એપશહેર

ખાનગી કંપનીઓ માટે 'આધાર' એક્ટમાં સુધારાની વિચારણા

I am Gujarat 27 Sep 2018, 12:09 pm
65976087 નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સરકાર આધાર એક્ટમાં સુધારો કરે અથવા નવા સેક્ટોરલ રેગ્યુલેશન લાગુ કરે તેવી શક્યતા છે જેથી બેન્કો અને મોબાઇલ ઓપરેટર્સ 12 આંકડાના આધાર નંબરનો ઉપયોગ જારી રાખી શકે. આવા સુધારા થાય તો ઝડપી ઓથેન્ટિકેશન અને ગ્રાહકોની સંખ્યા વધારવા ખાનગી સંસ્થાઓ આધારનો ઉપયોગ ચાલુ રાખી શકશે.
I am Gujarat india 88
ખાનગી કંપનીઓ માટે 'આધાર' એક્ટમાં સુધારાની વિચારણા


સુપ્રીમ કોર્ટે આવા ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે અને આધાર એક્ટના સેક્શન 57ને ફગાવી દીધો છે જેના હેઠળ બિનસરકારી સંસ્થાઓ પણ ડેટા એક્સેસ કરી શકતી હતી.

સુપ્રીમના ચુકાદાના અમુક કલાક બાદ નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે તેમની પ્રાથમિક સમજણ પ્રમાણે ખાનગી કંપનીઓ દ્વારા આધારનો ઉપયોગ કરવાની મંજૂરી નથી પરંતુ તેને કાયદાનો ટેકો મળે તો આવું નહીં રહે.

તેમણે કહ્યું કે પ્રાઇવેટ એન્ટિટી માટે મારો જવાબ એવો છે કે તેને કાયદાનો ટેકો મળવો જરૂરી છે. આપણે જોવું પડશે કે તેમાં તાર્કીક બાબત કઈ છે. આ મારી સમજણ છે. મેં હજુ સુધી જજમેન્ટને વિગતવાર વાંચ્યો નથી. જે બાબતની મનાઈ છે તે કાયમી મનાઈ છે એવું ન ધારો. તેને પ્રક્રિયાની રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યો હોઈ શકે છે.

જે બાબતોની મનાઈ હોય તેને સરકાર સ્પર્શ નહીં કરે તેમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે, “જે બાબતની મનાઈ છે તેના માટે સરકાર પાસે કોઈ વિકલ્પ નથી. પ્રતિબંધિત ક્ષેત્રોના બદલે મંજૂરી અપાયેલાં ક્ષેત્રોથી મને આનંદ છે. સરકાર આ ચુકાદા પ્રમાણે જવાનો પૂરો ઇરાદો ધરાવે છે. ચુકાદો એ જાહેર થયેલો કાયદો છે. તેને અનુસરવામાં આવશે. ત્યાર પછી કોઇ ફોલો-અપ એક્શન લેવામાં આવે કે કાયદો ઘડવામાં આવે તે વિશે સરકાર પાસે વિકલ્પ છે.

UIDAIના CEO અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે આ ચુકાદો આધાર માટે વિજય સમાન છે. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે આધારનો ડેટા જાહેર ન કરવાનું જણાવીને આધારને મજબૂત બનાવવામાં આવ્યો છે. તેમાં કાયદાના ટેકા વગર પ્રાઇવેટ કંપનીઓને તેનો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવી છે તથા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને યુઆઇડી નંબર મેળવતા અટકાવવા જણાવાયું છે.

તેમણે કહ્યું કે, બેન્કો અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરના ઉપયોગ માટે આધાર એક્ટમાં સુધારો કરવો એ એક વિકલ્પ હોઈ શકે છે. જો આધાર એક્ટને બંધારણીય ગણવામાં આવ્યો હોય તો આધારનો ઉપયોગ સ્વૈચ્છિક ધોરણે ઓળખ તરીકે કરી શકાય છે. તેમણે કહ્યું કે ડેટા પ્રોટેક્શન અંગે જસ્ટિસ બી એન શ્રીક્રિષ્ના કમિટીની ભલામણો પણ આવી જ છે. યુઆઇડીએઆઇના ભૂતપૂર્વ વડા અને ટ્રાઇના વર્તમાન ચેરમેને પણ ચુકાદાને આવકાર્યો છે.

]]>

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો