એપશહેર

ચોકલેટ કરતા સસ્તા કેમિકલ શેરે કરોડપતિ બનાવ્યાઃ એક લાખની મૂડી સામે 7.32 કરોડ આપ્યા

Multibagger Share: કેમિકલ બનાવતી કંપની આરતી ઈન્ડસ્ટ્રીઝ (Aarti Industries)નો શેર જ મલ્ટિબેગર બન્યો છે. એક સમયે આ સ્ટોક માત્ર એક રૂપિયામાં મળતો હતો જેનો ભાવ હવે વધીને રૂ. 791 થયો છે. એટલે કે આ સ્ટોકમાં તમે 23 વર્ષ અગાઉ એક લાખ રૂપિયા રોક્યા હોત તો તમને અત્યારે 7.32 કરોડ મળતા હોત.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 23 Aug 2022, 5:27 pm
Multibagger Share: ભારતીય શેરબજારમાં મલ્ટિબેગર શેરોનો એવો ઇતિહાસ રહ્યો છે કે દરેક વ્યક્તિને માર્કેટમાં જોખમ લઈને કરોડોપતિ બનવાનો જુસ્સો ચઢી શકે છે. કેમિકલ બનાવતી કંપની આરતી ઈન્ડસ્ટ્રીઝ (Aarti Industries)નો શેર પણ આવો જ મલ્ટિબેગર સ્ટોક છે. એક સમયે આ સ્ટોક માત્ર એક રૂપિયામાં મળતો હતો જેનો ભાવ હવે વધીને રૂ. 791 થયો છે. એટલે કે આ સ્ટોકમાં તમે 23 વર્ષ અગાઉ એક લાખ રૂપિયા રોક્યા હોત તો તમને અત્યારે 7.32 કરોડ મળતા હોત.
I am Gujarat Chemical Company
આરતી ઈન્ડસ્ટ્રીઝના રોકાણકારો બે દાયકામાં કરોડોપતિ બની ગયા છે.


આરતી ઈન્ડસ્ટ્રીઝ 28,688.57 કરોડની માર્કેટ કેપિટલ ધરાવે છે અને સ્પેશિયાલિટી કેમિકલ ઉદ્યોગની લાર્જ કેપ કંપની છે. તે ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદન સાથે પણ સંકળાયેલી છે અને ગ્લોબલ બજારમાં હાજરી ધરાવે છે. આ કંપની એવા કેમિકલોનું ઉત્પાદન કરે છે જેનો ઉપયોગ ફાર્મા, એગ્રોકેમિકલ્સ, પોલિમર્સ, એડિટિવ્સ, સર્ફેક્ટન્ટ, પિગમેન્ટ્સ અને ડાઈ ઇન્ડસ્ટ્રીમાં થાય છે. આ ઉપરાંત તે ફાર્માસ્યુટિકલ અને ફૂડ-બેવરેજ ઈન્ડસ્ટ્રી માટે એપીઆઈ, ઈન્ટરમિડિયરીઝનું ઉત્પાદન કરે છે.

1 જાન્યુઆરી 1999ના રોજ આરતી ઈન્ડસ્ટ્રીઝ (Aarti Industries)નો શેર 1.08 રૂપિયા હતો જે હવે 790ને પાર કરી ગયો છે. એટલે કે 23 વર્ષના સમયગાળામાં આ શેરમાં 73,122 ટકા વળતર મળ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ શેર 211.56 રૂપિયાથી વધીને આજના ભાવે પહોંચ્યો છે. એટલે પાંચ વર્ષમાં આરતી ઈન્ડસ્ટ્રીઝના સ્ટોકે 273.79 ટકા વળતર આપ્યું છે. વાર્ષિક ધોરણે આ રિટર્ન 30.22 ટકા થાય છે. છેલ્લા એક વર્ષમાં શેર 14 ટકા જેટલો ઘટ્યો છે અને યર-ટુ-ડેટ બેઝ પર જોવામાં આવે તો તેમાં 22.27 ટકા ઘટાડો છે. એનએસઈ પર આ શેરની બાવન અઠવાડિયાની ટોચ ₹1,168.00 છે જ્યારે 52 અઠવાડિયાની નીચી સપાટી રૂ. ₹668.85 છે. એટલે કે હાલના ભાવે આ શેર 52 અઠવાડિયાની ટોચથી 32.20 ટકા નીચે ચાલે છે. 52 અઠવાડિયાની નીચી સપાટીથી શેર 18.22 ટકા ઉપર ચાલે છે.

આરતી ઈન્ડસ્ટ્રીઝનો શેર અત્યારે ખરીદાય કે નહીં?બ્રોકિંગ કંપની શેરખાનના રિસર્ચ એનાલિસ્ટે જણાવ્યું કે કંપનીએ આગામી સમયમાં મજબૂત ગ્રોથનું ગાઈડન્સ આપ્યું છે. તેથી તે 22થી 25 ટકાના ગ્રોથ સાથે રેવન્યુમાં વધારો નોંધાવે તેવી શક્યતા છે. આગામી વર્ષોમાં કંપનીનો કેપિટલ એક્સપેન્ડિચર (મૂડી ખર્ચ) પણ ઉંચો રહેશે. શેરખાને આ સ્ટોક માટે પ્રાઈસ ટાર્ગેટમાં કોઈ વધારો કર્યો નથી.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story