એપશહેર

કેશલેસ પેમેન્ટમાં રિટેલર્સનો અવરોધ

I am Gujarat 9 Nov 2017, 4:02 pm
નવી દિલ્હી:મોટા ભાગના રિટેલર્સ કેશલેસ પેમેન્ટ સ્વીકારવા તૈયાર નથી, જ્યારે મોટા ભાગના ગ્રાહકો ડિજિટલ પેમન્ટ કરવા ઇચ્છે છે એમ સેન્ટર ફોર ડિજિટલ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન (CDFI) અને IIM-Bએ કરેલા સરવેનું તારણ જણાવે છે. નોટબંધીના એક વર્ષની સમાપ્તિની પૂર્વસંધ્યાએ પ્રસિદ્ધ થયેલા અહેવાલ ‘ગોઇંગ કેશલેસ’માં જણાવાયું હતું કે, 63 ટકા રિટેલર્સ કેશલેસ પેમેન્ટ સ્વીકારવા અનિચ્છા ધરાવે છે.
I am Gujarat industry news 61
કેશલેસ પેમેન્ટમાં રિટેલર્સનો અવરોધ


અહેવાલમાં જણાવ્યા પ્રમાણે કેશલેસ સિસ્ટમમાં રસ અને પેમેન્ટમાં સરળતા જેવા કારણોસર ગ્રાહકો કેશલેસ પેમેન્ટ કરવામાં રસ બતાવે છે. ગ્રામીણ ગ્રાહકો પણ કેશલેસ પેમેન્ટ
માટે એટલા જ ઉત્સાહી છે. સરવેમાં 38 ટકા રિટેલર્સે એક ટકાથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ખર્ચ આપવા તૈયારી બતાવી હતી. નોટબંધી પહેલાં અને પછીની સરખામણી કરનાર
આ અભ્યાસમાં એવું તારણ આવ્યું હતું કે. હજુ 76 ટકા ગ્રાહકો કેશને પ્રાધાન્ય આપે છે પણ હવે તેનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે.

CDFI નોટબંધી પહેલાં અને પછીના આંકડાઓની સરખામણી કરી શક્યું હતું કારણ કે તે 11 શહેરોમાં નીચો, મધ્યમ અને ઊંચો માસિક માથા દીઠ ખર્ચ અંગે પહેલેથી જ
અભ્યાસ કરી રહ્યું છે. CDFIએ નોટબંધી પહેલાં ૩૦૫ ગ્રાહકો અને 88 રિટેલર્સનો તથા નોટબંધી પછી 1715 ગ્રાહકો અને 535 રિટેલર્સનો અભિપ્રાય લીધો હતો. ]]>

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો