એપશહેર

ઈન્ફોસિસના મોટા ઈન્વેસ્ટરે ફાઉન્ડર્સ સાથેના મતભેદ પર કર્યું વિશાલ સિક્કાનું સમર્થન

I am Gujarat 10 Feb 2017, 11:25 pm
બેંગલુરુ: ટાટા ગ્રૂપમાં રતન ટાટા અને પૂર્વ સીઈઓ સાઈરસ મિસ્ત્રી વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ હવે દેશની અન્ય એક દિગ્ગજ કંપની ઈન્ફોસીસમાં વિવાદ ઊભો થયો છે. ઈન્ફોસીસમાં ચાલતા વિવાદનું સૌથી મોટું કારણ કંપનીના સીઈઓ વિશાલ સિક્કાનું વેતન છે. નાણાંકિય વર્ષ 2016-17માં તેમને 11 મિલિયન ડોલર (લગભગ 73.26 કરોડ) રૂપિયાનું કમ્પેન્સેશન મળ્યું હતું, જે ગત વર્ષ કરતા 7.08 ડોલર (લગભગ 47.38 રૂપિયા વધુ છે. ઈન્ફોસીસના સંસ્થાપકોને એક મોટી ચિંતા એ સતાવી રહી છે કે, સીઈઓ સિક્કાની સેલેરી 55 ટકા વધી ગઈ છે, જ્યારે કંપનીમાં સેલેરી ઈન્ક્રિમેન્ટની સરેરાશ 6થી 8 ટકા સુધી જ છે. જોકે, ઈન્ફોસીસના મેનેજમેન્ટનું કહેવં છે કે, સિક્કાને જે સેલેરી અપાઈ તેમાં કેશનો ભાગ ઓછો અને શેર્સનો હિસ્સો વધારે હતો, તેની સામે તેમને અપાયેલો ટાર્ગેટ ઘણો જ મુશ્કેલ હતો.
I am Gujarat infosys third largest institutional investor oppenheimer funds backs vishal sikka
ઈન્ફોસિસના મોટા ઈન્વેસ્ટરે ફાઉન્ડર્સ સાથેના મતભેદ પર કર્યું વિશાલ સિક્કાનું સમર્થન


ઈન્ફોસીસમાં ફાઉન્ડર અને મેનેજમેન્ટ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં ફર્સના ત્રીજા સૌથી મોટા ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર ઓપ્પેનહેમર ફંડ્સે સીઈઓ વિશાલ સિક્કાનું સમર્થન કર્યું છે. કંપનીમાં 2.7 ટકા શેર્સ ધરાવતા આ ફંડે એન. નારાયણમૂર્તી અને કંપનીના અન્ય સંસ્થાપકોને સલાહ આપી છે કે, તેમણે જાણી લેવું જોઈએ કે ઈન્ફોસીસ પબ્લિકલી લિસ્ટેડ કંપની છે અને હવે તે ‘તેમની’ ખાનગી કંપની નથી રહી.

આ પહેલો પ્રસંગ છે કે, જ્યારે કંપનીના કોઈ ઈન્સ્ટિટ્યૂશનલ શેરહોલ્ડરએ પ્રોફેશનલ સીઈઓનું સમર્થન કર્યું છે. ફંડના પોર્ટફોલિયો મેનેજર જસ્ટિન લેવરેન્જએ ઈન્ફોસીસ બોર્ડને લખેલા ઓપન લેટરમાં કહ્યું કે, ‘ઈન્ફોસીસના લોંગ ટર્મ ઈન્વેસ્ટર તરીકે અમે વિશાલ સિક્કાની મેનેજમેન્ટ ટીમ પ્રત્યે અમારું સમર્થન જાહેર કરીએ છીએ. એ ચિંતાજનક વાત છે કે, બિન-કાર્યકારી સંસ્થાપક મેનેજમેન્ટ ટીમમાં દખલગીરી કરી રહ્યા છે.’

ઓપ્પેનહેમરે પોતાના પત્રની એક કોપી ઈકોનોમિક ટાઈમ્સને પણ મોકલી છે. લેવરેન્જે કહ્યું કે, ‘ફાઉન્ડર ન હોય તેવા સીઈઓ તરીકે વિશાલ સિક્કાએ પોતાના કાર્યકાળમાં ઘણા મહત્વના લક્ષ્ય મેળવ્યા છે. ઘણા વર્ષો સુધી આંતરિક અસ્થિરતા અને પ્રતિસ્પર્ધી વાતાવરણમાં નબળા પ્રદર્શન બાદ વિશાલ સિક્કાએ સ્થિરતા લાવવાનું કામ કર્યું છે અને ઈન્ડસ્ટ્રીમાં ઉથલ-પાથલના માહોલ વચ્ચે તેમણે લોંગ ટર્મ સ્ટ્રેટજી તૈયાર કરી છે.’

મોહનદાસ પાઈએ પણ સિક્કા પર વિશ્વાસ વ્યક્ત કર્યો
ઈન્ફોસીસના પૂર્વ ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર ટીવી મોહનદાસ પાઈએ કંપનીના ફાઉન્ડર નારાયણમૂર્તિ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ વિચારે છે કે, માત્ર સંસ્થાપકોમાંથી જ કોઈએ લિડરશિપમાં હોવું જોઈએ. તેમણે કહ્યું કે, નારાયણમૂર્તિની આ વિચારસરણીને કારણે ઘણા લોકોને કંપની છોડવા મજબૂર થવું પડ્યું. 2000થી 2011 સુધી પાઈ કંપનીના બોર્ડ મેમ્બર પણ રહ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો