71733491 નવી દિલ્હી:કેબિનેટે સરકારનું પ્રભુત્વ ધરાવતા પેટ્રોલ પમ્પના બિઝનેસમાં ભારતીય અને વિદેશી કંપનીઓની સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે પ્રવેશ અવરોધો હળવા કર્યા છે, જ્યારે જાહેર ક્ષેત્રની કંપની એમટીએનએલ અને બીએસએનએલમાં રિવાઇવલ પેકેજને અને આગામી વર્ષોમાં મર્જરને મંજૂરી આપી છે. આ ઉપરાંત રવી પાક માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) પણ વધાર્યા છે અને તેના લીધે ગ્રામીણ આવકમાં પાંચથી સાત ટકા વધારો થશે. આ ભાવે સરકારી એજન્સીઓ ઘઉં, કઠોળ અને તેલીબિયાંની ખરીદી કરશે.
કેબિનેટે આ ઉપરાંત 175 ચોરસ કિલોમીટરમાં પથરાયેલી બિનસત્તાવાર કોલોનીઓને સત્તાવાર કરવા મંજૂરી આપી હતી, જેના લીધે 40 લાખથી વધારે લોકોને સારી નાગરિક સગવડો અને માલિકી અધિકારનો ફાયદો મળશે. પેટ્રોલ પમ્પ માટે તેણે ઓઇલ સેક્ટરમાં 17 વર્ષ જૂની ₹2,000 કરોડના રોકાણની શરત નાબૂદ કરી હતી. હવે કોઈ પણ કંપની એટલે કે ઓઇલ સેક્ટરની ન હોય તેવી કંપની ફ્યુઅલ રિટેલિંગમાં પ્રવેશી શકશે. ફક્ત તેની નેટવર્થ ₹250 કરોડની હોવી જોઈએ, ભારત વિશ્વનું સૌથી મોટું અને ઝડપથી વૃદ્ધિ પામતું ઓઇલ સેક્ટર ધરાવે છે.
ઈંધણ રિટેલમાં પ્રવેશનારા નવા સાહસિક પછી તે સ્થાનિક હોય કે વિદેશી હોય તેણે અંતરિયાળ વિસ્તારોમાં પાંચ ટકા જેટલા પેટ્રોલ પમ્પ સ્થાપવા પડશે. દરેક રિટેલ આઉટલેટ પાસે કમ સે કમ એક વૈકલ્પિક ઈંધણ સ્થાપવાની ફેસિલિટી હશે. તેમાં નેચરલ ગેસ, એલપીજી, જૈવિક ઈંધણ કે ઇલેક્ટ્રિક વાહનો માટેના ચાર્જિંગ પોઇન્ટ્સનો સમાવેશ થાય છે.
કેટલીક વિદેશી કંપનીઓએ ભૂતકાળમાં ભારતના નફાકારક ઈંધણ રિટેલ માર્કેટમાં રસ દાખવ્યો હતો. તેમાં સાઉદીની અરામ્કો, બીપી પીએલસી, ટોટલ અને ટ્રાફિગ્યુરાનો સમાવેશ થાય છે, જેની સાથે મળીને રશિયાની રોસનેફ્ટે એસ્સાર ઓઇલ રિફાઇનરી હસ્તગત કરી હતી. બીપી પાસે તો લાઇસન્સ પણ છે અને તેણે રિલાયન્સ સાથે મળીને રિટેલ સંયુક્ત સાહસ રચ્યું છે.
આ નિર્ણયના લીધે કંપની માટે બજાર વધારે સ્પર્ધાત્મક બનશે, તેમાં પણ બીપીસીએલમાં સરકારનો બહુમતી હિસ્સો ખરીદનારી કંપની માટે બજાર વધારે સ્પર્ધાત્મક બનશે.
કંપની પાસે ભારતના કુલ 64,625 પેટ્રોલ પમ્પમાંથી 14,803 પેટ્રોલ પમ્પ છે. આ વર્ષના જૂન સુધીમાં ઇન્ડિયન ઓઇલ પાસે 27,702 પેટ્રોલ પમ્પ, હિંદુસ્તાન પેટ્રોલિયમ પાસે 15,440 પેટ્રોલ પમ્પ, નાયરા એનર્જી (અગાઉની એસ્સાર ઓઇલ) પાસે 5,128 પેટ્રોલ પમ્પ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે 1,400 અને શેલ પાસે 145 પેટ્રોલ પમ્પ હતા.
ટેલિકોમ સેક્ટરમાં જોઈએ તો સરકારે ખોટ કરતી મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ) અને ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)નું મર્જર કરવાનો નિર્ણય લીધો છે. તેના ભાગરૂપે તેને રિવાઇવલ પેકેજ આપવામાં આવશે. તેમાં સોવરિન બોન્ડ્સ, એસેટ્સ મોનેટાઇઝિંગ અને કર્મચારીઓ માટે વીઆરએસ (સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના-વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ)નો સમાવેશ થાય છે.
કેબિનેટે આ ઉપરાંત 175 ચોરસ કિલોમીટરમાં પથરાયેલી બિનસત્તાવાર કોલોનીઓને સત્તાવાર કરવા મંજૂરી આપી હતી, જેના લીધે 40 લાખથી વધારે લોકોને સારી નાગરિક સગવડો અને માલિકી અધિકારનો ફાયદો મળશે. પેટ્રોલ પમ્પ માટે તેણે ઓઇલ સેક્ટરમાં 17 વર્ષ જૂની ₹2,000 કરોડના રોકાણની શરત નાબૂદ કરી હતી. હવે કોઈ પણ કંપની એટલે કે ઓઇલ સેક્ટરની ન હોય તેવી કંપની ફ્યુઅલ રિટેલિંગમાં પ્રવેશી શકશે. ફક્ત તેની નેટવર્થ ₹250 કરોડની હોવી જોઈએ, ભારત વિશ્વનું સૌથી મોટું અને ઝડપથી વૃદ્ધિ પામતું ઓઇલ સેક્ટર ધરાવે છે.
ઈંધણ રિટેલમાં પ્રવેશનારા નવા સાહસિક પછી તે સ્થાનિક હોય કે વિદેશી હોય તેણે અંતરિયાળ વિસ્તારોમાં પાંચ ટકા જેટલા પેટ્રોલ પમ્પ સ્થાપવા પડશે. દરેક રિટેલ આઉટલેટ પાસે કમ સે કમ એક વૈકલ્પિક ઈંધણ સ્થાપવાની ફેસિલિટી હશે. તેમાં નેચરલ ગેસ, એલપીજી, જૈવિક ઈંધણ કે ઇલેક્ટ્રિક વાહનો માટેના ચાર્જિંગ પોઇન્ટ્સનો સમાવેશ થાય છે.
કેટલીક વિદેશી કંપનીઓએ ભૂતકાળમાં ભારતના નફાકારક ઈંધણ રિટેલ માર્કેટમાં રસ દાખવ્યો હતો. તેમાં સાઉદીની અરામ્કો, બીપી પીએલસી, ટોટલ અને ટ્રાફિગ્યુરાનો સમાવેશ થાય છે, જેની સાથે મળીને રશિયાની રોસનેફ્ટે એસ્સાર ઓઇલ રિફાઇનરી હસ્તગત કરી હતી. બીપી પાસે તો લાઇસન્સ પણ છે અને તેણે રિલાયન્સ સાથે મળીને રિટેલ સંયુક્ત સાહસ રચ્યું છે.
આ નિર્ણયના લીધે કંપની માટે બજાર વધારે સ્પર્ધાત્મક બનશે, તેમાં પણ બીપીસીએલમાં સરકારનો બહુમતી હિસ્સો ખરીદનારી કંપની માટે બજાર વધારે સ્પર્ધાત્મક બનશે.
કંપની પાસે ભારતના કુલ 64,625 પેટ્રોલ પમ્પમાંથી 14,803 પેટ્રોલ પમ્પ છે. આ વર્ષના જૂન સુધીમાં ઇન્ડિયન ઓઇલ પાસે 27,702 પેટ્રોલ પમ્પ, હિંદુસ્તાન પેટ્રોલિયમ પાસે 15,440 પેટ્રોલ પમ્પ, નાયરા એનર્જી (અગાઉની એસ્સાર ઓઇલ) પાસે 5,128 પેટ્રોલ પમ્પ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે 1,400 અને શેલ પાસે 145 પેટ્રોલ પમ્પ હતા.
ટેલિકોમ સેક્ટરમાં જોઈએ તો સરકારે ખોટ કરતી મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ) અને ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)નું મર્જર કરવાનો નિર્ણય લીધો છે. તેના ભાગરૂપે તેને રિવાઇવલ પેકેજ આપવામાં આવશે. તેમાં સોવરિન બોન્ડ્સ, એસેટ્સ મોનેટાઇઝિંગ અને કર્મચારીઓ માટે વીઆરએસ (સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના-વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ)નો સમાવેશ થાય છે.