એપશહેર

આ દશેરાએ શપથ લોઃ જીવનમાં રૂપિયા પૈસાને લગતી આ સાત ભૂલો ક્યારેય ન કરો

Financial Rules: દશેરા એ નવી શરૂઆત કરવાનો તહેવાર છે. શેરબજારમાં કે કોઈ પણ ક્ષેત્રમાં તમે ભૂલો કરતા હોવ તો તેમાંથી શીખવાની જરૂર છે. દશેરા પણ આવો જ એક તહેવાર છે જેમાં તમે નાણાકીય ભૂલો ન કરવાની શપથ લઈ શકે છો. અહીં એવી સાત નાણાકીય ભૂલો દર્શાવી છે જેને તમારે ટાળવી જ જોઈએ.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 2 Oct 2022, 3:32 pm
Financial Rules: કોઈ પણ તહેવાર આપણા જીવનમાં એક તાજગીનો સંદેશ લઈને આવે છે. તહેવારોનો મિજાજ સમજીને આપણે નવી શરૂઆત માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. દશેરા પણ આવો જ એક તહેવાર છે જેમાં તમે નાણાકીય ભૂલો ન કરવાની શપથ લઈ શકે છો. અહીં એવી સાત નાણાકીય ભૂલો દર્શાવી છે જેને તમારે ટાળવી જ જોઈએ કારણ કે આ ભૂલો તમને રૂપિયા-પૈસાને લગતું ભારે નુકસાન પહોંચાડી શકે છે.
I am Gujarat money note
નાણાકીય શિસ્ત જાળવીને મોટા ભાગની સમસ્યા ઉકેલી શકાય છે.


1) વીમાની અવગણના કરીને રોકાણ કરવું. તમે રોકાણ કરવાની શરૂઆત કરો તે પહેલા પૂરતો જીવન વીમો અને મેડિકલ વીમો ઉતરાવવો જરૂરી છે. કારણ કે મૃત્યુ અથવા ગંભીર બીમારીના સંજોગોમાં ઘણા લોકોની તમામ મૂડી ધોવાઈ જતી હોય છે. તેથી ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખો અને પછી જ રોકાણ કરો.

2) શેરબજારમાં વહાલા દવલાની નીતિ છોડો. કોઈ શેર માટે પક્ષપાત ન રાખો. લોકો શેરમાં રોકાણ કરે ત્યારે કેટલીક વખત અમુક શેર સાથે ઈમોશનલી એટેચ થઈ જાય છે. તેઓ માને છે કે જે તે શેરને હું ક્યારેય વેચીશ નહીં. તેના કારણે ઘણી વખત ભારે નુકસાન જાય છે. ઈન્વેસ્ટમેન્ટમાં ક્યારેય ભેદભાવ ન રાખો. જે એસેટ સારો દેખાવ કરતી હોય તેને જ જાળવો.

3) બજારને ટાઈમ કરવાનો પ્રયાસ ન કરો. તમને લાગે કે બજાર એકદમ નીચે જશે ત્યારે જ શેર ખરીદીશ અને ટોચ પર પહોંચશે ત્યારે વેચી નાખીશ. આમ કરવું શક્ય નથી. દશ મિનિટ પછી બજાર ક્યાં હશે તે પણ કોઈ કહી શકતું નથી. તેથી તમે નીચા ભાવે ખરીદી શકશો એવું માનવાની ભૂલ ન કરો. ક્વોલિટી શેરોને દરેક ભાવે ખરીદી શકાય.

4) બેફામ ખર્ચ કરવો અને પૂરતી બચત ન કરવી જોખમી સાબિત થઈ શકે છે. તમારે સૌથી પહેલા તમારી આવકનો 20 ટકા હિસ્સો બચાવવો જોઈએ અને પછી જ બાકીની રકમનો ખર્ચ કરવો જોઈએ. આ અંગે તમે વોરેન બફેટની સલાહ અનુસરી શકો. રેગ્યુલર બજેટ બનાવો અને મૂડીને ઈન્વેસ્ટ કરો.

5) એસેટ એલોકેશન (Assent Allocation) કરો. બધા નાણાં ગોલ્ડ, રિયલ્ટી, શેર અથવા મ્યુચ્યુઅલ ફંડ (mutual fund)માં એક સાથે ન રોકો. તેના બદલે દરેક પ્રકારની એસેટમાં અમુક ચોક્કસ પ્રમાણમાં રોકાણ કરો. બધા નાણાં કોઈ એક એસેટમાં રોકી દેવાથી અત્યંત ભારે નફાની સાથે નુકસાનની શક્યતા પણ વધી જાય છે. તેના બદલે ડાઈવર્સિફિકેશન કરો.

6) બજારમાં ટ્રેડર નહીં પણ ઇન્વેસ્ટર બનો. તમે કોઈ પણ શેર ખરીદો ત્યારે એક બે દિવસમાં કે બે-ત્રણ અઠવાડિયામાં કમાણી કરવાનો લક્ષ્ય ન રાખો. તમે જે શેરોમાં કમાણી કરતા હોવ તેને ન વેચો. નબળા શેરોને કાઢી નાખો.

7) ટોળાની માનસિકતા છોડો. સ્વતંત્ર રીતે વિચારો. તમારા મિત્રે કોઈ શેર ખરીદ્યા હોય એટલે તમારે પણ ખરીદવા જોઈએ તે જરૂરી નથી. તમે મોટા માર્કેટ એક્સપર્ટના પોર્ટફોલિયોનું અનુકરણ કરવા જશો તો પણ નુકસાન જઈ શકે છે. તેથી તમારી જરૂરિયાતો અને જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરો.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો