એપશહેર

છેલ્લા એક વર્ષમાં 169 શેર્સમાં રોકાણકારોને 637 ટકા સુધીનું ધમાલ વળતર

મહામારીના આ સમયમાં લોકો આવકના બીજા સ્ત્રોત તરીકે શેર બજાર તરફ વળ્યા છે તો માર્કેટમાં પણ દેશી અને વિદેશી રોકાણ વધતાં ખાસ્સી તેજી જોવા મળી રહી છે. એક વર્ષમાં માર્કેટ 40000થી વધને 61000 સુધી પહોંચી ગયું છે.

I am Gujarat 16 Oct 2021, 1:41 pm
અમદાવાદ: શેર બજારમાં રોકાણ પ્રત્યે ધીરે ધીરે જાગૃતિ વધી રહી છે તેમ તેમ લોકો મહામારીના આ છેલ્લા એક વર્ષમાં માર્કેટમાં સ્થાનિક તેમજ વિદેશી રોકાણ વધી રહ્યું છે. જેની સીધી અસર માર્કેટમાં શેરના ભાવ અને શેરબજારના આંકડા પર જોવા મળી રહી છે. છેલ્લા એક વર્ષમાં માર્કેટ 40 હાજરથી વધીને 61000 સુધી પહોંચ્યું છે. જે દરમિયાન કેટલાક શેર્સમાં રોકાણકારોને બખ્ખા પડી ગયા છે. શેર બજારનો આ ટ્રેન્ડ દર્શાવે છે કે જો તમે માર્કેટમાં લાંબા ગાળાનું રોકાણ સમજી વિચારીને કરો છો તો ચોક્કસપણે મોટી કમાણી કરી શકો છો.
I am Gujarat in last one year 169 share gave upto 637 percent return to investor in share market
છેલ્લા એક વર્ષમાં 169 શેર્સમાં રોકાણકારોને 637 ટકા સુધીનું ધમાલ વળતર


તેમાં પણ છેલ્લા એક વર્ષમાં મહામારીની પ્રતિકૂળતા વચ્ચે લોકોએ આવકના બીજા સ્ત્રોત તરીકે શેર બજાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ સાથે સરકારી રાહતો સહિતના અન્ય સાનુકુળ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે 169 શેરોમાં 106 ટકાથી માંડીને 637 ટકા સુધીનું ઊંચું વળતર મળ્યું છે. છેલ્લા એક વર્ષના બજાર ટ્રેન્ડ પર હાથ ધરાયેલ અભ્યાસના તારણ મુજબ મહામારી બાદ ભારતીય અર્થતંત્રને પુન: ધબકતું કરવા સરકાર તેમજ રિઝર્વ બેંક દ્વારા ભરાયેલા શ્રેણીબધ્ધ પગલાની ભારતીય શેર બજાર પર સાનુકુળ અસર જોવાઇ છે. બીજી તરફ વૈશ્વિક સ્તરના કેટલાક ચોક્કસ અહેવાલોની પણ ભારતીય બજાર પર સાનુકુળ અસર થઇ હતી.

આ ઉપરાંત નીચા વ્યાજ દર અને નાણાંકીય તરલતાની પણ બજાર પર સાનુકુળ અસર જોવા મળી હતી. આ અહેવાલો પાછળ બીએસઈ પર લિસ્ટેડ 169જેટલા શેરોમાં જંગી એવું 106 ટકાથી માંડીને 637 ટકા સુધી રિટર્ન મળ્યું છે. જ્યારે 279 શેરોમાં ડબલ ડિજીટમાં રિટર્ન મળ્યું હતું. જો કે જાણીતા એવા 32 શેરોમાં પીછેહઠ પણ થવા પામી હતી. ગત દશેરાથી આજ દિન સુધીના એક વર્ષના સમયગાળામાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેર બજારમાં રૂ. 1.9 લાખ કરોડનું રોકાણ કર્યું છે. તો બીજી તરફ સ્થાનિક સંસ્થાઓ દ્વારા રૂ. 60000 કરોડનું રોકણ થયું છે. આ સમય દરમિયાન રીટેલ રોકાણકારો પણ બજારમાં મોટા પાયે સક્રિય બન્યા છે. તાજેતરમાં મ્યુ. ફંડ ક્ષેત્રે સીપમાં થતા રોકાણે પણ પ્રથમ વખત રૂ. 10000 કરોડની સપાટી કુદાવી દીધી હતી.

એવા કેટલાક શેર્સ જોઈએ કે જેમાં છેલ્લા એક વર્ષમાં ખૂબ જ માતબર વળતર મળ્યું હોય તેમાં ટકાવારી મુજબ સૌથી વધુ વળતર અદાણી ગેસમાં મળ્યું છે જે 637.03 ટકા જેટલું છે. જે બાદ JSW એનર્જીમાં 520.64 ટકા જેટલું વળતર મળ્યું છે. અદાણી ટ્રાન્સમીશન 475.67 ટકા વધારો જોવા મળ્યો છે. તેવી જ રીતે બાલાજી એપાઇન્સના શેરમાં રોકાણકારોને 429.37 ટકાનો વધારો થયો છે. જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં રોકાણકારોનું રોકાણ 421.85 ટકા વધી ગયું છે. તે ઉપરાંત ટ્રાઇડેન્ટના શેરમાં 386.18 ટકા, HFCLમાં 368.84 ટકા, હેપ્પીએસ્ટ માઇન્ડમાં 341.39 ટકા અને ગુજ. ફલુરો કેમીકલમાં 312.97 ટકા તો IRCTCમાં રોકણકારને 311.76 ટકા જેટલું વળતર મળ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો