એપશહેર

મૂડીસર્જન માટે અત્યારે લાર્જ-કેપ ફંડ વધુ સુરક્ષિત

I am Gujarat 23 Sep 2018, 12:02 pm
65918965 મુંબઈ:શેરબજારમાં જ્યારે ભારે ચંચળતા હોય કે ઘટાડાનો દોર હોય ત્યારે પોર્ટફોલિયોમાં લાર્જ-કેપ શેરો લાંબા ગાળા માટે ભેગા કરવા જોઈએ તેમ આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલના એમડી અને સીઇઓ નિમેશ શાહ જણાવે છે.
I am Gujarat mutual fund 66
મૂડીસર્જન માટે અત્યારે લાર્જ-કેપ ફંડ વધુ સુરક્ષિત


તેઓ કહે છે કે મૂડીસર્જન માટે લાર્જ-કેપને ફોકસ કરતાં ફંડો પોર્ટફોલિયોનો એક ભાગ હોવા જોઈએ. આનું કારણ એ છે કે આ શેરો જે તે સેક્ટરના અગ્રણી હોય છે, માર્કેટમાં મોખરાનું તેમજ મહત્ત્વનું સ્થાન ધરાવે છે, કંપનીઓ સાઇકલિક ટ્રેન્ડમાંથી પસાર થઈ ચૂકી હોય છે, કંપનીઓ પાસે રોકડ પ્રવાહ રહેવાની સાથે ડિવિડન્ડ ચૂકવતી હોય છે. આને કારણે શેરબજારની ઊથલપાથલ સામે પણ સુરક્ષા આપે છે.

સામાન્ય રોકાણકારો માટે વ્યક્તિગત લાર્જ-કેપ શેરોમાં રોકાણ કરવું અધરું અને મોંઘું પુરવાર થઈ શકે છે તેમજ બજારની ઊંચી ચંચળતા સામે પણ તેઓ પોતાને સુરક્ષિત કરી શકતા નથી. આથી લાર્જ-કેપ ફંડોમાં રોકાણ કરવું શા માટે વધુ સરળ હોય છે તે આપણે જોઈએ.

શાહે કહ્યું કે, લાર્જ-કેપ શેરોનો સામાન્ય રીતે માર્કેટમાં બ્લૂ ચિપ ગણાતા શેરોમાં સમાવેશ થતો હોય છે. મજબૂત અને અનુભવી સંચાલન ક્ષમતા ધરાવતા મેનેજમેન્ટ સાઇક્લિક ઊથલપાથલમાંથી પસાર થઈ ચૂક્યા હોવાથી સારો અનુભવ ધરાવતા હોય છે અને જાહેરમાં કંપની અંગેના પૂરતા ડેટા પણ ઉપલબ્ધ હોય છે. સેબીનાં નવાં ધોરણો હેઠળ લાર્જ-કેપ ફંડોએ હવે તેમની 80 ટકા એસેટને લાર્જ-કેપ સંબંધિત કંપનીઓની ઇક્વિટીમાં અથવા તે સંબંધિત ઇક્વિટી સાધનોમાં રોકાણ કરવાનું રહે છે.

આ ઉપરાંત સેબીએ માર્કેટ કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ ટોચના 100 શેરોને લાર્જ-કેપ શેરો ગણ્યા છે. લાર્જ-કેપ શેરો અન્ય સેગમેન્ટના શેરોની સરખામણીએ ઓછી ચંચળતા ધરાવે છે.

લાર્જ-કેપ શેરોએ સામાન્ય રીતે કુલ રિટર્ન ઇન્ડેક્સ (ટીઆરઆઇ) કરતાં સારી કામગીરી દર્શાવી છે. બીએસઇ સેન્સેક્સ કે નિફ્ટી ૫૦ની સાથે કે પછી નિફ્ટી 100 સાથે જો લાર્જ-કેપ ફંડોની સરેરાશ કામગીરીને સરખાવવામાં આવે તો 170થી 300 બેસિસ પોઇન્ટનો મજબૂત તફાવત જોવાયો છે.

આ કામગીરીની સરખામણી 1 એપ્રિલ 2000થી લઈને 31 ઓગસ્ટ 2018 સુધીની કરવામાં આવી છે. વૈશ્વિક અસ્થિરતા અને સ્થાનિક રિફોર્મ પ્રોસેસના માર્ચ 2016થી ડિસેમ્બર 2017ના તબક્કામાં પણ માર્કેટના નબળા તબક્કામાં લાર્જ-કેપ ફંડોની વધુ સારી કામગીરી રહી હતી.

એપ્રિલ 2000માં ₹10,000નું લાર્જ-કેપમાં કરેલું રોકાણ ઓગસ્ટ 2018ને અંતે વધીને ₹1,18,707 થયું છે જેની સામે આટલું જો રોકાણ બેન્ચમાર્કમાં કર્યું હોય તો તે ₹99,436 થાય છે. આમ ચક્રવૃદ્ધિ દરે 14.5 ટકાથી વધુ રિટર્ન મળ્યું છે. રોકાણકારોએ સિસ્ટમેટિક વ્યૂ અપનાવીને આવાં ફંડોમાં રોકાણ કરવું જોઈએ જેથી લાંબા ગાળાના ધ્યેયને હાંસલ કરી શકાય.

ઐતિહાસિક રીતે જોવા જઈએ તો જેટલું લાંબું રોકાણ એટલું વધુ સારું વળતર મળે છે. આથી વર્તમાન તબક્કાને ધ્યાનમાં લેતાં સ્મોલ અને મિડ-કેપ કરતાં લાર્જ-કેપ શેરો લાંબા ગાળે વધુ સુરક્ષિત પુરવાર થઈ શકે છે. લાંબા ગાળાના રોકાણ માટે એસઆઇપી સૌથી સુરક્ષિત અને સરળ રોકાણનો માર્ગ છે.
]]>

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો