એપશહેર

હર્ષદ મહેતાના સમયે રાકેશ ઝુનઝુનવાલાએ કરોડો રૂપિયા કમાયા હતા, જાણો તેમની કહાની

Rakesh Jhunjhunwala Passes Away: રાકેશ ઝુનઝુનવાલાએ 5000 રૂપિયાની સાથે શેર બજારમાં રોકાણની શરૂઆત કરી હતી. અને તેઓએ પોતાના દમ વડે જ હજારો કરોડ રૂપિયાના માલિક બની ગયા હતા. જો કે, હર્ષદ મહેતાના 1992 સ્કેમમાં થયેલાં કરોડો રૂપિયાના ગોટાળામાં રાકેશ ઝુનઝુનવાલાએ કરોડો રૂપિયાની કમાણી કરી હતી, અને એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેઓએ જ આ વાતનો ખુલાસો કર્યો હતો.

Edited byHarshal Makwana | I am Gujarat 14 Aug 2022, 4:22 pm

હાઈલાઈટ્સ:

  • 1992ના સ્કેમ દરમિયાન રાકેશ ઝુનઝુનવાલા એક બીયર ગ્રૂપના સભ્ય હતા
  • 1990ના દાયકામાં શેરબજારમાં બીયક કાર્ટેલનો દબદબો જોવા મળતો હતો
  • પત્રકાર સુચેતા દલાલે 1992 હર્ષદ મહેતા સ્કેમનો પર્દાફાશ કર્યો હતો.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Rakesh Jhunjhunwala Passes Away
હર્ષદ મહેતાના સમયે રાકેશ ઝુનઝુનવાલાએ કરોડો રૂપિયા કમાયા હતા, જાણો તેમના જ શબ્દોમાં તેમની કહાની
Rakesh Jhunjhunwala Passes Away: 62 વર્ષની ઉંમરે સ્ટોક માર્કેટના બિગબુલ ગણાતાં રાકેશ ઝુનઝુનવાલાએ લાંબી બિમારી બાદ રવિવાર 14 ઓગસ્ટના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓએ શેરમાર્કેટના આધારે કરોડો-અબજો રૂપિયાની કમાણી કરી હતી અને આ કમાણી દ્રારા તમામ રેકોર્ડ તોડી દીધા હતા. રાકેશ ઝુનઝુનવાલાએ 5000 રૂપિયાની સાથે શેર બજારમાં રોકાણની શરૂઆત કરી હતી. અને તેઓએ પોતાના દમ વડે જ હજારો કરોડ રૂપિયાના માલિક બની ગયા હતા. જો કે, હર્ષદ મહેતાના 1992 સ્કેમમાં થયેલાં કરોડો રૂપિયાના ગોટાળામાં રાકેશ ઝુનઝુનવાલાએ કરોડો રૂપિયાની કમાણી કરી હતી, અને એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેઓએ જ આ વાતનો ખુલાસો કર્યો હતો.
90ના દાયકામાં હર્ષદ મહેતાની સ્ટોક માર્કેટમાં ભારે બોલબાલા હતી. 1992માં હર્ષદ મહેતાનું સ્કેમ બહાર આવ્યું હતું. જે બાદ રાકેશ ઝુનઝુનવાલાએ શેરબજારમાં મોટી કમાણી કરી હતી. તેઓએ એક ઈન્ટરવ્યૂમાં પોતે આ વાતનો સ્વીકાર કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, તે એક બીયર ગ્રૂપના સભ્ય હતા અને શોર્ટ સેલિંગથી તેઓએ મોટી કામણી કરી હતી. એ સમયે શેરમાર્કેટ બે જૂથમાં વચાઈ ગયું હતું, જેના પર બીયર અને બુલ રાજ કરતા હતા. તે દિવસોમાં રાકેશ ઝુનઝુનવાલાનું નામ બીયર ગ્રૂપમાં સામેલ હતું.

1990ના દાયકામાં શેરબજારમાં બીયક કાર્ટેલનો દબદબો જોવા મળતો હતો. આવા જ એક બીયર કાર્ટેલનું નેતૃત્વ મનુ માનેક પણ કરતા હતા, જેમને બ્લેક કોબરાના નામથી જાણીતા હતા. પત્રકાર સુચેતા દલાલે 1992 હર્ષદ મહેતા સ્કેમનો પર્દાફાશ કર્યો હતો. જે બાદ શેરબજાર ક્રેશ થઈ ગયું હતું.

શેરબજારના બિગબુલ અને ભારતના વોરેન બફેટ (Warren Buffet of India) તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)એ આજે મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં 62 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા તેની સાથે શેરબજારમાં એક યુગનો અંત આવ્યો છે. મૂળ રાજસ્થાની મિડલ ક્લાસ પરિવારમાં જન્મીને ભારતના સૌથી ધનાઢ્ય લોકો પૈકી એક બનનારા ઝુનઝુનવાલા છેક સુધી નવા સાહસ કરવામાં માનતા હતા. ટાઈટન (Titan) જેવી કંપનીમાં પાંચ ટકાથી વધુ હિસ્સો ધરાવતા ઝુનઝુનવાલાએ હજુ એક અઠવાડિયા અગાઉ જ તેમની એરલાઈન શરૂ કરી હતી. ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો વિશે તો ઘણા લોકો જાણતા હશે, પરંતુ તેમના વ્યક્તિગત જીવનની 10 વાતો વિશે બહુ ઓછા લોકોને જાણકારી હશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો