એપશહેર

મંદીના બજારમાં શંકર શર્માની આ 5 સલાહ માની લો, ફાયદામાં રહેશો

અમેરિકા જેવા સુપરપાવર દેશમાં પણ આગામી વર્ષથી મંદી (Recession in USA) શરૂ થશે તેવું કહેવાય છે. પરંતુ દલાલ સ્ટ્રીટના અનુભવી રોકાણકાર અને ફર્સ્ટ ગ્લોબલના સ્થાપક શંકર શર્મા (Shankar Sharma) માને છે કે ચોક્કસ સ્ટ્રેટેજીથી બજારમાં તગડું વળતર મેળવી શકાય છે. તેમના માનવા પ્રમાણે એક વર્ષમાં 25થી 100 ટકા વળતર મેળવવું અઘરું નથી.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 23 Jun 2022, 4:03 pm

હાઈલાઈટ્સ:

  • શર્માએ કહ્યું કે "હું સેન્સેક્સ કે નિફ્ટીની કોઈ ચિંતા કરતો નથી કારણ કે આ બંને ઈન્ડેક્સના શેર ખરીદ્યા નથી
  • યોગ્ય રિસર્ચ કરશો તો 10 શેર ચોક્કસ મળી રહેશે જેને બેથી ત્રણ વર્ષ માટે ખરીદવા જોઈએ.
  • બજાર તૂટે ત્યારે પણ 'વિનર' શેરોને વેચશો નહીં. રિકવરી વખતે આ શેરો જ ઉપયોગી બનશે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Shankar Sharma
શંકર શર્મા માને છે કે ઇન્વેસ્ટમેન્ટમાં જડ વલણ ન ચાલે, ફેરફાર માટે તૈયાર રહેવું જોઈએ.
બજારમાં અત્યારે જે પ્રકારની અનિશ્ચિતતા છે તેમાં મોટા ભાગના લોકો મૂડી ગુમાવી રહ્યા છે. અમેરિકા જેવા સુપરપાવર દેશમાં પણ આગામી વર્ષથી મંદી (Recession in USA) શરૂ થશે તેવું કહેવાય છે. પરંતુ દલાલ સ્ટ્રીટના અનુભવી રોકાણકાર અને ફર્સ્ટ ગ્લોબલના સ્થાપક શંકર શર્મા (Shankar Sharma) માને છે કે ચોક્કસ સ્ટ્રેટેજીથી બજારમાં તગડું વળતર મેળવી શકાય છે. તેઓ કહે છે કે ઓછામાં ઓછા 20થી 25 સ્ટોક્સ એવા છે જે આગામી 12 મહિનામાં 25થી 100 ટકા જેટલું રિટર્ન આપી શકે છે.
શેરબજારના એક્સપર્ટ શંકર શર્માએ તો એટલી હદે કહ્યું કે "હું સેન્સેક્સ કે નિફ્ટીની કોઈ ચિંતા કરતો નથી કારણ કે આ બંને ઈન્ડેક્સના શેર મેં ખરીદ્યા નથી અને ખરીદવાનો પણ નથી. તમે યોગ્ય રિસર્ચ કરશો તો તમને એવા 10 શેર ચોક્કસ મળી રહેશે જેને બેથી ત્રણ વર્ષ માટે ખરીદવા જોઈએ."
ટાટા ગ્રૂપના આ શેરમાં તેજીનો માહોલ, હજુ સડસડાટ વધે તેવી શક્યતા
જાન્યુઆરીથી અત્યાર સુધીમાં નિફ્ટીમાં 10 ટકાથી વધારે ઘટાડો થયો છે. તેમાં ઘણા બ્લૂચિપ શેરોને ફટકો પડ્યો છે અને લગભગ 30થી 40 ટકા સુધી ઘટ્યા છે. અત્યારના બજારમાં શંકર શર્મા આ પાંચ નિયમોનું પાલન કરવા જણાવે છેઃ

1) મંદી વખતે જે શેરોમાં જોરદાર ધોવાણ થયું છે તે શેરો તમને મંદી વખતે પણ ઉંચું વળતર નહીં આપી શકે. નબળા સ્ટોક્સ હંમેશા નબળો દેખાવ કરશે.
માત્ર એક વર્ષમાં આ શેર ડબલ કરતા પણ વધી જશે? એક્સપર્ટ્સે આપ્યા મજબૂત કારણો
2) બજારમાં મંદી આવે તેનાથી દુનિયાનો અંત આવી જતો નથી, પરંતુ ઘણા સ્ટોક્સની દુનિયા કાયમ માટે બરબાદ થઈ જાય છે.

3) બજાર તૂટે ત્યારે પણ 'વિનર' શેરોને વેચશો નહીં. બજારમાં જ્યારે રિકવરી આવશે ત્યારે આ વિનર સ્ટોક્સ જ તમને સારું વળતર અપાવશે.

4) માર્કેટના એક્સપર્ટ તમને શેર ક્યારે વેચવા તેની સલાહ આપી શકતા ન હોય તો તેણે તમને શેર ક્યારે ખરીદવા તેની સલાહ પણ આવવી ન જોઈએ.
દર વર્ષે તગડું ડિવિડન્ડ ચુકવતી કંપનીઓ કઈ છે? કેટલી કમાણી કરાવે છે?
5) ઇન્વેસ્ટમેન્ટમાં હંમેશા બાંધછોડ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. ક્યારેય જડ વલણ અપનાવવું નહીં.

તેજી હોય કે મંદી, શંકર શર્માની સલાહમાં માનતો એક મોટો વર્ગ છે. અગાઉ પણ તેમણે કહ્યું હતું કે જે રોકાણકારોમાં ગભરાટ હશે તેમાંથી મોટા ભાગના છેલ્લા બે કે અઢી વર્ષમાં જ માર્કેટમાં આવ્યા હશે. આવા રોકાણકારોને મંદીમાં એક સારો પાઠ ભણવા મળ્યો છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે બજારમાં તેજી હોય ત્યારે કમાવા મળે છે, પણ શીખવા નથી મળતું. બજાર ઘટે ત્યારે કમાવા ભલે ન મળે, પણ શીખવા બહુ મળે છે. શંકર શર્માએ કહ્યું કે મેં પણ ભૂલો કરી છે પરંતુ હું હંમેશા અભ્યાસ કરવામાં માનું છું. મારી ભૂલ થઈ જાય તો તેના પર વિચારું છું, તેનો બધો ડેટા ભેગો કરું છું અને પછી નિર્ણય લઉં છું. હું બજારને કે રશિયા અથવા ચીનને દોષ નથી આપતો.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો