એપશહેર

ટકાઉ ગ્રોથ માટે રઘુરામ રાજને સરકારને આપ્યો એક ખાસ 'મંત્ર'

I am Gujarat 26 Jul 2016, 9:28 pm
કોલકાતા: આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે, ઈકોનોમિક ગ્રોથની ઝડપ જાળવી રાખવા સરકારોએ આવા છૂપા સ્વાર્થી તત્વોના હો-હલ્લાને નજરઅંદાજ કરી દેવો જોઈએ, જે સમજી-વિચારીને બનાવાયેલી મોનિટરી પોલિસીનો વિરોધ કરે છે.
I am Gujarat look beyond motivated criticism protect rbis autonomy rajan tells government
ટકાઉ ગ્રોથ માટે રઘુરામ રાજને સરકારને આપ્યો એક ખાસ 'મંત્ર'


રાજને મંગળવારે એક કાર્યક્રમમાં કહ્યું કે, ‘દુનિયાભરમાં સરકારોએ ખોટી માહિતીઓ પર આધારિત અને કોઈ ખાસ ઈરાદાથી થતી ટીકાઓને હાંસિયામાં મકી દેવી જોઈએ અને પોતાની સેન્ટ્રલ બેંકની સ્વતંત્રતાનું રક્ષણ કરવું જોઈએ.’ રાજને કહ્યું કે, એ ટીકા પાયા વિહોણી છે કે વ્યાજ દરો વધુ હોવાથી ભારતમાં રોકાણ પ્રભાવિત થઈ રહ્યું છે અને શરૂઆતના ખચકાટ બાદ માર્કેટ્સ અને બેન્કર્સ પણ સિસ્ટમને યોગ્ય કરવા માટે એકજૂથ થઈ ગયા છે.

સ્ટેટેસ્ટિક્સ ડે ઉજવવા દુનિયાભારથી આવેલા આંકડાકીય તજજ્ઞો અને અર્થશાસ્ત્રીઓના સંમેલનમાં રાજને કહ્યું કે, ‘આરબીાઈ પોતાની નીતિઓ પર મક્કમ છે.’ તેમણે કહ્યું કે, ‘ક્રેડિટ ગ્રોથમાં સુસ્તીનું મોટું કારણ એ છે કે સરકારી બેંકો પર દબાણ છે, જે ધીરાણમાં પોતાની પાછલી ભૂલોને કારણે ઉભું થયું છે. પોલિસી રેટ્સમાં ઘટાડો કરવાથી એ બધું યોગ્ય નહીં થાય.’

ઉલ્લેખનીય છે કે, રાજને ગત મહિને કહ્યું હતું કે, સપ્ટેમ્બરમાં આરબીઆઈ ગવર્નરનો કાર્યકાળ પૂરો કરી તેઓ શિકાગો યુનિવર્સિટીમાં ભણાવવા માટે પાછા જશે. ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અને સરકારમાં સામેલ કેટલાક લોકોએ વ્યાજદરોને ઉંચા સ્તરે રાખવા માટે રાજનની ઉગ્ર ટીકા કરી હતી.

રાજને કહ્યું કે, ‘અમે મોંઘવારીને જે લેવલ પર રોકવા ટાર્ગેટ રાખ્યો છે, કન્ઝૂમર પ્રાઈસ બેસ્ડ ઈન્ફ્લેશન હાલમાં તેનાથી ઉપરના લેવલની નજીક છે. ત્યારે કદાચ જ કોઈ એવું હોય જે કહે કે અમારું વલણ કડક રહ્યું છે. સ્પષ્ટ છે કે, અમારા ગત પોલિસી સ્ટેટમેન્ટમાં સંકેત આપ્યો હતો કે, અમે માર્ચ 2011 સુધીમાં મોંઘવારી ઘટાડી 5 ટકાની આસપાસ લાવવાની આશા રાખી રહ્યા છીએ.’ રાજને આ પહેલા પણ એ લોકોને આડે હાથ લીધા હતા, જે દલીલ કરી રહ્યા હતા કે આરબીઆઈએ વ્યાજદરો ઉંચા રાખી ઈન્ડિયામાં ડિમાન્ડ અને ગ્રોથને ઝટકો આપ્યો.

ઉલ્લેખનીય છે કે, આરબીઆઈએ ગત વર્ષે જાન્યુઆરીમાં શોર્ટ ટર્મ પોલિસી રેટમાં 150 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો છે, પરંતુ કેટલાક લોકો વધુ ઘટાડાની માંગ કરી રહ્યા છે. ઈન્ડિયન ઈકોનોમીએ માર્ચ સુધીના ત્રણ મહિનામાં વર્ષ પહેલાના મુકાબલે 7.9 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. રાજને કહ્યું કે, ‘ઈન્ટરનેશનલ લેવલ પર કોમોડિટીઝની કિંમતો ઘટવાથી મોંઘવારી નીચે આવી છે, પરંતુ સમગ્ર કહાની માત્ર આટલી નથી.’ તેમણે કહ્યું કે, સેન્ટ્રલ બેંક શોર્ટ ટર્મ બેસિસ પર પોલિસી નક્કી નથી કરતી, પરંતુ અહીં મીડિયા ડિબેટમાં તેને જ ચર્ચાનો મુદ્દો બનાવાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો