71406334 નવી દિલ્હી:કોર્પોરેટ બાબતોના મંત્રાલયે હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (એચડીઆઇએલ)ના મામલે તપાસનો આરંભ કર્યો છે તેમ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું.
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક ખાતે જે કટોકટી સર્જાઈ છે તેના કેન્દ્રમાં એચડીઆઇએલ છે. બેન્કની કુલ લોન બૂકના 73 ટકા અથવા આશરે ₹6,226 કરોડની લોન એચડીઆઇએલને આપવામાં આવી હતી અને તેનું ડિસ્ક્લોઝર કરવામાં આવ્યું ન હતું.
ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નિયમનકારી મર્યાદા પ્રમાણે બેન્ક તેના મૂડીભંડોળના મહત્તમ 15 ટકા રોકાણ કોઈ સિંગલ એન્ટિટીમાં કરી શકે છે.એક વરિષ્ઠ સરકારી અધિકારીએ ઓળખ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, “આ બાબત અત્યંત સ્વાભાવિક છે કે બેન્ક વર્ષો સુધી ચોક્કસ કંપનીને વધારે પડતા ધિરાણના કારણે ડૂબી રહી હોય તો પછી હવે આ સ્થિતિનો કેવી રીતે સામનો કરે તે જોવાની જરૂર છે.”
મુંબઈ સ્થિત પીએમસી બેન્ક સાત રાજ્યોમાં પોતાની શાખા ધરાવે છે. તાજેતરમાં આ બેન્ક પડી ભાંગી હતી અને આરબીઆઇએ તેની કામગીરીને થંભાવી દેવાનો આદેશ કર્યો હતો તથા થાપણદારો દ્વારા ભંડોળ ઉપાડવા પર પણ મર્યાદા લાદી છે.
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક ખાતે જે કટોકટી સર્જાઈ છે તેના કેન્દ્રમાં એચડીઆઇએલ છે. બેન્કની કુલ લોન બૂકના 73 ટકા અથવા આશરે ₹6,226 કરોડની લોન એચડીઆઇએલને આપવામાં આવી હતી અને તેનું ડિસ્ક્લોઝર કરવામાં આવ્યું ન હતું.
ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નિયમનકારી મર્યાદા પ્રમાણે બેન્ક તેના મૂડીભંડોળના મહત્તમ 15 ટકા રોકાણ કોઈ સિંગલ એન્ટિટીમાં કરી શકે છે.એક વરિષ્ઠ સરકારી અધિકારીએ ઓળખ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, “આ બાબત અત્યંત સ્વાભાવિક છે કે બેન્ક વર્ષો સુધી ચોક્કસ કંપનીને વધારે પડતા ધિરાણના કારણે ડૂબી રહી હોય તો પછી હવે આ સ્થિતિનો કેવી રીતે સામનો કરે તે જોવાની જરૂર છે.”
મુંબઈ સ્થિત પીએમસી બેન્ક સાત રાજ્યોમાં પોતાની શાખા ધરાવે છે. તાજેતરમાં આ બેન્ક પડી ભાંગી હતી અને આરબીઆઇએ તેની કામગીરીને થંભાવી દેવાનો આદેશ કર્યો હતો તથા થાપણદારો દ્વારા ભંડોળ ઉપાડવા પર પણ મર્યાદા લાદી છે.