એપશહેર

હલ્દીરામ ફૂડ બિઝનેસમાં સૌથી મોટી બ્રાન્ડ કેવી રીતે બની ગઈ? અશનીર ગ્રોવરે રહસ્ય ખોલ્યું

Haldirams News: ફૂડ બિઝનેસની સફળ બ્રાન્ડની વાત આવે ત્યારે હલ્દીરામ (Haldirams)નું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. આજે દેશના દરેક ખૂણે આ બ્રાન્ડ જાણીતી છે અને હલ્દીરામની નમકીન તથા અન્ય પ્રોડક્ટ્સ દેશવિદેશમાં પહોંચી ગઈ છે. શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ અશનીર ગ્રોવર (Ashneer Grover) હલ્દીરામની સફળતા પાછળનું સૌથી મોટું કારણ જણાવે છે.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 27 Sep 2022, 4:59 pm
Haldirams Food Business: ભારતમાં ફૂડ બિઝનેસની સૌથી સફળ બ્રાન્ડની વાત આવે ત્યારે હલ્દીરામ (Haldirams)નું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. આજે દેશના દરેક ખૂણે આ બ્રાન્ડ જાણીતી છે અને હલ્દીરામની નમકીન તથા અન્ય પ્રોડક્ટ્સ દેશવિદેશમાં પહોંચી ગઈ છે. શાર્ક ટેન્ક ઈન્ડિયાના વિવાદાસ્પદ અને આખાબોલા જજ અશનીર ગ્રોવર (Ashneer Grover) હલ્દીરામ (Haldirams)ને દેશની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ ગણાવે છે. અશનીર ગ્રોવર Bharat Peના સ્થાપક તરીકે પણ જાણીતા છે. ગ્રોવરે હલ્દીરામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કમલ અગ્રવાલ સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે જેમાં તેમણે લખ્યું છે કે, "મીઠાઈ બનાવવાની કળા અમારા DNAમાં જ રહેલી છે. અમે સુતા હોઈએ ત્યારે પણ હંમેશા ફૂડનો વિચાર કરતા હોઈએ છીએ." Bharat Peમાંથી વિવાદાસ્પદ રીતે દૂર કરાયેલા અવનીશ ગ્રોવરે કહ્યું કે તેઓ હલ્દીરામ માટે બહુ આદર ધરાવે છે.
I am Gujarat Grover.
અશનીર ગ્રોવરના મતે તેમના ડીએનએમાં જ ફૂડનો શોખ સામેલ છે.


તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, "હમ તો DNA સે હલવાઈ હૈ. સોતે, ઉઠતે, બેઠતે, જાગતે સિર્ફ ખાના હી સોચતે હૈ. એ વાતમાં કોઈ શંકા નથી કે હલ્દીરામ ફૂડ બિઝનેસની સૌથી મોટી બ્રાન્ડ છે. તેમની પાસે તગડો પ્રોફીટ/કેશ ફ્લો અને વેલ્યૂએશન છે. આ કંપની માટે હું આદર ધરાવું છું." તાજેતરમાં અશનીર ગ્રોવર નાગપુરમાં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ અગાઉ ક્રિકેટર વિરાટ કોહલીને મળ્યા હતા. તેમણે ટ્વિટર પર આ મુલાકાતનો ફોટો પણ શેર કર્યો હતો.

અશનીર ગ્રોવરે નવી કંપની સ્થાપી
ભારત પે માંથી તેના સ્થાપક ગ્રોવરને દૂર કરવામાં આવ્યા પછી તેમણે પત્ની માધુરી જૈન ગ્રોવર સાથએ મળીને એક નવી કંપની બનાવી છે. આ કંપનીનું નામ થર્ડ યુનિકોર્ન પ્રાઈવેટ લિમિટેડ રાખવામાં આવ્યું છે. 6 જુલાઈએ સ્થાપવામાં આવેલી કંપનીમાં ગ્રોવર અને તેમના પત્ની ડિરેક્ટર છે. આ કંપની 10 લાખ રૂપિયાની કુલ પેઈડ અપ કેપિટલ ધરાવે છે અને 20 લાખ રૂપિયાની શેરમૂડી ધરાવે છે.

ગ્રોવરે અગાઉ એક વખત કહ્યું હતું કે તે પણ ખાવાપીવાના બહુ શોખીન છે. પરંતુ તેમણે બિઝનેસ રિયાલિટી શો Shark Tank Indiaના જજ તરીકે ખ્યાતિ મેળવી ત્યાર પછી બધું બદલાઈ ગયું હતું. તેના કારણે લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે. જજ બન્યા પછી મેં મારું વજન ઉતાર્યું છે. અગાઉ સાંજે છ વાગ્યે હું પાણીપુરી ખાવા જતો હતો, પરંતુ હવે તે સમયે મારે વર્કઆઉટ કરવો પડે છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ હવે માત્ર હેલ્થી ફૂડ ખાય છે અને પુષ્કળ ચાલે છે જેના કારણે તેમના વજનમાં સારો એવો ઘટાડો થયો છે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story