અદાણી ગ્રુપ પર LICનું કેટલું દેવું છે! ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે કર્યો ખુલાસો
હિન્ડનબર્ગ રિસર્ચ (Hindenburg Research)નો રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી ગ્રુપ (Adani Group)ની કંપનીઓના શેર્સમાં આવેલા ઘટાડાને પગલે એલઆઈસી (LIC)ના તેમાં રોકાણ અને તેને આપેલી લોન સામે સવાલ ઉઠવા લાગ્યા હતા. નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) અદાણી ગ્રુપમાં એલઆઈસીના ડેટ એક્સપોઝર અંગે લોકસભામાં એક લેખિત જવાબમાં માહિતી આપી હતી.
હાઈલાઈટ્સ:
- અદાણી ગ્રુપની કંપનીઓના શેર્સના ભાવ વધતા એલઆઈસીના ડેટમાં સામાન્ય ઘટાડો થયો.
- નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં આપી માહિતી.
- 5 માર્ચે તે 6,183 કરોડ રૂપિયા રહી ગયું છે, જે 31 ડિસેમ્બર, 2022એ 6,347 કરોડ રૂપિયા હતું.
નવી દિલ્હીઃ અદાણી ગ્રુપ (Adani Group)માં એલઆઈસી (LIC) દેવા અને રોકાણ પર હાલમાં ઘણી ચર્ચા થઈ છે. તેનું કારણ એ છે કે, અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચ (Hindenburg Research)ના 24 જાન્યુઆરીએ આવેલા રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેર્સમાં એક મહિનાથી પણ ઓછા સમયમાં મોટો ઘટાડો થયો. ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)એ સોમવારે જણાવ્યું કે, ગત ત્રણ મહિના દરમિયાન અદાણી ગ્રુપની કંપનીઓને એલઆઈસીએ આપેલા દેવામાં ઘટાડો થયો છે. સીતારમણે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે, અદાણી ગ્રુપની કંપનીઓમાં એલઆઈસીનું ડેટ એક્સપોઝર (Debt Exposure) 31 ડિસેમ્બર, 2022એ 6,347 કરોડ રૂપિયા હતું, જે પાંચ માર્ચે 6,183 કરોડ રૂપિયા રહી ગયું છે. નાણા મંત્રીએ જણાવ્યું કે, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશયલ ઈકોનોમિક ઝોન (APSEZ)ની પાસે સૌથી વધુ 5,388.60 કરોડ રૂપિયાનું એક્સપોઝર છે. એ જ રીતે અદાણી પાવર મુંદ્રા (Adani Power Mundra) પાસે 266 કરોડ રૂપિયા, અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ ફેઝ-1 (Adani Power Maharashtra Ltd - Phase I) પાસે 81.60 કરોડ રૂપિયા, અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ ફેઝ-3 (Adani Power Maharashtra Ltd - Phase III) પાસે 254.87 કરોડ રૂપિયા, રાયપુર એનર્જેન લિમિટેડની પાસે 145.67 કરોડ રૂપિયા અને રાયગઢ એનર્જી જનરેશન લિમિટેડ પાસે 45 કરોડનું એક્સપોઝર છે. તેમણે સાથે જ જણાવ્યું કે, પાંચ સરકારી નજરલ ઈન્શોરન્સ કંપનીઓએ અદાણી ગ્રુપની કોઈપણ કંપનીને લોન નથી આપી.
કેટલી કંપનીઓમાં છે રોકાણફાઈનાન્સ મિનિસ્ટરે કહ્યું કે, સરકારી બેંકો મુજબ અદાણી ગ્રુપને પ્રોજેક્ટ્સની વાયબિલિટી, કેશ ફ્લો અંદાજ, જોખમ વગેરે ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને લોન અપાઈ છે. અદાણી ગ્રુપના શેર્સમાં ઘટાડાના કારણે આકંપનીઓમાં એલઆઈસીના ઈન્વેસ્ટમેન્ટની કિંમત ઘટી ગઈ હતી. તેનાથી એલઆઈસીના રોકાણ સામે સવાલ ઊભા થવા લાગ્યા હતા. જોકે, હાલમાં ગ્રુપના શેર્સમાં તેજી આવી છે. તેનાથી એલઆઈસીના રોકાણની કિંમત ફરી એકવખત ઉપર ગઈ છે. એલઆઈસીનું અદાણી ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ છે.
કેટલી કંપનીઓમાં છે રોકાણફાઈનાન્સ મિનિસ્ટરે કહ્યું કે, સરકારી બેંકો મુજબ અદાણી ગ્રુપને પ્રોજેક્ટ્સની વાયબિલિટી, કેશ ફ્લો અંદાજ, જોખમ વગેરે ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને લોન અપાઈ છે. અદાણી ગ્રુપના શેર્સમાં ઘટાડાના કારણે આકંપનીઓમાં એલઆઈસીના ઈન્વેસ્ટમેન્ટની કિંમત ઘટી ગઈ હતી. તેનાથી એલઆઈસીના રોકાણ સામે સવાલ ઊભા થવા લાગ્યા હતા. જોકે, હાલમાં ગ્રુપના શેર્સમાં તેજી આવી છે. તેનાથી એલઆઈસીના રોકાણની કિંમત ફરી એકવખત ઉપર ગઈ છે. એલઆઈસીનું અદાણી ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ છે.