એપશહેર

અર્થતંત્રની સ્થિતિ અંગે ચિદમ્બરમ્‌નો સરકાર પર હુમલો

I am Gujarat 6 Dec 2019, 11:39 am
72393880 નવી દિલ્હી:જેલમાંથી જામીન મળ્યાના બીજા જ દિવસે ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે ગુરુવારે સરકાર દ્વારા અર્થતંત્રના મેનેજમેન્ટની ઝાટકણી કાઢી છે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં ધીમી વૃદ્ધિનો હાલનો તબક્કો માનવસર્જિત આફત છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અર્થતંત્રની સ્થિતિ અંગે ‘અસાધારણ રીતે મૌન’ રહેવાનો આરોપ મૂક્યો હતો.
I am Gujarat india 164
અર્થતંત્રની સ્થિતિ અંગે ચિદમ્બરમ્‌નો સરકાર પર હુમલો


કોંગ્રેસના 74 વર્ષના આ વરિષ્ઠ નેતાએ INX મીડિયા કેસ અંગે કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. AICCના વડા મથકે બોલાવેલી પત્રકાર પરિષદમાં તેમણે અર્થતંત્રની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે બુધવારે ચિદમ્બરમ્‌ને INX મીડિયા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં જમાનત આપી હતી.

જોકે, તેમને મીડિયામાં ઇન્ટરવ્યૂ આપવા કે જાહેરમાં નિવેદન આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ચિદમ્બરમ્ 106 દિવસથી CBI, ED અને તિહાર જેલની કસ્ટડીમાં હતા. CBI તેમની સામે ભ્રષ્ટાચારના આરોપની તપાસ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, “106 દિવસમાં મારું મનોબળ મજબૂત રહ્યું હતું. હું વધુ મજબૂત બન્યો છું. કારણ કે એક મંત્રી તરીકે મારો રેકોર્ડ અને અંતરાત્મા બિલકુલ શુદ્ધ છે.” જોકે, ભાજપે ચિદમ્બરમ્‌ના નિવેદનની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, “ચિદમ્બરમ્‌ સામેનો કેસ ભ્રષ્ટાચારને લગતો છે.”

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો