એપશહેર

ગોયલના 'ટર્નઅરાઉન્ડ' મેન કર્દાસિસે પણ જેટ એરવેઝ છોડી

I am Gujarat 17 Dec 2018, 12:00 pm
67123440 મુંબઈ:નરેશ ગોયલની માલિકીની જેટ એરવેઝની નાણાકીય કટોકટી ઘેરી બની છે ત્યારે જ તેના ‘ટર્નઅરાઉન્ડ’ મેન નિકોસ કર્દાસિસે કંપની છોડી દીધી છે. કર્દાસિસ જેટ એરવેઝના સીઇઓ તરીકે રહી ચૂક્યા બાદ તેઓ કંપનીને ટર્નઅરાઉન્ડ કરવા માટે ફરી પાછા આવ્યા હતા અને એડ્વાઇઝર તરીકેની ભૂમિકામાં હતા.
I am Gujarat hospitality and travel 71
ગોયલના 'ટર્નઅરાઉન્ડ' મેન કર્દાસિસે પણ જેટ એરવેઝ છોડી


આમ તો તેઓ ત્રીજી વાર જેટ એરવેઝમાં પરત આવ્યા હતા. નિકોસ નવેમ્બરમાં રજા પર ઊતરી ગયા હતા અને તેમના વતન દેશમાં જતા રહ્યા હતા, જ્યાંથી પરત આવ્યા જ નથી એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ફંડ એકત્ર કરવા માટે નરેશ ગોયલે તેમના ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર એતિહાદ સાથે મંત્રણા શરૂ કર્યા પછી કર્દાસિસે એરલાઇન સાથે છેડો ફાડ્યો હતો. આ મંત્રણાથી કર્દાસિસને દૂર રાખવામાં આવ્યા હતા. આ અંગે કરેલી પૃચ્છાનો જેટ એરવેઝે કોઈ જવાબ આપ્યો ન હતો. સતત નાણાકીય તંગીમાં ઘેરાયેલી જેટ એરવેઝ ટર્નઅરાઉન્ડ પ્લાનનો અમલ કરી રહી છે, જેમાં ખર્ચ બચત અને આવક વધારવાનો સમાવેશ થાય છે. સતત બે ત્રિમાસિક ગાળામાં ખોટ અને ₹8,052 કરોડનું ચોખ્ખું ઋણ ધરાવતી કંપની ભંડોળ એકત્ર કરવાના પ્રયાસમાં છે. એક અન્ય ઘટનામાં એસબીઆઇએ એપ્રિલ 2014થી માર્ચ 2018ની વચ્ચે જેટ એરવેઝના હિસાબોનું ફોરેન્સિક ઓડિટ કરવા આદેશ આપ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો