એપશહેર

જ્હોન્સન એન્ડ જ્હોન્સનના બેેબી ટેલ્કમ પાઉડરથી કેન્સર થાય છે? કંપનીઓ લેવો પડ્યો આકરો નિર્ણય

જ્હોન્સન એન્ડ જ્હોન્સન બેબી ટેલ્કમ પાઉડર (baby talcum powder) માટે દુનિયાભરમાં જાણીતી છે, પરંતુ આ પાઉડરથી કેન્સર થતું હોવાનો આરોપ છે. તેના કારણે તેની સામે ઢગલાબંધ કેસ થયા છે. તેનાથી કંટાળીને જ્હોન્સન એન્ડ જ્હોન્સને દુનિયાભરમાં ટેલ્કમ પાઉડરના બદલે કોર્નસ્ટાર્ચનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ અત્યાર સુધીમાં સેટલમેન્ટ માટે અબજો ડોલરનો ખર્ચ કર્યો છે.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 12 Aug 2022, 5:32 pm
જ્હોન્સન એન્ડ જ્હોન્સન (johnson and johnson) તેના બેબી ટેલ્કમ પાઉડર (baby talcum powder) માટે દુનિયાભરમાં જાણીતી છે, પરંતુ આ પાઉડર બાળકોની ત્વચા માટે નુકસાનકારક હોવાના કારણે તેની સામે ઢગલાબંધ કેસ થયા છે. તેનાથી કંટાળીને જ્હોન્સન એન્ડ જ્હોન્સને દુનિયાભરમાં ટેલ્કમ પાઉડરના બદલે કોર્નસ્ટાર્ચનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ જણાવ્યું કે તે વિશ્વવિખ્યાત ટેલ્કમ પાઉડરર પ્રોડક્ટને 2023થી બંધ કરી દેશે. તેની જગ્યાએ કોર્નસ્ટાર્ચ આધારિત પ્રોડક્ટનું વેચાણ કરશે. અમેરિકા અને કેનેડામાં કંપનીએ ઘણા વર્ષો અગાઉ આ પાઉડરનું વેચાણ બંધ કરી દીધું છે.
I am Gujarat johnson-and-johnson.
જ્હોન્સન એન્ડ જ્હોન્સન તેની બેબી પ્રોડક્ટના કારણે ઘણા સમયથી વિવાદમાં છે.


J&Jએ જણાવ્યું કે તેણે પોતાના પોર્ટફોલિયોનું એનાલિસિસ કર્યું છે અને હવેથી ટેલ્કમના બદલે કોર્નસ્ટાર્ચનો ઉપયો કરવાનો કોમર્શિયલ નિર્ણય લીધો છે. તેણે દાવો કર્યો છે કે તેની પ્રોડક્ટ સુરક્ષિત છે, પરંતુ તેની સામે ઘણા કેસ થયા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ટેલ્કમ પાઉડરથી કેન્સર થાય છે. ન્યુજર્સી સ્થિત કંપની ન્યૂ બ્રન્સવિકનો શેર પોસ્ટ માર્કેટ ટ્રેડિંગમાં એક ટકા કરતા વધુ વધ્યો હતો. પરંતુ ગુરુવારના બંધ ભાવ પછી તેમાં 2.3 ટકાથી વધુ વધારો થયો છે. મ 2022માં J&J સામે દુનિયાભરમાં હજારો કેસ થયા હતા અને તેની પ્રોડક્ટથી બાળકોને કેન્સર થતું હોવાનો આરોપ મુકાયો હતો. તેના કારણે કેનેડા અને અમેરિકામાં આ પાઉડરનું વેચાણ બંધ કરવામાં આવ્યું હતું.

ટેલ્કમ પાઉડરનો ઉપયોગ શા માટે?
દુનિયાભરમાં દાયકાઓથી ટેલ્કમ પાઉડરનો ઉપયોગ થાય છે કારણ કે તેમાં રહેલા મિનરલ્સથી ત્વચા સૂકી રહે છે અને ડાયપર પહેરવાના કારણે લાલ ચકામા પડતા નથી. પરંતુ જે ખાણોમાંથી આ પાઉડર બને છે તેમાં એસ્બેસ્ટોસ પણ હોય છે જેનો ઉપયોગ બિલ્ડિંગ ઇન્સ્યુલેશન બનાવવા માટે થાય છે અને તે કેન્સર પેદા કરી શકે છે તેમ રિસર્ચરનું કહેવું છે. કેટલીક કન્ઝ્યુમર કંપનીઓનું કહેવું છે કે કોર્નસ્ટાર્ચથી પણ ટેલ્કમ પાઉડર જેવી જ ઇફેક્ટ મળે છે અને તેમાં કેન્સર થવાનું જોખમ પણ રહેતું નથી. ટેલ્કમ બેઝ્ડ પાઉડરના કારણે એકલા અમેરિકામાં J&J સામે 40 હજારથી વધારે કેસ થયા છે.

જ્હોન્સન એન્ડ જ્હોન્સનના વકીલે કહ્યું કે આટલા બધા કોર્ટના કારણે તેના પર કાનૂની ખર્ચનો બોજ વધી ગયો છે. તેથી તે એક ગ્લોબલ સેટલમેન્ટ કરવા માંગે છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ ટેલ્કમ પાઉડરના કેસ લડવા માટે વકીલોને એક અબજ ડોલરથી વધારે ફી ચુકવી છે અને જ્યુરીના ચુકાદા પણ અલગ અલગ હોય છે તેના કારણે કંપનીની ચિંતામાં વધારો થયો છે. આ ઉપરાંત સેટલમેન્ટ તરીકે કંપનીને 3.5 અબજ ડોલરની ચુકવણી કરવાની ફરજ પાડવામાં આવી છે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story