એપશહેર

Gautam Adani અથવા તેમના પત્નીને મળશે રાજ્યસભાની સીટ? Adani Group તરફથી કરવામાં આવ્યો આ અટકળો પર ખુલાસો

પાછલા થોડા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અથવા તેમના પત્ની અથવા તેમના પરિવારના કોઈ એક સભ્યને આંધ્રપ્રદેશથી રાજ્યસભાની ટિકિટ આપવામાં આવશે. અદાણી ગ્રુપ દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરીને આ તમામ અટકળોને ખોટી અને પાયાવિહોણી ગણાવી છે. તેમણે કહ્યું કે, અદાણી પરિવારને રાજકારણમાં કોઈ રસ નથી.

Edited byZakiya Vaniya | TNN 15 May 2022, 10:12 am
નવી દિલ્હી- પાછલા થોડા સમયથી સોશિયલ મીડિયા પર અને અમુક મીડિયા હાઉસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પરિવારના એક સભ્યને રાજ્યસભાની સીટ આપવામાં આવશે. અટકળો ચાલી રહી હતી કે ગૌતમ અદાણી પોતે અથવા તો તેમના પત્ની ડોક્ટર પ્રીતિ અદાણીને આંદ્રપ્રદેશથી રાજ્યસભા મોકલવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે 10મી જૂનના રોજ રાજ્યસભાની સીટ માટે ચૂંટણી થવાની છે. આ પ્રકારની અટકળો તેજ થતાં અદાણી ગ્રૂપ દ્વારા એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે અને સમગ્ર બાબતે ખુલાસો આપવામાં આવ્યો છે.
I am Gujarat gautam adani wife
ફાઈલ ફોટો


ત્રિપુરાના CM બિપ્લબ દેબનું અચાનક રાજીનામું લેવાયું, માણિક સાહા બનશે નવા મુખ્યમંત્રી
અદાણી ગ્રૂપ દ્વારા ટ્વિટર પર એક મીડિયા સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે કે- અમુક ન્યુઝ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે મિસ્ટર ગૌતમ અદાણી અથવા ડોક્ટર પ્રીતિ અદાણીને રાજ્ય સભાની સીટ આપવાની છે. અમને આ બાબતની જાણકારી મળી છે. આ સંપૂર્ણપણે ખોટા અહેવાલ છે. જ્યારે પણ રાજ્યસભા સીટ ખાલી થાય છે ત્યારે આ પ્રકારના રિપોર્ટ સામે આવતા હોય છે.

Saharaના ચેરમેન સુબ્રતા રોય પર લટકી ધરપકડની તલવાર, ફરી જઈ શકે છે જેલ!
સ્ટેટમેન્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારના મીડિયા અહેવાલોમાં અમારું નામ આવી રહ્યું છે તે દુર્ભાગ્યની વાત છે. ગૌતમ અદાણી અથવા ડોક્ટર પ્રીતિ અદાણી અથવા અદાણી પરિવારના એક પણ સભ્યને રાજકીય કારકિર્દીમાં કોઈ રસ નથી અથવા તો તેઓ કોઈ પણ રાજનૈતિક પાર્ટી સાથે જોડાવવા પણ નથી માંગતા.


ઉલ્લેખનીય છે કે આ પહેલા મીડિયા હાઉસના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મહોન રેડ્ડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહના કહેવા પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વરિષ્ઠ સમૂહ અધ્યક્ષ પરિમલ નથવાણીને રાજ્યસભાની ટિકિટ આપી ચૂક્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જગન મહોન રેડ્ડી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પરિવારને અમિત શાહના પ્રસ્તાવ અનુસાર રાજ્યસભાની ટીકીટ આપશે. જો કે હવે અદાણી ગ્રુપના ખુલાસા પછી કહી શકાય કે આ તમામ પ્રકારની અટકળો ખોટી અને પાયાવિહોણી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો