એપશહેર

રોડ અકસ્માતમાં બેન્ક એક્ઝિક્યુટિવનું મોતઃ ત્રણ કરોડનું વળતર ચુકવવા આદેશ

કોટક મહિન્દ્રા બેન્કના એક એક્ઝિક્યુટિવને 2016માં મુંબઈ-અમદાવાદ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. તેમાં ભાંડુપ સ્થિત બેન્ક એક્ઝિક્યુટિવ મહિલા ભુષણ જાધવનું મૃત્યુ થયું હતું. હવે આ મૃતકના માતાને ત્રણ કરોડ રૂપિયાનું વળતર ચુકવવામાં આવશે. આ કેસમાં હાઈવે પર ઉભેલી ઈનોવા કારને પાછળથી આવતી મહિન્દ્રા પિકઅપ દ્વારા ટક્કર મારવામાં આવી હતી અને મહિલાનું મોત નિપજ્યું હતું.

Authored byઅજિત ગઢવી | TIMESOFINDIA.COM 11 Aug 2022, 2:36 pm
વાહન અકસ્માતના કેસ (Road Accident Case)માં લાખો રૂપિયાનું વળતર ચુકવાયું હોય તેવા કિસ્સા તો તમે જાણતા હશો, પરંતુ મુંબઈમાં એક એક્સિડન્ટ કેસમાં મૃતકના પરિવારજનોને ત્રણ કરોડ રૂપિયા ચુકવવાનો ટ્રિબ્યુનલે આદેશ આપ્યો છે. ભારતમાં વાહન એક્સિડન્ટ કેસમાં આ સૌથી મોટા પેમેન્ટ પૈકી એક હશે. કોટક મહિન્દ્રા બેન્કના એક એક્ઝિક્યુટિવને 2016માં મુંબઈ-અમદાવાદ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. તેમાં ભાંડુપ સ્થિત બેન્ક એક્ઝિક્યુટિવ મહિલા ભુષણ જાધવનું મૃત્યુ થયું હતું. હવે આ મૃતકના માતાને ત્રણ કરોડ રૂપિયાનું વળતર ચુકવવામાં આવશે.
I am Gujarat Money
રોડ અકસ્માત માટે આટલી મોટી રકમ ભાગ્યે જ ચુકવવામાં આવી છે.


ઘટનાની વિગત પ્રમાણે 38 વર્ષીય ભુષણ જાધવ હાઈવે પર પાર્ક કરાયેલી કારમાં જ બેઠા હતા, જ્યારે પરિવારના બીજા સભ્યો કારમાંથી નીચે ઉતરીને બાજુના ગામમાં ગયા હતા. ભુષણ જાધવ કોટક મહિન્દ્રા બેન્કમાં આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડન્ટ તરીકે કામ કરતા હતા અને તેમનો માસિક પગાર લગભગ બે લાખ રૂપિયા હતો. તેમની સગાઈ થઈ ગઈ હતી અને થોડા સમયમાં લગ્ન થવાના હતા. આ અકસ્માતને બેદરકારીનો ગુનો ગણાવીને અકસ્માત કરનાર મહિન્દ્રા પિકઅપની વીમા કંપની, ડ્રાઈવર અને માલિકને લાયેબિલિટીના 70 ટકા ચુકવવા ટ્રિબ્યુનલે ઓર્ડર આપ્યો હતો. વીમા કંપની, ડ્રાઈવર અને ઈનોવા કારના માલિકે બાકીનું 30 ટકા વળતર આપવાનું રહેશે.

ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે ઈનોવા કારને નેશનલ હાઈવે પર બેદરકારીભરી રીતે પાર્ક કરવામાં આવી હતી. નેશનલ હાઈવે પર વાહનો હાઈ સ્પીડમાં જતા હોય ત્યારે ત્યાં વાહન પાર્ક કરવું ન જોઈએ. આ રીતે ઈનોવા કારના ડ્રાઈવરનો પણ વાંક છે અને તે પણ જવાબદાર છે. જોકે, મુખ્ય વાંક મહિન્દ્રા પિકઅપનો છે જેણે રસ્તા પર ઉભેલી ઈનોવાને ટક્કર મારી હતી. અકસ્માત સવારે 8.30 વાગ્યે થયો હતો અને કાર ફૂલ સ્પિડમાં જતી હતી તેથી તે વાહન કન્ટ્રોલમાં રહ્યું નહીં અને ઈનોવાને પાછળથી ટક્કર મારી હતી. તેથી આ કાર પાર્ક કરનાર ડ્રાઈવરની બેદરકારી ઉપરાંત તેને ટક્કર મારનાર મહિન્દ્રા પિકઅપના ડ્રાઈવરની પણ બેદરકારી છે.

2017માં એક પાઈલટના 68 વર્ષીય પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે તેમને પણ ત્રણ કરોડ રૂપિયાનું વળતર ચુકવવા બે વીમા કંપનીઓ સહમત થઈ હતી.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો