એપશહેર

હોમ લોન મોંઘી કરવાની તૈયારીમાં છે HDFC બેંક?

Mitesh Purohit | TNN 26 Apr 2018, 8:32 am
I am Gujarat hdfc hikes interest rate in result loan rate will also increase
હોમ લોન મોંઘી કરવાની તૈયારીમાં છે HDFC બેંક?


FDના વ્યાજ દરમાં વધારો કરાતા હવે હોમ લોન પણ બનશે મોંઘી

મુંબઈઃ HDFC બેંક દ્વારા પોતાની પાસે ડીપોઝિટ વધે તે માટે લોકોને આકર્ષવા FDના પરના વ્યાજ દરમાં 100 બેસિસ પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે. બેંકિંગ સેક્ટરમાં 100 બેસિસ પોઇન્ટ એટલે 1 પર્સન્ટેજ થાય છે. જેના પગલે બેંક હવે 1 વર્ષથી વધુની બધી જ ડીપોઝિટ પર 7% જેટલું વ્યાજ આપશે.. જ્યારે સિનિયર સિટિઝનને 7.5% જેટલું વ્યાજ મળશે. તેમજ રુ. 1 કરોડથી વધુ જમા કરાવનાર વ્યક્તિને તેનાથી પણ વધુ વ્યાજ આપશે.

બેંકોમાં ડીપોઝિટની રકમ ઘટતા, લોકોને આકર્ષવા વ્યાજ દરમાં વધારો

હાલ દેશની તમામ બેંકોમાં રહેલી કુલ ડિપોઝિટના 7% HDFC બેંક પાસે છે. જેને રુપિયામાં જોવામાં આવે તો આ આંકડો 7.9 લાખ કરોડ જેટલો પહોંચે છે. નોંધનીય છે કે દેશની સૌથી મોટી બેંક SBI દ્વારા ફેબ્રુઆરીમાં પોતાના ડીપોઝિટ રેટમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો કરાયા બાદ તમામ બેંકો ડીપોઝિટ રેટમાં વધારો કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. બેંકોએ આ પગલું એટલા માટે ભર્યું છે કે તેમની પાસે આવતી ડીપોઝિટની રકમમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ક્રેડિટ રેટમાં વધારો થઈ રહ્યો છે.

બેંકોની કુલ ડીપોઝિટની સામે એડવાન્સ વધી રહ્યું છે

દેશની બેંક રેગ્યુલેટરી ઓથોરિટી RBI દ્વારા જાહેર કરવામા આવેલ આંકડા મુજબ 30 માર્ચ 2018ના દિવસે દેશની તમામ બેંકો પાસે કુલ મળીને 115 લાખ કરોડની ડીપોઝિટ છે. જે ગત નાણાકીંય વર્ષના ગ્રોથ રેટ 15.3%ની સામે 6.7% જેટલી વધી છે. જોકે તેની સામે બેંકની ઉધારી પણ ગત વર્ષના 8.2%ની સામે વધીને 10.3% જેટલી થઈ ગઈ છે.

આ કારણે હોમ લોનના વ્યાજદરમાં થશે વધારો

આ સમાચાર નાણાં રોકાણ કરતા લોકો માટે સારા છે તો તેની સામે જેમને લોન લેવાની છે તેમના માટે નુકસાનકર્તા છે. કેમ કે જ્યારથી માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ(MCLR) અને કોસ્ટ ઓફ ફંડ એકબીજા સાથે લિંક્ડ કરી દેવામાં આવ્યા હોઈ ડીપોઝિટ રેટ ઉંચે જતા લોનના વ્યાજ દર પણ ઉંચ જશે. જોકે આ નવા રેટ ફક્ત રીન્યુઅલ પર જ અપ્યાલ થશે.

નોટબંધી બાદ લોકો રુપિયા ઉપાડે છે જમા ઓછા કરાવે છે

બેંકોમાં ડીપોઝિટ ઓછી થવા પાછળ મુખ્ય કારણ એ છે કે ડિમોનેટાઇઝેશન બાદ ગ્રાહકો બેંકોમાંથી સતત પૈસા કાઢી રહ્યા છે અને આ પૈસા અર્થવ્યવસ્થામાં ફરી રહ્યા છે. જોકે અર્થતંત્રમાં પૈસો ફરે તે સારો અને બેઝિક રુલ છે પરંતુ તેની સામે લોકો આ પૈસાનું રોકાણ કરતા અટકી ગયા છે. જેના કારણે બેંકિંગ સેક્ટરમાં રહેલી વધારાની લિક્વિડિટીનું ધોવાણ થયું છે. તો બીજી બાજુ મોંઘવારીને કંટ્રોલમાં લેવા માટે RBI પણ રેટમાં વધારો કરે તેવી શક્યતા જોવાઈ રહી છે જેના કારણે વ્યાજ દરો પર ભારણ વધશે.

લોકસભાની ચૂંટણીને લઈ સરકાર કરી શકે છે વધારાની રાહતની જાહેરાત

એક્સિસ બેંકના ચીફ ઈકોનોમિસ્ટ પૃથ્વીરાજ શ્રીનિવાસે કહ્યું કે, ‘આ સરકાર ખેત પેદાશોના ટેકાના ભાવ વધારવા બાબતે અત્યાર સુધી ખૂબ જ દાબમાં રહી છે. પરંતુ દેશની સામાન્ય ચૂંટણી નજીક હોવાથી એવી શક્યતા જોવાઈ રહી છે કે ચૂંટણીલક્ષી વધુને વધુ ફાયદો લોકોને મળે તેવી યોજના કરવામાં આવશે જેના કારણે દેશના અર્થતંત્રને અસરકર્તા કેટલીક મહત્વૂર્ણ બાબતોને પણ ઇગ્નોર કરવામાં આવી શકે છે.’

રુપિયા પડી રહ્યો છે સતત નબળો

તો બીજી બાજુ ફુગાવાનો દર વધતા રુપિયો સતત નબળો પડી રહ્યો છે. પાછલા એક વર્ષમાં રુપિયાની કિંમત 4% જેટલી ઘટી ગઈ છે. જેની સીધી અસર દેશમાં આવતા ઇમ્પોર્ટેડ આઇટમ્સના ભાવ પર જોવા મળે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો