નવી દિલ્હીઃ કોરોનાકાળાને કારણે છેલ્લા એક વર્ષથી દેશનું અર્થતંત્ર ડામાડોળ ચાલી રહ્યું છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ તૂટી રહ્યા છે તેમ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો કૂદકેને ભૂસકે વધી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. શનિવારે રાજસ્થાનમાં પેટ્રોલની કિમત 100 રૂપિયા નજક પહોંચી ગઈ છે. રાજસ્થાનના ગંગાનગરમાં શનિવારે પેટ્રોલની કિંમત 97.50 રૂપિયા પ્રિત લિટર પહોંચી ગઈ છે. જે દેશમાં સૌથી વધુ છે.
મધ્યપ્રદેશના ભોપાલમાં પેટ્રોલની કિંમત રૂપિયા 93.56 અને મુંબઇમાં 92.28 પ્રતિ લિટર રહી હતી. જ્યારે આજે રવિવારે મુંબઇમાં આજે ભાવમાં કોઇ વધારો ન થતા પેટ્રોલનાં ભાવ 92.28 રૂપિયા પ્રતિ લીટર છે.
દેશના મુખ્ય શહેરોમાં 24-1-2021ના રોજની કિંમતો
અમદાવાદ- પેટ્રોલ 81.11 રૂપિયા અને ડીઝલ 81.80 રૂપિયા પ્રતિ લીટર છે.
દિલ્હી- પેટ્રોલ 85.70 રૂપિયા અને ડીઝલ 75.88 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 92.28 રૂપિયા અને ડીઝલ 82.66 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 87.11 રૂપિયા અને ડીઝલ 79.48 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 88.29 રૂપિયા અને ડીઝલ 81.14 રૂપિયા પ્રતિ લીટર છે.
ઉલ્લેખનીય છે કે લૉકડાઉન દરમિયાન સરકારે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સમાં મોટો વધારો કર્યો હતો, ત્યારબાદ ભાવ પણ ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે પેટ્રોલિમય કંપનીઓ તેના ભાવ વધારીને પોતાના વહીખાતામાં સુધારો કરી રહી છે. છેલ્લા ઘણા મહિનાથી કાચા તેલના ભાવમાં ઘટાડો થયો છે. તેમ છતાં ભારતમાં ઈંધણના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આનું કારણ છે કે લૉકડાઉનમાં તેલ કંપનીઓને મોટું નુકસાન થયું છે જેની ભરપાઇ હવે તે આ રીતે કરી રહી છે. આ દરમિયાન સરકારની આવક ઘટી તો તેણે પણ ટેક્સ વધારીને આવક વધારી રહ્યા છે.
મધ્યપ્રદેશના ભોપાલમાં પેટ્રોલની કિંમત રૂપિયા 93.56 અને મુંબઇમાં 92.28 પ્રતિ લિટર રહી હતી. જ્યારે આજે રવિવારે મુંબઇમાં આજે ભાવમાં કોઇ વધારો ન થતા પેટ્રોલનાં ભાવ 92.28 રૂપિયા પ્રતિ લીટર છે.
દેશના મુખ્ય શહેરોમાં 24-1-2021ના રોજની કિંમતો
અમદાવાદ- પેટ્રોલ 81.11 રૂપિયા અને ડીઝલ 81.80 રૂપિયા પ્રતિ લીટર છે.
દિલ્હી- પેટ્રોલ 85.70 રૂપિયા અને ડીઝલ 75.88 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 92.28 રૂપિયા અને ડીઝલ 82.66 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 87.11 રૂપિયા અને ડીઝલ 79.48 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 88.29 રૂપિયા અને ડીઝલ 81.14 રૂપિયા પ્રતિ લીટર છે.
ઉલ્લેખનીય છે કે લૉકડાઉન દરમિયાન સરકારે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સમાં મોટો વધારો કર્યો હતો, ત્યારબાદ ભાવ પણ ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે પેટ્રોલિમય કંપનીઓ તેના ભાવ વધારીને પોતાના વહીખાતામાં સુધારો કરી રહી છે. છેલ્લા ઘણા મહિનાથી કાચા તેલના ભાવમાં ઘટાડો થયો છે. તેમ છતાં ભારતમાં ઈંધણના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આનું કારણ છે કે લૉકડાઉનમાં તેલ કંપનીઓને મોટું નુકસાન થયું છે જેની ભરપાઇ હવે તે આ રીતે કરી રહી છે. આ દરમિયાન સરકારની આવક ઘટી તો તેણે પણ ટેક્સ વધારીને આવક વધારી રહ્યા છે.