વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે દેશના નાગરિકોને ગેસ સબસિડી છોડવાની અપીલ નહીં કરવી પડે કારણકે સરકારી કંપનીઓએ આ કામ ખૂબ સરળ કરી દીધું છે. નાગરિકોને મળતી ગેસ સબસિડી આપોઆપ ખતમ થઈ જવાની તૈયારી છે. ગયા વર્ષે એપ્રિલમાં ગેસ સબસિડીના નામે ગ્રાહકોના ખાતામાં રૂપિયા 191.04 જમા થતા હતા પરંતુ હવે આ રકમ ઘટીને માત્ર 5.04 રૂપિયા થઈ ગઈ છે. હવે ગમે તે સમયે આ પાંચ રૂપિયા પણ જમા ન થાય અને સબસિડી સંપૂર્ણપણે ખતમ થઈ જાય તે દિવસો દૂર નથી. આ રકમ જમા થયા તો પણ ના બરાબર જ છે.
ગેસ સબસિડી ખતમ થતાં જે ગ્રાહકો ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે તેમના પર 200 રૂપિયાનો બોજો પડી રહ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે આટલી મોટી ઘટના હોવા છતાં આ બાબતે દેકારો મચાવવાની વાત તો દૂર ક્યાંય એક હરફ પણ ઉચ્ચારાયો નથી. આ કામ સરકારી કંપનીઓએ એટલી સિફતથી કર્યું છે કે કોઈને ખબર જ ના પડે.
કેવી રીતે થયો ખેલ?
જે પ્રકારે પેટ્રોલ-ડીઝલને અંકુશ મુક્ત કરી દેવાયા છે તે જ યુક્તિથી ગેસની સબસિડી નાબૂદ કરવા માટે યુક્તિ અજમાવાઈ હતી. લોકોના આક્રોશથી બચાવા માટે આ કામ ચૂપચાપ કરવામાં આવ્યું. જો કે, થોડી બારીકાઈથી જોતા આ સમગ્ર બાબત માલૂમ પડી જાય છે. પેટ્રોલિયમ કંપનીઓએ મે 2020માં ગેસ સિલિન્ડરના ભાવમાં અચાનક 170 રૂપિયાનો ઘટાડો કરી નાખ્યો હતો. મતલબ કે ગેસ સિલિન્ડરનો ભાવ રૂપિયા 770.50થી ઘટાડીને રૂપિયા 600 કરી દેવાયો હતો. તે સાથે જ ગ્રાહકોને મળનારી સિલિન્ડર દીઠ 191 રૂપિયાની સબસિડી પણ નાબૂદ કરી દેવાઈ. પછી જૂનથી સિલિન્ડરના ભાવ વધવાનું શરૂ થયું હતું. સબસિડી મળી પરંતુ ખાતામાં માત્ર 6.54 રૂપિયા જમા થયા. ગત 2 ડિસેમ્બરે ગેસ સિલિન્ડરના ભાવ રૂપિયા 50 વધારી દેવાયા અને ત્યારબાદ 15 ડિસેમ્બરે ફરી 50 રૂપિયા વધારી દેવાયા અને ત્યારબાદ ફરી 15 ડિસેમ્બરે ફરી 50 રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દેવાયો. સિલિન્ડરનો ભાવ ફરી 717 રૂપિયા થઈ ગયો. સબસિડી ઘટીને માત્ર રૂપિયા 5.04 થઈ ગઈ.
આ તરફ સરકાર સંચાલિત ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ બુધવારે (27 જાન્યુઆરી) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરી દીધો હતો. પેટ્રોલના ભાવ દીઠ 22-25 પૈસા વધ્યા છે જ્યારે ડીઝલના ભાવમાં 25-27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂપિયા 92.86 થઈ ગયો છે જ્યારે ડીઝલનો ભાવ 82.30 રૂપિયા થયો છે. પેટ્રોલિયમ કંપનીઓએ છેલ્લા અઢી મહિનામાં પેટ્રોલમાં લિટર દીઠ રૂપિયા 5.25નો વધારો કર્યો છે. જ્યારે ડીઝલમાં લિટર દીઠ 6.25 રૂપિયાનો વધારો કર્યો છે.
ગેસ સબસિડી ખતમ થતાં જે ગ્રાહકો ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે તેમના પર 200 રૂપિયાનો બોજો પડી રહ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે આટલી મોટી ઘટના હોવા છતાં આ બાબતે દેકારો મચાવવાની વાત તો દૂર ક્યાંય એક હરફ પણ ઉચ્ચારાયો નથી. આ કામ સરકારી કંપનીઓએ એટલી સિફતથી કર્યું છે કે કોઈને ખબર જ ના પડે.
કેવી રીતે થયો ખેલ?
જે પ્રકારે પેટ્રોલ-ડીઝલને અંકુશ મુક્ત કરી દેવાયા છે તે જ યુક્તિથી ગેસની સબસિડી નાબૂદ કરવા માટે યુક્તિ અજમાવાઈ હતી. લોકોના આક્રોશથી બચાવા માટે આ કામ ચૂપચાપ કરવામાં આવ્યું. જો કે, થોડી બારીકાઈથી જોતા આ સમગ્ર બાબત માલૂમ પડી જાય છે. પેટ્રોલિયમ કંપનીઓએ મે 2020માં ગેસ સિલિન્ડરના ભાવમાં અચાનક 170 રૂપિયાનો ઘટાડો કરી નાખ્યો હતો. મતલબ કે ગેસ સિલિન્ડરનો ભાવ રૂપિયા 770.50થી ઘટાડીને રૂપિયા 600 કરી દેવાયો હતો. તે સાથે જ ગ્રાહકોને મળનારી સિલિન્ડર દીઠ 191 રૂપિયાની સબસિડી પણ નાબૂદ કરી દેવાઈ. પછી જૂનથી સિલિન્ડરના ભાવ વધવાનું શરૂ થયું હતું. સબસિડી મળી પરંતુ ખાતામાં માત્ર 6.54 રૂપિયા જમા થયા. ગત 2 ડિસેમ્બરે ગેસ સિલિન્ડરના ભાવ રૂપિયા 50 વધારી દેવાયા અને ત્યારબાદ 15 ડિસેમ્બરે ફરી 50 રૂપિયા વધારી દેવાયા અને ત્યારબાદ ફરી 15 ડિસેમ્બરે ફરી 50 રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દેવાયો. સિલિન્ડરનો ભાવ ફરી 717 રૂપિયા થઈ ગયો. સબસિડી ઘટીને માત્ર રૂપિયા 5.04 થઈ ગઈ.
આ તરફ સરકાર સંચાલિત ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ બુધવારે (27 જાન્યુઆરી) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરી દીધો હતો. પેટ્રોલના ભાવ દીઠ 22-25 પૈસા વધ્યા છે જ્યારે ડીઝલના ભાવમાં 25-27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂપિયા 92.86 થઈ ગયો છે જ્યારે ડીઝલનો ભાવ 82.30 રૂપિયા થયો છે. પેટ્રોલિયમ કંપનીઓએ છેલ્લા અઢી મહિનામાં પેટ્રોલમાં લિટર દીઠ રૂપિયા 5.25નો વધારો કર્યો છે. જ્યારે ડીઝલમાં લિટર દીઠ 6.25 રૂપિયાનો વધારો કર્યો છે.