એપશહેર

ટાટા સન્સની ટોચની લીડરશિપમાં થશે ફેરફાર! જાણો રતન ટાટાએ શું કહ્યું

દેશના સૌથી મોટા ઔદ્યોગિક જૂથ ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ પોતાના લીડરશિપ સ્ટ્રક્ચરમાં મોટા ફેરફારો કરી શકે છે તેવા અહેવાલો હતા

I am Gujarat 15 Sep 2021, 11:54 pm
ટાટા ગ્રુપના દિગ્ગજ રતન ટાટા અને ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને ટાટા સન્સની ટોચની લીડરશિપમાં ફેરફારના અહેવાલોનું ખંડન કર્યું છે. બ્લૂમબર્ગના સૂત્રોને ટાંકતા સમાચાર હતા કે દેશના સૌથી મોટા ઔદ્યોગિક જૂથ ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ પોતાના લીડરશિપ સ્ટ્રક્ચરમાં મોટા ફેરફારો કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કોર્પોરેટ ગવર્નન્સમાં સુધાર માટે કંપનીમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ)નું પદ બનાવવામાં આવી શકે છે.
I am Gujarat ratan tata


રિપોર્ટ મુજબ લીડરશિપ સ્ટ્રક્ચરમાં પરિવર્તન માટે ટાટા ટ્રસ્ટ્ના ચેરમેન રતન ટાટાની મંજૂરીને મહત્વની માનવામાં આવે છે. પરંતુ રતન ટાટએ બુધવારે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં આ રિપોર્ટનું ખંડન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ પ્રકારના મીડિયા રિપોર્ટ્સથી તેમને ઘણી નિરાશા થઈ છે. આ પ્રકારની અટકળો ફક્ત તે ટીમના કામમાં અવરોધ પેદા કરી શકે છે જે યોગ્ય રીતે પોતાનું કામ કરી રહી છે.
TIMEના '100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિ'ની લિસ્ટમાં તાલિબાની નેતા મુલ્લા બરાદરનું પણ નામ
ચંદ્રશેખરને શું કહ્યું
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું છે કે કંપનીમાં લીડરશિપ સ્ટ્રક્ચરલ ફેરફારની કોઈ યોજના નથી. આ ફક્ત મીડિયાના એક વર્ગની અટકળબાજી છે. જો આવો કોઈ નિર્ણય થાય છે તો તે નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટીમાં લેવામાં આવે છે. અમને આ પ્રકારના સમાચારથી ઘણી નિરાશા થઈ છે જે અમારા રેગ્યુલર ઓપરેશન્સમાં અવરોધ ઊભો કરે છે.

બ્લૂમબર્ગના રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે ચંદ્રશેખરનનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે પરંતુ તેમને એક્સટેન્શન આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. સાથે જ સીઈઓની પોસ્ટ માટે ટાટા સ્ટીલ લિમિટેડ સહિત ટાટા ગ્રુપની વિવિધ કંપનીઓના પ્રમુખોના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ અંગે હજી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને તેની યોજના અને વિગતોમાં ફેરફાર થઈ શકે છે.
એર ઇન્ડિયાના સારા દિવસો પાછા ફરશે! ટાટા સન્સે અંતિમ ક્ષણોમાં લગાવી બોલી
રતન ટાટાનો પ્રભાવ
ટાટા ગ્રુપ 100થી વધારે બિઝનેસ ધરાવે છે અને તેની લિસ્ટેડ કંપનીઓની સંખ્યા બે ડઝનથી વધારે છે. 2020માં ગ્રુપની કમ્બાઈન્ડ વાર્ષિક આવક 106 અબજ ડોલર હતી. ટાટા ગ્રુપના કર્મચારીઓની સંખ્યા 7,50,000 છે. 83 વર્ષીય ટાટાનું કહેવું છે કે તેઓ હવે ગ્રુપના બિઝનેસને ફેલાવવામાં કોઈ સક્રિયતા રાખતા નથી પરંતુ ટાટા ટ્રસ્ટ દ્વાર હજી પણ ગ્રુપના મેનેજમેન્ટ પર તેમનો ઘણો પ્રભાવ છે. રતન ટાટા 1991થી 2012 સુધી ટાટા સન્સના ચેરમેન રહ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો