એપશહેર

આગામી સપ્તાહે બેન્ક સહિત ચાર સેક્ટર બજારને આઉટપરફોર્મ કરે તેવી શક્યતા

છેલ્લા પાંચ દિવસમાં શેરબજાર એકંદરે પોઝિટિવ રહ્યું અને અગાઉની સપોર્ટ સપાટી ફરીથી મેળવી હતી. આ દરમિયાન ટ્રેડિંગની રેન્જ પણ વિશાળ રહી હતી, જેમાં નિફ્ટીમાં 558 પોઈન્ટની વધઘટ રહી હતી. છેલ્લા 15 મહિનામાં ભારતીય બજારમાંથી લગભગ ચાર લાખ કરોડ રૂપિયા ખેંચી લેવાયા છે. ભારતીય બજારમાંથી એફઆઈઆઈની વેચવાલી હજુ પણ જારી છે.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 26 Jun 2022, 11:39 am
ગયા સપ્તાહમાં ભારતીય શેરબજારમાં બંને તરફી ચાલ જોવા મળી હતી. શરૂઆતના બે દિવસ બજારમાં ઘટાડો થયા પછી બજાર વધ્યું અને લગભગ 50 ટકા સુધી રિકવરી આવી ગઈ હતી. છેલ્લા પાંચ દિવસમાં શેરબજાર એકંદરે પોઝિટિવ રહ્યું અને અગાઉની સપોર્ટ સપાટી ફરીથી મેળવી હતી. આ દરમિયાન ટ્રેડિંગની રેન્જ પણ વિશાળ રહી હતી, જેમાં નિફ્ટીમાં 558 પોઈન્ટની વધઘટ રહી અને સપ્તાહના અંતે વધીને બંધ આવ્યો હતો. સાપ્તાહિક રીતે જોવામાં આવે તો નિફ્ટી 50 ઈન્ડેક્સ 405 પોઈન્ટ વધીને બંધ આવ્યો હતો.
I am Gujarat BSE Sensex
ગયા અઠવાડિયામાં સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો વધારો થયો


એક્સપર્ટ્સના માનવા પ્રમાણે હવે બજારમાં સ્ટોક સ્પેસિફિક ચાલ જોવા મળી શકે છે. એટલે કે કોઈ એક સેક્ટરનો દેખાવ નબળો હોય તો પણ તેના અમુક સ્ટોક્સ બહુ સારું પરફોર્મન્સ કરી શકે છે. આગામી સપ્તાહમાં નિફ્ટી માટે 15700ના સ્તરની ઉપર રહેવું જરૂરી છે. નિફ્ટી માટે 15700નો સ્તર એ ડબલ બોટમ સપોર્ટ છે અને તે રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. નિફ્ટી આ સ્તરથી ઉપર રહેશે તો બજારને મજબૂતી મળવાની શક્યતા છે. 15830થી 16000 એક તાત્કાલિક રેઝિસ્ટન્સ લેવલ તરીકે કામ કરી શકે છે. ટ્રેડિંગ રેન્જ પણ સામાન્ય કરતા વધારે પહોળી રહેવાની શક્યતા છે.

ડેરિવેટિવ ડેટા દર્શાવે છે કે સંભવિત ટ્રેડિંગ રેન્જ 15500થી 16000 રહી શકે છે. પરંતુ જો બજાર વધશે તો તેના માટે 15700ના સ્તરની ઉપર રહેવું મહત્ત્વપૂર્ણ રહેશે.

કયા સેક્ટર આઉટપરફોર્મન્સ કરશે
એનાલિસ્ટ દ્વારા ચાર્ટનો અભ્યાસ કર્યા પછી જણાવવામાં આવે છે કે નિફ્ટી બેન્ક, ઓટો, એફએમસીજી, કન્ઝમ્પશન ઈન્ડેકસ બીજા કરતા વધુ સારો દેખાવ કરે તેવી શક્યતા છે. જ્યારે નિફ્ટી ફાર્મા, કોમોડિટી, એનર્જી અને પીએસઈ ઈન્ડેક્સ નબળો દેખાવ કરે તેવી સંભાવના છે.
તેવી જ રીતે નિફ્ટી મેટલ ઈન્ડેક્સનો દેખાવ પણ નબળો રહી શકે છે. જ્યારે નિફ્ટી આઇટી અને સર્વિસિસ સેક્ટર ઇન્ડેક્સ તેનું રિલેટિવ મોમેન્ટમ સુધારવા પ્રયાસ કરે છે.

અત્યાર સુધી ભારે વેચવાલીભારતીય બજારમાંથી એફઆઈઆઈની વેચવાલી હજુ પણ જારી છે. છેલ્લા 15 મહિનામાં ભારતીય બજારમાંથી લગભગ ચાર લાખ કરોડ રૂપિયા ખેંચી લેવાયા છે. ગયા અઠવાડિયામાં સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો વધારો થયો હોવા છતાં વિદેશી રોકાણકારોનો ભરોસો હજુ પણ જોવા મળતો નથી. મોટા ભાગની ખરીદી સ્થાનિક ફંડ્સ દ્વારા કરવામાં આવી છે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો