એપશહેર

ઘટી શકે છે હોમ અને કાર લોનના વ્યાજ દર

I am Gujarat 5 Jul 2016, 4:23 pm
મુંબઈઃ કાર અને હોમ લોન ભરનારા લોકો માટે જલદી જ સારા સમાચાર આવી શકે છે. આ સંકેત છેલ્લા ત્રણ મહિનાનાં ટ્રેજરી બિલ્સ, કોમર્શિયલ પેપર્સ અને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટના આધારે મળી રહ્યા છે. તેનું મુખ્ય કારણ આરબીઆઈનાં ઓપન માર્કેટ ઓપરેશન્સ (OMO) છે, જેને કારણે લિક્વિડિટીની સ્થિતિઓ સરળ બની ગઈ છે. એક અર્થશાસ્ત્રીના જણાવ્યાનુસાર, આવનારા મહિનાઓમાં વ્યાજ દરો ઘટી શકે છે. જ્યારે FCNRનું કહેવું છે કે, બ્રેક્ઝિટને કારણે વિદેશી મૂડીનો પ્રવાહ ઘટી જશે.
I am Gujarat lending rates set to fall as liquidity improves
ઘટી શકે છે હોમ અને કાર લોનના વ્યાજ દર


લિક્વિડિટીની સ્થિતિ સુધારવાના શોર્ટ ટર્મ રેટમાં ઘટાડો આવશે, જેનાથી ઓછા વ્યાજ દરો પર પૈસા લઈને આગળ લોન આપી શકાશે અને ઓછા વ્યાજ દરો પર મૂડીનો પ્રવાહ વધશે. ઉલ્લેખનીય છે કે, મે મહિનાની શરૂઆતથી જ બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી 1.06 લાખ કરોડથી ઘટીને સરપ્લસ 10,361 થઈ ગઈ છે. શોર્ટ ટર્મ મની માર્કેટમાં સરકારના ટ્રેજરી બિલ રેટમાં પણ ખાસ્સો ઘટાડો થયો છે. ક્રેડિટ એન્ડ માર્કેટ રિસર્ચ ગ્રૂપના સહ નિર્દેશક સૌમ્યજિત નિયોગીના અનુસાર, ગયા સપ્તાહે લિક્વિડિટી સિસ્ટમ ન્યુટ્રલ થઈ હતી. આ વર્ષે લિક્વિડિટીમાં ફેરફાર જોઈ શકાય છે.

જ્યારે અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે, બ્રેક્ઝિટને કારણે ભારતમાં વિદેશી મૂડીનો પ્રવાહ અટકી શકે છે અને તેનાથી લિક્વિડિટી સિસ્ટમમાં વૃદ્ધિ થશે. જાણકારોના અનુસાર, સાતમા પગાર પંચની ભલામણોના મુજબ સપ્ટેમ્બર મહિનાથી દિવાળી સુધી સરકારે લગભગ 30 હજાર કરોડનું એરિયર આપવાનું છે. તે જોતાં બેંકોનું FCNR આઉટફ્લો માટે સક્ષમ હોવું જરૂરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો