એપશહેર

ઓબેરોયે ફ્લાઇટ સર્વિસિસ બિઝનેસ વેચવા કાઢ્યો

I am Gujarat 9 Oct 2019, 11:07 am
71490111 અનુમેહા ચતુર્વેદી
I am Gujarat hospitality and travel 146
ઓબેરોયે ફ્લાઇટ સર્વિસિસ બિઝનેસ વેચવા કાઢ્યો


નવી દિલ્હી:એર કેટરિંગ બિઝનેસમાં ઘટાડો થવાના કારણે લક્ઝરી હોસ્પિટાલિટી ચેઇન ઓબેરોય ગ્રૂપ તેના ઓબેરોય ફ્લાઇટ સર્વિસિસ બિઝનેસને વેચવા માંગે છે. આ માટે તેણે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સનો સંપર્ક કર્યો છે તેમ સૂત્રોએ કહ્યું હતું. ઓબેરોય જૂથે જૂન ક્વાર્ટરમાં આવકમાં ઘટાડો અને ખોટનો સામનો કર્યો છે. ગયા વર્ષે કંપનીએ નફો કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓબેરોય ફ્લાઇટ સર્વિસિસ વેચાણ માટે મૂકવામાં આવી છે. તેમણે બિઝનેસમાંથી એક્ઝિટ કરવાનો નિર્ણય લીધો છે. આ વિશે આગામી વર્ષના કોઈ ક્વાર્ટરમાં જાહેરાત થવાની શક્યતા છે. આ વેચાણ માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ સર્કલમાં પણ જાણ કરવામાં આવી છે.

આ વિશે જાણકાર લોકોએ કહ્યું કે જેટ એરવેઝ તેની સૌથી મોટી ક્લાયન્ટ રહી છે જ્યારે એર ઇન્ડિયા બીજા ક્રમે છે. એક સૂત્રે જણાવ્યું કે, “આ સ્પષ્ટપણે બેલેન્સ શીટ પર રાઇટ ઓફ છે. વિસ્તારા, ઇન્ડિગો અને સ્પાઇસ જેટ તેમની સર્વિસનો ઉપયોગ કરતી નથી. આંતરરાષ્ટ્રીય એરલાઇન્સમાં તેમના ક્લાયન્ટમાં બ્રિટિશ એરવેઝ, એર કેનેડા અને કેથે પેસિફિક સામેલ છે પરંતુ તેને સ્થાનિક કેરિયર્સની ફ્લાઇટની સંખ્યા સાથે સરખાવી શકાય નહીં. તેઓ કતાર એરવેઝને પણ કેટરિંગ સેવા આપતા હતા પરંતુ હવે તેઓ પોતાનું ફૂડ લાવે છે.”

ચાલુ વર્ષે જૂનમાં પૂર્ણ થયેલા ક્વાર્ટરના ઓડિટ વગરના રિઝલ્ટમાં ઓબેરોય જૂથે જણાવ્યું કે તેની કામગીરીમાંથી આવક 14 ટકા ઘટીને ₹340.58 કરોડ થઈ છે જે ગયા વર્ષે સમાન ગાળામાં ₹388.34 કરોડ હતી. તેણે સંગઠિત ધોરણે ₹1.13 કરોડની ખોટ નોંધાવી હતી જ્યારે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં કંપનીએ ₹14.70 કરોડનો
ચોખ્ખો નફો કર્યો હતો.

કંપનીએ પોતાના નાણાકીય સ્ટેટમેન્ટમાં સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં રેવન્યુમાં થયેલા ઘટાડાને બિઝનેસની સામાન્ય નરમાઈ સાથે સાંકળી છે. આ ઉપરાંત એર ટ્રાવેલમાં ઘટાડો થયો છે અને એરલાઇન કેટરિંગ બિઝનેસમાં નરમાઈ છે.

કંપનીએ કહ્યું કે 30 જૂન 2019ના રોજ પૂરા થયેલા ત્રણ મહિનામાં અસાધારણ આઇટમ માટે 0.47 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. ફ્લાઇટ કેટરિંગ બિઝનેસમાં સિંગલ કસ્ટમર પાસેથી કંપનીના રિસીવેબલ્સ ₹84.75 કરોડ છે. બિઝનેસ કોમ્યુનિટીમાં આ ગ્રાહક અંગે અનિશ્ચિતતાનો માહોલ છે.

ઇઆઇએચની પેટાકંપનીઓમાં ઇઆઇએચ ફ્લાઇટ સર્વિસિસ લિમિટેડ, ઇઆઇએચ હોલ્ડિંગ્સ લિમિટેડ, ઇઆઇએચ ઇન્વેસ્ટમેન્ટ્સ એનવી, ઇઆઇએચ ઇન્ટરનેશનલ લિમિટેડ, મશોબ્રા રિસોર્ટ લિમિટેડ, મુમતાઝ હોટેલ લિમિટેડ, ઓબેરોય કેરાલા હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ લિમિટેડનો સમાવેશ થાય છે.

હિલચાલથી માહિતગાર સૂત્રોએ કહ્યું કે ઇઆઇએચના બિઝનેસની ત્રણમાંથી બે મુખ્ય લાઇન – પ્રિન્ટિંગ પ્રેસ અને ફ્લાઇટ સર્વિસ નુકસાન કરે છે. હોટેલ્સ તેનો પ્રાથમિક બિઝનેસ છે.”બિઝનેસમાં સૌથી મોટો હિસ્સો ફ્લાઇટ સર્વિસનો છે. એક સમયે તે કંપનીના કુલ નફામાં ઓબેરોય દિલ્હી જેટલો જ નફો ધરાવતો હતો.”

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો