એપશહેર

Gautam Adani:એક મહિનામાં ત્રીજાથી 33માં નંબરે આવી ગયા ગૌતમ અદાણી, હિન્ડનબર્ગનો રિપોર્ટ અદાણી સહિત આને પણ લઈ ડૂબ્યો!

Gautam Adani Hindenburg Report:હિન્ડનબર્ગનો રિપોર્ટ માત્ર ગૌતમ અદાણીને જ નહીં, પરંતુ એની સાથે સંકળાયેલા લોકોને પણ ઝટકો આપી રહી છે. ગયા એક મહિનામાં ગૌતમ અદાણીની સંપતિ એક તૃત્યાંશ જ બાકી રહી ગઈ છે. માત્ર અદાણી જ નહીં તેમના રોકાણકારોને પણ મોટો ઝટકો લાગ્યો છે. એલઆઈસી અને એસબીઆઈ પણ એનાથી બાકાત નથી. એક મહિનામાં અદાણીની રોકાણ વેલ્યૂ ઘટી ગઈ છે. તો એસબીઆઈના શેરોની કિંમતમાં પણ ઘટાડો થયો છે.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 25 Feb 2023, 1:49 pm

હાઈલાઈટ્સ:

  • હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીને લાગ્યો છે મોટો ઝટકો
  • ગૌતમ અદાણી ત્રીજા નંબરેથી સીધા 33 એ પહોંચી ગયા
  • 35 અબજ ડૉલરની નેથવર્થ હવે ગૌતમ અદાણી પાસે રહી ગઈ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat gautam adani from third to number 33
હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ છેલ્લાં એક મહિનામાં ગૌતમ અદાણીને ભારે નુકસાન થયું છે.
નવી દિલ્હીઃ ક્યારેક વિશ્વા ત્રીજા સૌથી અમીર ઉદ્યોગપતિ રહી ચૂકેલા ગૌતમ અદાણી પાસે માત્ર એક તૃત્યાંશ જ સંપતિ રહી ગઈ છે. ગૌતમ અદાણી જેઓ 130 અબજ ડૉલરની નેટવર્ષ સાથે એક મહિના પહેલાં વિશ્વના ત્રીતા અમીર શખસ હતા, એક મહિનામાં તેઓ 33 નંબરે પહોંચી ગાય છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયેનર લિસ્ટમા ગૌતમ અદાણી 35 અબજ ડૉલરની સાથે 33માં નંબરે પહોચી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, આ બધુ અમેરિકી રિસર્ચ ફર્મ હિન્ડનબર્ગનો નેગેટિવ રિપોર્ટ સામે આવ્યા બાદ થયુ છે. 24 જાન્યુઆરીના રોજ શોર્ટ સેલર કંપનીએ અદાણી ગ્રુપ વિરુદ્ધ પોકતાનો રિપોર્ટ જારી કર્યો હતો. ત્યારે તેમની સંપતિ 127 અબજ ડૉલર હતી. થોડા જ દિવસોમાં આ રિપોર્ટે તેમને 33મા ક્રમે પહોંચાડી દીધા છે. ગયા એક મહિનામાં અદાણી ગ્રુપમાં ઘણું બધુ જોવા મળ્યું છે.
હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ શું થયું?
હિન્ડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર અકાઉન્ટિંગ ફ્રોડ, શેરોની કિંમતમાં ઓવરપ્રાઈઝ સહિત કેટલાંક ગંભીર આક્ષેપો મૂક્યા છે. પોતાના રિપોર્ટમાં હિન્ડનબર્ગે કહ્યું હતું કે, અદાણી સૂહની કંપનીઓના શેરના ભા 85 ટકા વધુ છે એઅને આજે તેની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. અદાણીના શેર 85 ટકા સુધી ઘટ્યા છે. ગૌતમ અદાણીને જ નહીં તેમના રોકાણકારો પણ ભારે નુકસાન પહોંચ્યુ છે.
ICICI Lombardએ હેલ્થ, મોટર અને કોર્પોરેટ સેગમેન્ટમાં 14 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી
ગૌતમ અદાણીને સૌથી વધારે નુકસાન
ગૌતમ અદાણીની ખાનગી સંપતિ ઘટીને માત્ર 35 અબજ ડૉલર બચી ગઈ છે. 24 જાન્યુઆરીથીા લઈને 24 ફેબ્રુઆરી દરમિયાન ગૌતમ અદાણીની નેટવર્ષ 127 અબજ ડોલરથી ઘટીને 35 અબજ ડૉલર સુધી આવી ગઈ છે. એક મહિનામાં તેમની સંપતિમાં એક તૃત્યાંશનો ઘટાડો થયો છે. હવે ગૌતમ અદાણી પાસે માત્ર એક તૃત્યાંશ સંપતિ જ બચી છે. જો બ્લૂમબર્ગ બિલિયેનર ઈન્ડેક્સમાં જોવામાં આવે તો ગૌતમ અદાણી સંપતિ 40 અબજ ડૉલરની આસપાસ રહી ગઈ છે.

LICને ઝટકો
ગૌતમ અદાણીના શેરોની કિંમતમાં ભારે નુકસાન પહોંચ્યું છે. આ રોકાણકારોમાં LIC સૌથી મોટું રોકાણકાર છે. જેને આ રિપોર્ટ સામે આવ્યા બાદ ભારે નુકસાન પહોંચ્યું છે. અદાણીની પાંચ કંપનીઓમાં એલઆઈસીનું મોટુ રોકાણ છે. 24 જાન્યુઆરીના રોજ અદાણી કંપનીઓમાં એલઆઈસીનું કુલ રોકાણ 72193.87 કરોડ રુપિયાનું હતું. જે 23 ફેબ્રુઆરીના રોજ ઘટીને 26861.88 રુપિયા રહી ગયુ છે. એટલે કે અદાણીની કંપનીઓમાં એલઆઈસીનું રોકાણ 62.97 ટકા સુધી ઘટ્યું છે. એટલું જ નહીં એલઆઈસી પર બે ગણો માર પડ્યો છે. અદાણીના શેરોમાં 17 ટકા સુધીનો ઘટાડો થયો છે.
Onion Price: વિદેશોમાં ડુંગળીનો ભાવ આસમાને! ભારતના ખેડૂતો એક રૂપિયે કિલોમાં વેચવા મજબૂર
SBIને પણ મોટો ઝટકો
ગૌતમ અદાણીને લાગેલા ઝટકા બાદ એસબીઆઈના શેરોમાં પણ તેની અસર જોવા મળી છે. ગૌતમ અદાણીની કંપનીઓને એસબીઆઈએ મોટી લોન આપી છે. જો કંપની આ દેવુ ચૂકાવી ન શકે તો બેંકોને મોટુ નુકસાન થશે. આ ડરના કારણે એસબીઆઈના રોકાણકારો શેર વેચવા લાગ્યા છે. 24 જાન્યુઆરીના રોજ જ્યારે હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો તો એસબીઆઈના શેર 604.60 રુપિયાએ બંધ થયો હતો. 23 ફેબ્રુઆરીના રોજ કંપની શેર ઘટીને 521 રુપિયાએ પહોંચી ગયા છે. એક મહિનામાં એસબીઆઈના શેર 14 ટકા તૂટ્યા છે. એટલે કે જોવામાં આવે તો હિન્ડનબર્ગના રિપોર્ટના આંકડા માત્ર અદાણી સુધી જ સિમિત નથી, પરંતુ એની સાથે સંકળાયેલા લોકોને પણ નુકસાન થઈ રહ્યું છે.
Latest Business News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો