એપશહેર

ખર્ચની ટાઇમલાઇન બદલનાર ફાઇનાન્સ કંપનીઓ I-Tના રડારમાં

I am Gujarat 6 Oct 2019, 11:08 am
71422972 સચીન દવે
I am Gujarat i t 8
ખર્ચની ટાઇમલાઇન બદલનાર ફાઇનાન્સ કંપનીઓ I-Tના રડારમાં


મુંબઇ:કર વિભાગે કેટલીક ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપનીઓ દ્વારા ક્લેમ કરવામાં આવેલા ગુડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) ઇનપુટ ટેક્સ ક્રેડિટ સંદર્ભમાં પૂછપરછ શરૂ કરી છે.

આ કંપનીઓએ ચેડાં કર્યા હોવાની આશંકા છે. ઇનડાયરેક્ટ ટેક્સ અધિકારીઓને શંકા છે કે, કેટલીક કંપનીઓએ GST પહેલાંનાં ટેક્સ માળખામાં થયેલા ખર્ચાઓ પર ઈનપુટ ટેક્સ ક્રેડિટના ક્લેમ કર્યા હોવાની શક્યતા છે. પરિચિત લોકોના જણાવ્યા પ્રમાણે, કેટલીક બ્રોકરેજિસ, બેન્કો, ઇન્શ્યોરન્સ કંપનીઓ અને નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) સામે ટેક્સ અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે.

અગાઉનાં ટેક્સ માળખામાં જો કોઈ કંપનીએ કોઈ સર્વિસિસ લીધી હોય તો તેના માટે ઈનપુટ ટેક્સ ક્રેડિટ ઉપલબ્ધ નથી. ધારો કે, કંપનીએ ફર્નિચર ખરીદવા જેવા કોઈ ખર્ચા કર્યા હોય તો તેના માટે અત્યારે ક્રેડિટ મળી શકે નહીં. આવા ખર્ચા માટે મોટા ભાગની કંપનીઓએ વેલ્યુ એડેડ ટેક્સ (VAT) ચૂકવવો પડશે. GST હેઠળ, આવા ખર્ચા માટે ચૂકવાયેલો ટેક્સ ગ્રાહકો પર નાખી શકાય છે અને આથી, આવા કિસ્સામાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ થઈ શકે છે.

“ફાઈનાન્શિયલ સર્વિસિસ ઈન્ટરમીડિયરીઝ સહિતનાં સર્વિસ પ્રોવાઇડર્સને અગાઉનાં VAT માળખા દરમિયાન ચીજવસ્તુઓ પર VAT ક્રેડિટ મળતી નહોતી જ્યારે GST હેઠળ તેઓ આવી ક્રેડિટ મેળવી શકે છે. જોકે, GSTનો કાયદા પ્રમાણે આ‌વી ચીજ-વસ્તુઓ પહેલી જુલાઈ, 2017 પછી મળી હોવી અને વપરાશમાં લેવાઈ હોવી જોઈએ.

આ તારીખ પહેલાં જો કોઈ ચીજવસ્તુઓની ક્રેડિટ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે તો કાયદા પ્રમાણે તે માન્ય રહેતો નથી” એમ ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર એમ. એસ. મણીએ કહ્યું હતું. ટેક્સ અધિકારીઓને શંકા છે કે, ઘણી કંપનીઓએ 1 જુલાઈ, 2017ના રોજ GST લાગુ થયો તેની પહેલાં બિઝનેસના વિસ્તરણની યોજનાઓ પાછળ ચોક્કસ ખર્ચા કર્યા હતા. જોકે, આ કંપનીઓએ GST લાગુ થયા બાદ નવા કાયદા હેઠળ ટેક્સ ક્રેડિટ ક્લેમ થઈ શકે તે માટે કોઈ પણ રીતે તેમના વેન્ડર્સને GST લાગુ થયા બાદ બિલ રજૂ કરવા માટે સમજાવી લીધા હોય તેવી શંકા છે.

નિરીક્ષકો કહે છે કે, જેટલા પણ કેસ તપાસના ઘેરામાં છે તેના માટે ટેક્સ વિભાગે સાબિત કરવું પડશે કે, GST ઈનપુટ ટેક્સ ક્રેડિટના ક્લેમ ખોટા છે. “
ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપનીઓને અગાઉના ટેક્સ માળખા હેઠળ ચીજવસ્તુઓની ખરીદી પર VAT ચૂકવવો પડતો હતો અને તેની સામે ઈનપુટ ક્રેડિટ લેવાની કોઈ

જોગવાઈ પણ નહોતી અને બાદમાં GST લાગુ થયા પછી આ કંપનીઓ આવી ક્રેડિટ મેળવવા માટે લાયક બની હતી, આથી ટેક્સ વિભાગે સપ્લાયનો ટાઈમ સાબિત કરવો જરૂરી બનશે, પછી જ તેમનો કેસ મજબૂત બનશે” એમ KPMG ઇન્ડિયાના નેશનલ હેડ (ઈનડાયરેક્ટ ટેક્સ) સચિન મેનને કહ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો