એપશહેર

દેશમાં માત્ર એક જ ઉદ્યોગપતિને મળ્યો છે ભારત રત્ન, જાણો કોણ છે એ વ્યક્તિ?

1938માં ટાટા સન્સના ચેરમેનનું પદ સંભાળ્યું હતું અને તે આ પદ પર 1991 સુધી રહ્યાં હતાં.

I am Gujarat 6 Feb 2021, 10:17 pm
દેશમાં અત્યાર સુધીમાં માત્ર એક જ ઉદ્યોગપતિને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે અને તે રતન ટાટાના પરિવાર સાથે જ સંબંધ ધરાવે છે. આ વ્યક્તિ છે જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા એટલે કે જેઆરડી ટાટા. તેને 1992માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેઆરડી ટાટા 53 વર્ષ સુધીટાટા સન્સના ચેરમેન રહ્યાં અને તેઓ આ ગ્રુપના સૌથી સફળ ચેરમેન સમજવામાં આવે છે. જેઆરડીએ માત્ર 34 વર્ષની ઉંમર એટલે કે 1938માં ટાટા સન્સના ચેરમેનનું પદ સંભાળ્યું હતું અને તે આ પદ પર 1991 સુધી રહ્યાં હતાં.
I am Gujarat bharat ratna for ratan tata campaign know about the only industrialist who got this award
દેશમાં માત્ર એક જ ઉદ્યોગપતિને મળ્યો છે ભારત રત્ન, જાણો કોણ છે એ વ્યક્તિ?

ટાટા ગ્રુપના સૌથી સફળ ચેરમેન


ટાટા ગ્રુપને પહોંચાડ્યું આસમાને
JRDના કાર્યકાળમાં ટાટા ગ્રુપનો ગ્રોથ 50 ગણો વધ્યો છે. જેઆરડીના કાર્યકાળમાં ટાટા ગ્રુપનો કુલ બજાર મૂલ્ય 10 કરોડ ડોલરથી વધીને 500 કરોડ ડોલર સુધી પહોંચ્યું છે. હાલના સમયમાં ટાટા ગ્રુપની કુલ બજાર કિંમત આશરે 200 અબજ ડોલર છે. પોતાના કાર્યકાળમાં તેમણે ટાટા ગ્રુપમાં 14 નવી કંપનીઓ શરુ કરી હતી. ટાટા મોટર્સ, ટાટા સોલ્ટ, ટાટા ગ્લોબલ બેવરેજિસ અને ટાઈટન જેવી સફળ કંપનીઓની શરુઆત જેઆરડીએ જ કરી હતી.

1938માં ટાટા સન્સના ચેરમેનનું સંભાળ્યું હતું પદ


ભારતમાં સિવિલ એવિએશન ઈન્ડસ્ટ્રીના જનક
જેઆરડીને ભારતમાં સિવિલ એવિએશન ઈન્ડસ્ટ્રીના જનક પણ કહેવામાં આવે છે. 1929માં તે ભારતમાં એવા વ્યક્તિ બન્યા હતાં. જેમણે હવાઈ જહાજ ચલાવવા માટે લાયસન્સ મળ્યું. જે પછી 1932માં તેમણે ટાટા એરલાઈન્સની સ્થાપના કરી હતી. જેને 1946માં એર ઈન્ડિયા નામ આપવામાં આવ્યું છે. હાલ એર ઈન્ડિયા ભારતની સરકારી એરલાઈન કંપની છે અને રસપ્રદ વાત તો એ છે કે ટાટા ગ્રુપ તેને ખરીદવાની રેસમાં છે!

ટાટા ગ્રુપને પહોંચાડ્યું આસમાને

" />
કર્મચારીઓની ભલાઈ માટે કર્યા અનેક કામ
JRDએ IASની જેમ જ 1956માં ટાટા એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (TAS)ની શરુઆત કરી હતી. જેનો હેતુ ટાટા ગ્રુપમાં યુવા પ્રતિભાઓને પ્રશિક્ષિત કરીને તેમને લીડરશિપ માટે તૈયાર કરવાનો હતો. ટાટાએ ઉદ્યમિતા સાથે પોતાના કર્મચારીઓ અને તેમના પરિવારોના કલ્યાણ માટે અનેક કામ કર્યા હતાં. ટાટાએ જ સૌથી પહેલા 8 કલાકની ડ્યૂટી નક્કી કરી હતી. તેમણે પોતાના કર્મચારીઓ માટે ફ્રી મેડિકલ સુવિધા અને ભવિષ્ય નિધિ યોજનાની શરુઆત કરી હતી. કોઈ કર્મચારી સાથે દુર્ઘટના થઈ જવાની સ્થિતિમાં ટાટાએ સૌથી પહેલા વળતર આપવાની પહેલ કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો
latest business news in gujarati