્સ રિસીપ્ટ અને રિફંડ ડિસ્બર્ઝમેન્ટ માટે સિંગલ બેન્ક એકાઉન્ટની વિચારણા ચાલે છે.

આ ઉપરાંત જીએસટી નેટવર્ક, સીબીડીટી અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ પોતાના ડેટાને એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ દ્વારા શેર કરશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો