એપશહેર

દૂધ કરતાં પણ વધી શકે છે ગૌમૂત્રની માંગ

I am Gujarat 18 Jul 2016, 4:34 pm
અર્નિદય ઉપાધ્યાય: એલ્યુમિનિયમનું એક મોટું પાત્ર હાથમાં લઈને સુશીલા કુમારી શેલ્ટરમાં બંધાયેલી ગાયો પાસે જાય છે અને ગૌમૂત્ર એકઠું કરે છે. ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લામાં એક ગૌશાળા ચલાવનારા સુશીલા કુમારીના માલિક ગૌમૂત્રનું એક ટીપું પણ વેસ્ટ થાય તેમ નથી ઈચ્છતા, માટે તેમણે સુશીલાને આ કામ સોંપી દીધું છે. સુશીલા અને બીજા બે નોકર આખા દિવસમાં લગભગ 15થી 20 લીટર ગૌમૂત્ર એકત્રિત કરે છે. આની પાછળનું કારણ એ છે કે ભારતના હિંદુ ધર્મના લોકોમાં પવિત્ર માનવામાં આવતા દેશી ગાયોના મૂત્રની માંગ આજકાલ ઘણી વધી ગઈ છે. આનું વેચાણ દૂધ કરતાં પણ વધી જશે તેવી સંભાવનાઓ છે.
I am Gujarat holy cow urine industry gets boost from narendra modis pro hindu agenda
દૂધ કરતાં પણ વધી શકે છે ગૌમૂત્રની માંગ


આની પાછળનું કારણ પીએમ નરેન્દ્ર મોદી તરફથી થયેલી ગાયના સંરક્ષણની પહેલ છે. મોદી સરકારે પાછલા બે વર્ષમાં 5.8 અરબ રુપિયા ગૌશાળા પાછળ ખર્ચ કર્યા છે.

નાગપુર સ્થિત ગો-વિજ્ઞાન અનુસંધાન કેન્દ્રના ચીફ કૉર્ડિનેટર સુનીલ માનસિંહકા કહે છે, ગૌમુત્રના માધ્યમથી ઘરમાં જ લગભગ 30 દવાઓ તૈયાર કરી શકાય છે. સુનીલ કહે છે કે અમે આ અમૃતને દેશના પ્રત્યેક નાગરિક સુધી પહોંચાડવા માંગીએ છીએ.

જોકે બીજેપીના રાજ્યસભાના સાંસદ સુબ્રમળ્ણન સ્વામી ગૌસંરક્ષણના ઉપાયોથી સંતુષ્ટ નથી. સ્વામી ઈચ્છે છે કે ભેંસના માંસની નિકાસ પર મળતી લગભગ એક ડઝન સબસીડી રદ કરવામાં આવે. તે કહે છે કે આ નીતિઓમાં ખામીને કારણે ગેરકાનુની રીતે ગોહત્યા પણ થાય છે.

યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે ફિનાઈલ જેવું ફ્લોર ક્લીનર ગોનાઈલ લૉન્ચ કર્યું છે. કંપનીના એમડી આચાર્ય બાલકૃષ્ણએ બ્લૂમબર્ગ સાથેની વાતચીતમાં કહ્યું કે, દરરોજ અમે લગભગ 20 ટન ગોનાઈલ તૈયાર કરીએ છીએ. તો પણ અમે માંગ પુરી નથી કરી શકતા. તે કહે છે કે ગૌમૂત્રમાં અનેક તત્વો એવા છે જે બધી જ બીમારીઓના ઈલાજનું કામ કરે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો