Know All About Vikram Kotharis Rotomac Loan Default Story
નીરવ મોદી પછી વિક્રમ કોઠારી, શું છે 800 કરોડનો આખો ખેલ?
I am Gujarat19 Feb 2018, 2:05 pm
રોટોમૈક કંપનીનો વિવાદ
નવી દિલ્હી: પંજાબ નેશનલ બેન્કના કૌભાંડન દેશભરમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે રોટોમૈક પેન બનાવતી કંપની ગ્લોબલ પ્રાઈવિટે લિમિટેડના માલિક વિક્રમ કોઠારે વિષેની અટકળો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે કે, તે બેન્કના 800 કરોડ રુપિયા લઈને દેશ છોડીને જતા રહ્યા છે. જો કે અત્યારે તે CBIના સકંજામાં છે. જાણો, આ આખો વિવાદ શેનો છે?
શું છે વિવાદ?
રોટોમૈક કંપનીને અલાહાબાદ બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક અને યૂનિયન બેન્કે લોન આપી હતી. કહેવામાં આવે છે કે, આ બેન્કોએ શરતો સાથે સમજૂતી કરીને લોન પાસ કરી હતી.
શું છે વિવાદ?
યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની મુંબઈ બ્રાન્ચમાંથી 485 કરોડ રુપિયા જ્યારે અલાહાબાદ બેન્કની કોલકાતા બ્રાન્ચમાંથી 352 કરોડ રુપિયા લોન લીધી હતી. આ સિવાય અન્ય બેન્કોમાંથી પણ લોન લીધી હતી.
શું છે વિવાદ?
એક વર્ષ પછી પણ રોટોમૈક કંપની આ બેન્કોને કથિત રીતે લોનની રકમ પાછી નથી કરી અને વ્યાજ પણ નથી આપ્યું. આવી સ્થિતિમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન્સ અનુસાર એક ઓથોરાઈઝ્ડ કમિટી બનાવવામાં આવી.
શું છે વિવાદ?
આ કમિટીએ 27 ફેબ્રુઆરી, 2017ના રોજ રોટોમૈક પ્રાઈવેટ લિમિટેડને વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યા. કમિટીએ ખાસકરીને બેન્ક ઓફ બરોડાની પહેલ પર આ આદેશ જાહેર કર્યો હતો.
શું છે વિવાદ?
13 એપ્રિલ, 2017ના રોજ અલાહાબાદ હાઈ કોર્ટે રોટોમૈક ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડને તેની તે સંપત્તિઓ વિષે માહિતી આપવાનો આદેશ આપ્યો જેની બેન્ક ઓફ બરોડાને ચુકવણી કરવામાં આવી છે.
શું છે વિવાદ?
કંપનીએ દલીલ કરી કે રોટોમૈક દ્વારા ચૂકની તારીખ પછીથી આ બેન્કને 300 કરોડ રુપિયાથી વધારે મૂલ્યની સંપત્તિ રજૂ કર્યા પછી પણ બેન્ક ઓફ બરોડાએ તેને Willful Defaulter જાહેર કર્યા.
શું છે વિવાદ?
બેન્ક તરફથી હાજર વકીલ અર્ચના સિંહે કહ્યું હતું કે, કંપનીએ 550 કરોડ રુપિયાની ચુકવણી કરવાની છે. તેમણે આરોપ પણ લગાવ્યો કે કંપનીના ડિરેક્ટર લોન રીપેમેન્ટથી બચવા માટે અન્ય કંપનીઓમાં પૈસા લગાવી રહ્યા છે.
શું છે વિવાદ?
કાનપુરમાં મૉલ રોડના સિટી સેન્ટર સ્થિત રોટોમૈક ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડના ઓફિસ પર પાછલા ઘણાં દિવસોથી તાળું જોવા મળ્યું તો વિક્રમ કોઠારી વિદેશ જતા રહ્યા હોવાની ખબરો આવવા લાગી.
શું છે વિવાદ?
રવિવારે કોઠારી સામે આવ્યા અને આ ખબરોનું ખંડન કર્યું. તેમણે કહ્યું કે, બેન્કોએ મારી કંપનીને NPA જાહેર કરી છે, ડિફોલ્ટર નહીં. કેસ હજી પણ નેશનલ કંપની લૉ ટ્રાઈબ્યૂનલ(NCLT)માં છે. મેં લોન લીધી છે અને ટુંક સમયમાં ચુકવણી પણ કરીશ.
શું છે વિવાદ?
સોમવારે CBIએ વિક્રમ કોઠારી વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો છે અને તેમની અટકાયત કરવાની પણ ખબર આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર CBI તેમની પૂછપરછ કરી રહી છે.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.